SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૨ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. * ** ~ ~~~ ~~~ ~~~~ ~ ~~ જતકલ્પ વગેરેમાં સાધુઓ અને સાધવીઓને અલ્પદ અને મહાલા થાય એવી ધર્મ પ્રવૃત્તિ જણાવવામાં આવી છે. સાધુઓને એક માસમાં ત્રણ મટી નદીઓ ઉતરવાની શાસ્ત્રકારે આજ્ઞા આપેલી છે તે પણ અલ્પષ અને મહાલાભ જાણીને આપવામાં આવી છે. સાધુઓ અને સાધ્વીઓને થંડિલ અને માત્રાની પ્રવૃત્તિને અશક્ય પરિહાર તરીકે અવધીને ભરવરસાદમાં ઈંડિલ જવાની રજા આપી છે તે પણ અલ્પષ અને મહાલાભ અવધીને આજ્ઞા આપવામાં આવી છે એમ ગુરૂગમથી અવબોધવું. સાધુઓ અને સાધ્વીએને અપવાદમાગે અનેક ધર્મપ્રવૃત્તિને આચરવાની છેદસૂત્રોમાં આજ્ઞા આપવામાં આવી છે તે પણ અલ્પષ અને મહાલાભ જાણીને આજ્ઞા આપવામાં આવી છે. સંઘયાત્રા અને તીર્થયાત્રા પ્રમુખ ધર્મપ્રવૃત્તિમાં અ૯૫દેષ અને મહાલાભ અવધો . રથયાત્રારૂપધર્મપ્રવૃત્તિમાં અ૮૫દેષ અને મહાલાભ અવબોધ. અનેક જિનમંદિર બનાવવામાં અલપદોષ અને મહાલાભ સમજે; આચાર્યોને ધર્મસંરક્ષા અને સંઘાદિ રક્ષાથે અપવાદમાગે છે જે ધર્મક્તવ્ય પ્રવૃત્તિની શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે તેમાં અલ્પષ અને મહાલાભ સમાયલ જાણીને શાસ્ત્રકારોએ કરેલી છે એમ અવબોધવું. શ્રીભદ્રબાહસ્વામીએ સંઘની આજ્ઞા આદેય માનીને મહાપ્રાણાયામ ધ્યાનમાં કંઈક ખલેલ પાડીને શ્રીસ્થલભદ્રાદિ સાધુવર્ગને પૂર્વની વાચના આપી તેમાં સ્વવ્યક્તિ માટે અલ્પહાનિ અને સંઘને મહાલાભ અવધે; તેમજ આપત્તિકાલે શ્રીસંઘને જેનામાં જે શક્તિ હોય તે વાપરીને ધર્મનું રક્ષણ કરે, તતસંબંધી તે જે જે આજ્ઞા કરે તેમાં અલ્પષ અને મહાલાભ અવબોધ. શ્રી આચાર્ય પ્રભુ સ્વગચ્છીય સાધુઓ વગેરેનું રક્ષણ કરવા પ્રત્યક્ષેત્રકાલભાવથી અપવાદમાગે છે જે પ્રવૃત્તિ કરે તેમાં અલ્પષ અને મહાલાભ અવધે. શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણે આગમને પુસ્તકાર કર્યા તેમાં અલ્પદોષ અને મહાલાભ અવબોધે. જે શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણે આગમોને પુસ્તકારૂઢ ન કર્યા હોત તે જૈનધર્મ સાહિત્ય વગેરે અનેક પ્રકારના સાહિત્યને નાશ થઈ જાત. શ્રીઅભયદેવસૂરિએ નવાંગવૃત્તિ ન લખી હોત તે સૂત્રોના આશયે અવબેધવામાં ઘણું હાનિ પ્રાપ્ત થઈ શક્ત; પણ તેમણે અલ્પહાનિ અને મહાલાભને નિશ્ચય કરીને નવાગે પર વૃત્તિ લખી. પ્રાયશ્ચિત્તાદિ શાસ્ત્રો રચવામાં અપદેષ અને મહાલાભ અવબેબીને પૂર્વાચાર્યોએ પ્રવૃત્તિ કરી હતી. ધર્મસામ્રાજ્યને નાશ થાય તેવા આપત્તિકાલમાં અલ્પષ અલ્પહાનિ અને મહાલાભ થાય તેવી પ્રવૃત્તિ આચરવામાં જરામાત્ર આંચકે ખા એ ધર્મને નાશ કર્યા બરાબર છે એવું અવબોધીને ગીતાર્થ દષ્ટિએ ધર્મસંરક્ષક પ્રવૃત્તિને અનેક સુવ્યવસ્થાઓથી આચરવી; સરકારી કાયદાઓ રચવામાં અપદેષ અલ્પહાનિ અને રાજ્યશાન્તિ રાજ્ય સુવ્યવસ્થા પ્રજાપાલનાદિ અનેક લાભોને ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રીહેમચંદ્રાચાર્યે ખંભાતમાં કુમારપાલને પુસ્તકના ડાભલામાં–ભંડારમાં સંતાડાવ્યા તેમાં અ૫ દેષ અને મહાલાભવાળી દૃષ્ટિએ એ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા હતા એમ અવબોધવું. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy