________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
U
આત્માનું સ્વરૂપ પરમ જ્ઞાનરૂપ છે.
( ૨૪૯ )
સ્વસ્વરૂપમાં લીનતા થાય છે. સંપૂર્ણ કલેશથી મુકત એવું આત્માનું સ્વરૂપ છે. ભયબ્રેષાદિ કલેશનો જ્યાં ઉદય વેદાય છે ત્યાં આત્માનું સ્વરૂપ વેદાતું નથી. જે વખતે કલેશવાસિત આત્મા વર્તે છે તે સમયે આત્મા પોતાના આત્મસ્વરૂપમાં નથી પણ પરભાવમાં વતે છે એમ અવધવું. જે કલેશાદિથી મુકત એવું સ્વરૂપ વેદાય છે તેજ આત્મસ્વરૂપ છે. જેને ભયબ્રેષાદિ કલેશનો ઉદય છે તે સ્વકીય શુદ્ધાત્મસ્વરૂપથી બહિરાગદ્વેષરૂપ સાગરના કલ્લામાં અથડાતે છે એમ અવધવું. જેઓ કલેશમાં જન્મ વ્યતીત કરે છે અને નિઃશેષ કલેશથી મુક્ત એવું આત્મસ્વરૂપ અનુભવતા નથી તેઓ આત્માનું કલેશમુક્ત શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શકતા નથી. મૂર્તાવસ્તુઓમાં કંઈ આત્મતત્વ નથી; અતએ અમૂર્તા એવું આત્માનું સ્વરૂપ સંલક્ષીને તેને અનુભવ ગ્રહવા ધ્યાનની દીર્ઘકાળપરંપરાપ્રવાહભાવનોપયોગમાં સ્થિર રહેવું જોઈએ. કલેશમાં આત્માને જય વા વિજય નથી તેમજ કલેશથી કદાપિ આત્માનું સ્વરૂપ અનુભવી શકાય નહિ એવું અવબોધીને નિષ્કષાય એવું આત્મસ્વરૂપ યથાયોગ્ય પ્રાપ્ત કરવું યોગ્ય છે; મૂર્તવસ્તુઓમાં આત્માને કંઈ પણ ધર્મ નથી એવું અવધીને મૂર્ત વસ્તુઓની અહંતા દૂર ત્યજવી જોઈએ. મૂર્ત વસ્તુઓ સંબંધી રાગદ્વેષના યાવત્ વિકલ્પ થયા કરે છે તાવત્ અમૂર્ત એવું આત્મસ્વરૂપ ખરેખર અનુભવસાક્ષાત્કાર થતું નથી; મૂર્ત વસ્તુઓથી ભિન્ન એવું આત્મસ્વરૂપ વેદનાને મૂર્તવસ્તુઓની પેલી પાર રહેલું આત્મસ્વરૂપ અનુભવગમ્ય કરવું જોઈએ. મૂર્તવસ્તુઓ પર થતો અહંમમવાધ્યાસ ટળવાની સાથે આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવ વેદવા યોગ્ય થાય છે. બાહ્યજીવનની દશા એવી છે કે મૂર્તવસ્તુઓને બાહ્ય જીવન રક્ષણાર્થે ગ્રહ્યા વિના ચાલે તેમ નથી એમ અવબોધ્યા છતાં વિશેષતઃ અવબોધાવવાનું કે બાહ્ય મૂર્ત વસ્તુઓ ભલે ગ્ય પ્રમા
માં બાહ્યજીવનના રક્ષણાર્થે લેવાય પરંતુ આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવવા માટે તે મૂર્ત વસ્તુઓ પર થતા અહંવૃત્તિના અધ્યાસને તો દૂર કરે જોઈએ. મૂર્ત વસ્તુઓ જગતમાં છે તે ટળી જતી નથી પરંતુ મૂર્ત વસ્તુઓ છે તે આત્મા નથી એવો ખાસ અનુભવ થવો જોઈએ. મૂર્ત વસ્તુથી ભિન્ન એવું અમૂર્ત સ્વરૂપ વસ્તુતઃ આત્માનું છે એમ અનુભવ્યા પશ્ચાત્ મૂર્તવસ્તુઓ દ્વારા આત્મામાં રતિ વા અરતિ આદિની કઈપણ અસર ઉત્પન્ન થવા પામતી નથી. મૂર્તવસ્તુઓમાંથી અહંવૃત્તિ વિલય પામ્યા પશ્ચાત્ મૂર્ત વસ્તુઓ કંઈ આત્માને બંધનક્ત થઈ શકતી નથી. આત્માનું મૂર્તસ્વરૂપ અનુભવવાને માટે અમૂર્તભાવનાને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. આત્માનું સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે-એમ કથવાનું તાત્પયાર્થ એ છે કે પરમાક્ષર વિનાનું જ સ્વરૂપ છે તે આત્માથી ભિન્ન છે એમ અવધવું. પરમાક્ષર સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે; આત્મા છે એમ વદનારા તથા શ્રદ્ધા કરનારા અનેક મન મળી આવે છે પરંત આત્માનું પરમાક્ષરરૂપ અનભવનારા તે કિંચિત્ વિરલ ૩૨ -
For Private And Personal Use Only