SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- આંતરવૃત્તિથી કર્તવ્ય કરવાં. ( ૨૭૧ ) મનુષ્ય આવશ્યક ધમ્ય પ્રવૃત્તિને ત્યાગ કરીને આલસ્યાધીન થાય છે તેઓ અતભ્રષ્ટસ્તતે ભ્રષ્ટ બનીને અવનતિમાં પડે છે. પરિપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થયા વિના આવશ્યક ધમ્યપ્રવૃત્તિને ત્યાગ કર્યાથી પતિત દશા પરતંત્ર દશા અને સ્વાચ્છન્ધદશાની પ્રાપ્તિ થાય છે. અતએ ધમ્મપ્રવૃત્તિને સ્વાધિકારદશા પર્યન્ત અવશ્ય સેવવી જોઈએ. તત્સંબંધી પ્રવૃત્તિમાર્ગ પળે સ્વબુદ્ધિથી અનુભવવું જોઈએ. લોકિક પ્રવૃત્તિ અને લોકેત્તરપ્રવૃત્તિ એ બન્ને પ્રકારની પ્રવૃત્તિ સંબંધી જે પ્રવૃત્તિને જ્યાં સુધી અધિકાર છે ત્યાં સુધી તે પ્રવૃત્તિ સેવવી જોઈએ. હે મનુષ્ય ! તે પ્રકારની ધર્મપ્રવૃત્તિ કે જેથી હારી આત્મોન્નતિ થાય અને તેની સાથે સમષ્ટિ પ્રગતિ થાય એવી ધર્મપ્રવૃત્તિ સેવ્યા કર !! એમાં અંશ માત્ર સંશય ન કર અને પ્રવૃત્તિ માર્ગ પ્રગતિમાં આગળ વધ્યા કર. બાહ્ય પ્રવૃત્તિમાં સગી કેવલીને વિહારાદિકમાં કાયિોગ પ્રત્યયી હિંસા લાગે છે તેથી તેમને કાગ હિંસા કર્મ લાગે છે છતાં તેઓ મહાનિર્જરારૂપ લાભને પ્રાપ્ત કરે છે. અવતરણ-સ્વાધિકારગે આત્મજ્ઞાનીઓ કર્તવ્ય કર્મને કેવી આન્તરવૃત્યાદિથી કરે છે તે જણાવે છે. नेदं कृतं मयेत्येवं निरहंबुद्धितो बुधाः । प्राप्ताधिकारयोगेन वर्तन्ते प्राप्तकर्मसु ॥ ४३ ॥ स्वाधिकारे सदोषं वा निर्दोषं कर्म यद्भवेत् । कर्तव्यं स्वाधिकारेण निर्मलज्ञानयोगतः ॥ ४४ ॥ लाभालाभविवेकेन स्वान्यशर्मप्रसाधकम् । देशकालानुसारेण कर्तव्यं धर्म्यकर्म तत् ॥ ४५ ॥ વિવેચન–બાહ્યથી અમુક કાર્ય વ્યવહારથી કર્યું; પરન્તુ નિરહંવૃત્તિથી પંડિતે મેં આ નથી કર્યું એવી દશાથી પ્રાપ્તાધિકાર યોગવડે પ્રાપ્ત કાર્યોમાં વર્તે છે. સ્વાધિકાર સદોષ કર્મ હાય વા નિર્દોષ કર્મ હોય પરંતુ તે સ્વાધિકારવડે નિર્મલ જ્ઞાનથી કરવા ગ્ય છે. લાભાલાભ વિવેકવડે સ્વાન્યસુખપ્રસાધક એવું દેશકાલાનુસાર ધર્મે કર્મ કરવા યોગ્ય છે. આત્મજ્ઞાનીઓ નિરહંવૃત્તિથી આ કાર્ય મેં કર્યું એમ માનતા નથી. અમુક કાર્યને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy