________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
( ૨૭૬ )
શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન.
ST
નિર્લેપતા રાખી શકે છે અને તે સંસારવ્યવહારમાં પણ સત્ય ત્યાગના માર્ગ પર વિહરી શકે છે. અને સાથે કેન્દ્રસ્થાનને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. નિરહંવૃતિને કર્તવ્ય કાર્યોમાં શુદ્ધોપગ ધારણ કરીને ખીલવવી જોઈએ. અભ્યાસ પાડતાં કાર્યની સિદ્ધિ થાય છે. આત્મા અને કર્મ બેને ભિન્ન અવધીને નિરહંવૃત્તિ ખીલવવી જોઈએ. મારાથી જે થવાનું હોય છે તે ફરજ અર્થાત્ કર્તવ્યદષ્ટિએ થયા કરે છે તેમાં મેં કર્યું એવી અહંવૃત્તિ ધારણ કરવાની કંઈ પણ જરૂર નથી. જે જે થાય છે તે કુદરતના નિયમને અનુસરીને થાય છે તેમા કર્તવ્યકાર્યપ્રવૃત્તિભૂત મારા આત્મામાં અહંવૃત્તિ શામાટે ઉત્પન્ન કરવી જોઈએ અર્થાત્ ન કરવી જોઈએ. એમ હદયમાં દઢ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં સદા નિરહંવૃત્તિ રહ્યા કરે. અશુભ અહંવૃત્તિ કરતાં શુભઅહંવૃત્તિ સારી અને શુભહંવૃત્તિ કરતાં નિરહંવૃત્તિ ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવું એ અનન્તગુણ ઉત્તમકાર્ય છે. અશુભારંવૃત્તિ ધારકો અને શુભાëવૃત્તિ ધારકે આવશ્યકકાર્યમાં પ્રવૃતિ કરીને આગળ વધે તેના કરતાં નિરહંવૃત્તિધારક કર્મયોગીઓએ આવશ્યક કર્તવ્ય કાર્યોમાં તે બેની સ્પર્ધામાં કર્તવ્યપ્રવૃત્તિથી આત્મભેગે પ્રગતિ કરી વિજયવંત બનવું જોઈએ કે જેથી નિરહંવૃત્તિધારક મનુષ્યોની સત્તા નીચે શુભાશુભાëવૃત્તિધારકો રહે અને નિરહંવૃત્તિધારકેને તેઓ દબાવી ન શકે તથા તેઓના દાસ તરીકે બનવું ન પડે એ ખાસ લક્ષ્યમાં વાત ધારીને પ્રવૃત્તિમાર્ગના પાન્થ બનવું જોઈએ. શુભાશુભારંવૃત્તિધારકેથી જે કંઈ કર્તવ્યપ્રવૃત્તિ થાય છે તેમાં આન્તરિક સદોષતા અને બધતા રહે છે અને નિરહંવૃત્તિવાળા જે કંઈ કાર્ય કરે છે તેમાં આન્તરદૃષ્ટિએ સદોષતા અને બન્યતા રહેતી નથી. અને તેઓની બાહ્ય સદેષતા પણ શુભાશભાહવૃત્તિવાળાની બાહ્ય સંદેષતા કરતાં અનન્તગુણ ન્યૂન સદોષતા અવબોધવી; અને તે સદોષતા ખરેખર શુભાશુભહંવૃત્તિધારકોની સદોષતા કરતાં અનન્તગુણ ઉચ્ચ અને અનન્તગુણલાભપ્રદ અવબોધવી. નિરહંવૃત્તિ છતાં યાવતુંપ્રવૃત્તિયેગ્ય પ્રારબ્ધાદિક કારણે વિદ્યમાન છે, તાવતુ બાહ્યકાર્યો કર્યા વિના છૂટકે થવાને નથી, માટે કાર્યપ્રવૃત્તિમાં નિરહંભાવે વર્તવું કે જેથી દશાર્ણભદ્રની પેઠે સામૈયા વગેરે શુભ ધર્મમાર્ગોમાં અહંવૃત્તિ થઈ શકે નહિ. અસ્મત કૃત આત્મપ્રકાશગ્રંથમાં પ્રવૃત્તિમૂલ સંસાર છે અને નિવૃત્તિમૂલ મોક્ષ છે એમ દર્શાવવામાં આવ્યું છે તેમાંથી પ્રાપ્તવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવું. યોગવાશિષ્ટ ગ્રન્થમાં વેદાન્તદષ્ટિએ અહંવૃત્તિથી સંસારમાં જન્મ જરા અને મરણ છે ઇત્યાદિનું વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે. આનન્દઘન પદભાવાર્થસંગ્રહ પુસ્તકમાં અહંવૃત્તિના ત્યાગ સંબંધી ભાવાર્થમાં ઘણું કહેવામાં આવ્યું છે તેનું મનન સ્મરણ અને નિદિધ્યાસન કરીને નિરહંવૃત્તિથી કર્તવ્યકર્મો કરવાં જોઈએ. નિર્મલજ્ઞાનયોગથી સ્વાધિકાર પ્રાપ્ત સદેષ વા નિર્દોષ કાર્ય કરવા જોઈએ. પ્રત્યેક મનુષ્ય દેશ કુલ જાતિ કર્મ વય અને કાલાનુસારે પરિત પરિસ્થિતિ પ્રાપ્ત કર્તવ્ય કાર્યોને કરે
For Private And Personal Use Only