SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૦ ) શ્રી કર્મ ગ ગ્રંથ-સવિવેચન. આલસ્યવિકથા વગેરે દેને ત્યાગ કરીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. રાજકીય પ્રગતિ વ્યાપાર પ્રગતિ આદિ અનેક વ્યાવહારિક પ્રવૃત્તિ પ્રગતિની સાથે ગૃહસ્થ મનુષ્યએ ધર્મપ્રવૃત્તિની એવી રીતે અપ્રમત્તદશાએ પ્રગતિ કરવી જોઈએ કે જેથી મૃત્યુ ગમે તે વખતે આવીને ઉભું રહે તેપણું ધર્મપ્રવૃત્તિ માટે સંતેષ રહે અને જરા માત્ર ખેદ ન રહે. વ્યવહારનયની અપેક્ષાએ અલ્પષ, અ૫હાનિ અને પુણ્યસંવરનિર્જરાદિની મહાલાભવાની પ્રવૃત્તિ સંબંધી ઉપર્યુંકત વિચારનું કથન કરવામાં આવ્યું છે અને નિશ્ચયનયની અપેક્ષાએ અપષ અને મહાલાભપ્રદ આન્તરિક ધર્મવૃત્તિ દ્વારા ઉપર્યુકત વ્યાવહારિકનેક્ત બાહ્યસ્વરૂપ અવબોધવું કે જેથી એકાન્તયપ્રવૃત્તિ ન થઈ શકે. વ્યવહાર અને નિશ્ચયનયથી બાહ્યધર્મપ્રવૃત્તિનું સ્વરૂપ અવબોધીને અભિતઃ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અલ્પષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને આચરવી જોઈએ કે જેથી સ્વપ્રવૃત્તિ નિવૃત્તિમાં આગળ વધી શકાય. આ બાબતને નિર્ણય કરીને એવી અચલ પવૃત્તિ કરવી કે તથા િવા વાર્થ સાધવામિ એ સૂત્રને આચારમાં મૂકયું ગણી શકાય. અલ્પષ અને મહાલાભપ્રદ વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ સંબંધી જેટલું લખવામાં આવે તેટલું ન્યૂન છે. પ્રવૃત્તિમાર્ગથી પ્રવૃત્તિની આવશ્યકદશા જ્યાંસુધી છે ત્યાં સુધી પ્રવૃત્તિ કર્યા વિના રહી શકાય તેમ નથી, અતએ પરિપૂર્ણ નિવૃત્તિની દશાએ ન પહોંચાય તાવત્ પ્રવૃત્તિને સેવવાની જરૂર છે. પૂર્ણનિgૉ ઘારાવાં પ્રવૃત્તિર ગુ પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થએ છતે જ્ઞાનીઓ વડે પ્રવૃત્તિ, ત્યજાય છે ત્રયોદશગુસ્થાનક પર્યન્ત સંગી કેવલીને વ્યાખ્યાન પ્રવૃત્તિ, સંઘસ્થાપન પ્રવૃત્તિ આહાર પ્રવૃત્તિ, વિહાર પ્રવૃત્તિ વગેરે ધમ્ય પ્રવૃત્તિ કરવી પડે છે અને તેઓ વ્યવહારનયાનુસારે બાહ્ય વર્તનને ચલાવે છે. અપવાદે નિશિ વિહારાદિ પ્રવૃત્તિને તેઓ કરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ શ્રી સર્વજ્ઞ કેવલી જ્યારે ધર્મવ્યાખ્યાન આહારાદિ પ્રવૃત્તિને આચરે છે તે અન્ય મનુષ્યોને આચરવી પડે તેમાં કહેવાનું શું? અર્થાત્ કંઈ નહિ. પ્રવૃત્તિમાઘાન માતર દવલુદ્રિત એ પ્રમાણે જે કથન કર્યું છે તે વારંવાર વિચારવાયોગ્ય અને અનુભવ કરીને નિર્ણય કરવાડ્યું છે. પ્રારબ્ધ કર્માનુસાર સર્વ તીર્થકરોને ઉપદેશદાનપ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિ સેવવી પડે છે તે અને અન્ય પ્રવૃત્તિનું તે શું કહેવું ? કેટલીક પ્રવૃત્તિ એવી ડાય છે કે તે આત્મજ્ઞાનીઓને કરવી ગમતી નથી તોપણ પ્રારબ્ધ કર્માનુસારે તે કરવી પડે છે અને તેથી જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાનીને શ્રેયઃ માટે છે એવું ઉત્તમ શિક્ષણ મળી આવે છે અને તે પ્રમાણે સારા માટે થયા કરે છે. ભાવી ભાવ અને કર્મમાં જે લખ્યું હશે તે થશે એવું માનીને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ વા વાસ્તવિક સુખ પ્રાપ્ત થતું નથી. જે જે ધર્માર્થ ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે કરવાથી ઘરપuદો નીવાનામ્ સૂત્ર કથિત ફરજો પૈકી ઘણી ફરજોમાંથી વિમુક્ત થઈ શકાય છે. જે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy