________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
1 જ
=
+ ,
( ૨૫૨ )
શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન,
મુક્ત થઈને પરમાત્મપદ અનુભવે છે એમ નિશ્ચયતઃ અવબોધવું. જેમ એક વૃક્ષથી ઘસાઈ ને અગ્નિ પ્રકટવાથી તે સ્વયં અગ્નિરૂપ બને છે તદ્વત્ આત્મા સ્વયં આત્માવડે આત્માનું આરાધન કરીને આત્મામાં પરમાત્મા પ્રકટાવે છે. આત્મા પોતાનામાં ધ્યાનાગ્નિવડે પરમાભત્વ પ્રકટાવે છે એમ અનંત તીર્થકરેએ–ઋષિએ પ્રતિપાદન કર્યું છે અને ભવિષ્યમાં અનંત તીર્થંકર પ્રતિપાદન કરશે. આ પ્રમાણે આત્માથી પરમાત્મતાને અંતરમાં તન્મયપણે ભાવીને જે પરમાત્મતા પ્રકટાવે છે તે પુનઃ સંસારમાં અવતરતો નથી. આત્માના ગુણ વિના અન્ય સર્વ જડ વસ્તુઓને ભૂલી જવાથી આત્મામાં સહજાનંદ પ્રકટે છે. આત્માના ગુણો વડે આત્માની ઉન્નતિ થાય છે. આત્માના શુદ્ધ પર્યાયને પ્રાદુર્ભાવ તે પરમાત્મપદ અવબોધવું. એવા પરમાત્મપદમાં રમણતા કરવી એજ પરમાત્માને ધર્મ છે. આવું પરમાત્મપદ અનુભવવાથી પરમાત્મદશાનો ખ્યાલ આવે છે અને તેથી ઉત્તમોત્તમ સ્વતંત્રતા પ્રકટી નીકળે છે. આત્માની પરમાત્મતા શોધવાને માટે બાહ્ય પ્રદેશોમાં પર્યટન કરવાની કંઈ જરૂર નથી. આત્માની પરમાત્મતા પ્રકટાવવાને માટે તો અંતરમાં ખાસ શુદ્ધોપગ ધારણ કરવાની જરૂર છે. શરીરમાં વ્યાપી રહેલા પરમાત્માની ખાસ શોધ કરવી જોઈએ. જ્યાં સુધી આત્મામાં ઉપાદાન કારણનો આવિર્ભાવ થયે નથી ત્યાં સુધી નિમિત્ત કારણે ઉત્તમત્તમ મળે તે પણ આત્માભિમુખ થઈ શકાય નહિ. આત્માની પરમાત્મતા સાધ્ય કરવાને ઉપાદાન કારણ રુચિ ઉત્પન્ન થયા બાદ નિમિત્તે કારણે ખરેખર સવળાં પરિણમે છે અને તેથી નિમિત્ત કારણની સફળતા ગણાય છે. જે આત્માથી જીવ હોય છે તે પિતાના આત્માની શુદ્ધિ થાય એવાં નિમિત્તને સ્વયમેવ આચરે છે. જીવોને પરિતિભેદે અનેક પ્રકારના નિમિત્ત હોય છે. કોઈને કોઈ નિમિત્તકારણ ઉપકારી થાય છે અને કેઈને કેઈ નિમિત્ત ઉપકારી થાય છે. સર્વને એક જ કારણ નિમિત્ત ઉપકારી થાય એવો એકાંતિક નિયમ નથી, તેથી નિમિત્ત કારણ ભેદે પરસ્પર સાધકેએ ફ્લેશ કરીને આત્મવીર્યને પરસ્પર હાનિ કરવામાં ઉપગ કરે નહિ. નિમિત્ત સાધન ભેદે સાધ્યની સિદ્ધિમાં અવિરોધ આવતો હોય તે પરમાત્માની પ્રાપ્તિમાં સાધકોએ સાધન ભેર કલેશ ન કરવો જોઈએ. આત્મકલ્યાણમાં જેમ આગળ વધાય તેમ ઉપગ રાખીને પ્રવર્તવું જોઈએ. જે મહાત્માઓ પરમાત્માની પ્રાપ્તિ પ્રતિ ખાસ ઉપયોગ ધારણ કરે છે તેઓ આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરે છે. આત્માની પરમાત્મતા પ્રગટાવવાને માટે અંતરમાં ઉપગ ધારવાથી અને વ્યવહારથી અધિકારદશા પ્રમાણે વર્તવાથી વિશ્વપ્રતિની સ્વફરજને પણ સાધી શકાય છે. આત્મારૂપ પરમાત્માને શરીરમાં શોધ જોઈએ. જે પરમતત્વ ચૈતન્યરૂપ ભાસે છે તે શરીરમાં વ્યાપીને રહેલ છે. મહાત્માઓએ આત્મારૂપ દેવને સાક્ષાત્કાર કરવાને અનેક સ્થળોએ શેધ કરી પરંતુ કેઈ સ્થાને તેને સાક્ષાત્કાર થયે નહિ. તેનું કારણ એ છે કે જ્યાં આત્મારૂપ દેવ હાય નહિ એવા જડ પદાર્થોમાં
For Private And Personal Use Only