________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલ્પ દોષ ને મહાલાભના દષ્ટાંતે.
( ૨૬૫ )
ઘણે ખ્યાલ રાખ્યો છે એમ તેઓના વિચારોનો અભ્યાસ કરતાં સમજાશે. કેટલી ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મમાર્ગની પ્રવૃત્તિ ભૂતકાલ વર્તમાન અને ભવિષ્યમાં સામાન્ય રૂપે એક સરખી રીતે લાગુ પડે છે અને કેટલીક ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મ પ્રવૃત્તિ ભૂતકાળમાં ભિન્ન પ્રકારની હોય છે, વર્તમાનમાં ભિન્ન પ્રકારની પ્રવૃત્તિ બને છે અને ભવિષ્યમાં ભિન્ન પ્રકારની બનશે. એક પત્થરમાંથી મૂર્તિ બનાવતાં શિલ્પશાસ્ત્રીને જેટલી મહેનત પડે છે તેના કરતાં કરોડગુણે આત્મભોગ આપવાથી ધર્મની પ્રવૃત્તિમાં સુધારે અને નવ્યતા આણીને ધર્મપ્રવૃત્તિના ઉત્સર્ગ અને અપવાદથી આચાર્યો પૂર્ણજ્ઞાતા બને છે; તેજ તેઓ ધર્મપ્રવૃત્તિ દ્વારા સાધુઓ અને સાધ્વીઓની પ્રગતિ કરવાને શક્તિમાન થાય છે-અન્યથા અવનતિ કરવાને તેઓ શક્તિમાન થાય છે. અહંનીતિ વગેરે પ્રાયશ્ચિનાદિ પ્રતિપાદક ધર્મશાસ્ત્રોમાં અલ્પદોષ અપહાનિ અને મહાલાભ થાય એવી દૃષ્ટિએ પ્રાયશ્ચિત્ત પ્રવૃત્તિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ધર્મશાસ્ત્રોમાં જે જે ચાતુર્વર્ણવ્યવસ્થા સંરક્ષક કાયદાઓ તે તે કાલે લખવામાં આવ્યા છે તેમાં તે તે કાલના અનુસારે ગ્રન્થકારેએ અલ્પષ અને મહાલાભની દષ્ટિને આગલ કરીને તે તે કાયદાઓ રચેલા છે એમ અવબોધવું. પ્રત્યેક ગ્રન્થ સ્વબુદ્ધયનુસાર આજુબાજુના વ્યક્ષેત્રકાલાદિકને બનેલા વાતાવરણના પ્રસંગાદિથી અ૮૫ દોષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને કરી શકે છે અને આદરી શકે છે. આજુબાજુનું વિચારવાતાવરણ અને આજુબાજુની પરિસ્થિતિને અનુસરી નિજવૃત્ત્વનુસારે અમુક ક્ષેત્રે અમુકકાલે ધર્મપ્રવર્તક ખરેખર અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને ઉપદેશે છે. ગૃહસ્થના અધિકાર પ્રમાણે દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગથી અપોષ અને મહાલાભ થાય એવી વર્તમાનમાં ધર્મપ્રવૃતિ સેવવાની હોય છે. સાધુઓને સાધુધર્માધિકાર પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સર્ગ અને અપવાદથી ભવિષ્યમાં મહાલાભકારી એવી પ્રવૃત્તિને વર્તમાનમાં સેવવી પડે છે. ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે અલપદોષ અને મહાલાભકારક ધર્મપ્રવૃત્તિ હોય છે. શ્રીવાસ્વામી દુષ્કાળના વખતમાં શ્રાવકને અન્ય દેશમાં લઈ ગયા અને પુન સમૂહ લેવા માટે હિમગિરિ વગેરે પ્રદેશમાં ગયા; ત્યાં તેમની અલ્પષ અને મહાલાભદાયક ધર્મ પ્રવૃત્તિ અવધવી. શ્રીસંભૂતિવિજયજીએ સ્થલભદ્રને વેશ્યાને ઘેર ચોમાસું કરવાની આજ્ઞા આપી, એક સાધુને સિંહની ગુફામાં ચોમાસું કરવાની આજ્ઞા આપી, એક સાધુને કૂપના કંઠ પર ચોમાસું કરવાની આજ્ઞા આપી અને એક સાધુને સપના બિલ પર ચેમાસું કરવાની આજ્ઞા આપી; તેમાં તેમણે અપદેષ અને મહાલાભ અવધીને તે બાબતની આજ્ઞા આપી હતી. શ્રીવૃદ્ધવાદી ગોવાલીઆઓની આગળ નાચ્યા હતા અને શ્રી કપિલકેવલી પાંચસે ચેરોની આગળ નાચ્યા અને ગાયા
For Private And Personal Use Only