________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપયોગી જાગૃત અને અનુપયોગી નિદ્રિત.
( ૨૪૫ )
હાનિ થતી નથી ત્યારે લેભ પરિણામ કરવાની કંઈ પણ જરૂર નથી એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. પુનઃ કથવું પડે છે કે કામપરિણતિને સેવ્યા વિના આ વિશ્વમાં આનંદમય જીવનથી જીવી શકાય તેમ છે. કામપરિણતિ વિના બાહ્ય વ્યવહારમાં પ્રવર્તતાં અનેક અનર્થોથી મુક્ત થવાય છે અને વ્યવહારસ્થિતિમાં તથા ધર્મસ્થિતિમાં પ્રગતિ કરી શકાય છે. સાધ્યદેશના લક્ષ્યબિંદુ પ્રતિ ઉપયોગ ધારીને અધિકાર પરત્વે સ્વફરજ સેવતાં ગમે તે કાર્ય પ્રસંગે કોઈની પણ નિંદા કરવાની વા કેઇની પણ ઈર્ષ્યા કરવાની જરૂર રહેતી નથી. પોતે પોતાના કાર્યમાં પ્રવર્તવું જોઈએ. કોઈની નિંદા અને ઈર્ષ્યા કરવાથી બાહ્ય જીવનની તથા આંતર જ્ઞાનાદિ જીવનની અંશ માત્ર પણ પ્રગતિ કરી શકાતી નથી એમ જ્યારે અનુભવ થાય છે તે પછી નિંદા અને ઈષ્યને સેવ્યાવિના સ્વસ્વાધિકારવાળા કર્તવ્ય કાર્યમાં અનેક સાપેક્ષતાએ પ્રવર્તવાની જરૂર છે-એટલું લક્ષમાં રાખીને નિઃકષાયભાવે વ્યાવહારિક અને ધાર્મિકકર્મયોગ સેવવો જોઈએ.
આત્મજ્ઞાની ઉપગ વડે વ્યાવહારિક અને ધાર્મિક કર્મવેગને આદરવા શક્તિમાન થાય છે. ઉપગપૂર્વક સર્વકાર્યો કરવાથી આત્માની અને સમાજની ઉત્ક્રાન્તિ કરી શકાય છે. ઉપયોગવિના લાભાલાભકાર્યની શકયતા અને તેના સાધનોને નિર્ણય થઈ શકતો નથી. ઉપગવિના પ્રારંભિતકાર્યપ્રવૃત્તિમાં અનેક ગુપ્ત વિદને પ્રગટ થવાનાં હોય છે તેની પરિપૂર્ણ સમજણ પડી શકતી નથી. લઘુમાં લઘુ અને મહતમાં મહતું કાર્ય કરતાં પૂર્વે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તત્ તત્ કાર્ય સંબંધી દીર્ધદષ્ટિવડે ઉપગ કરવો જોઈએ. ઉપયોગી મનુષ્ય જાગૃત છે અને કાર્યમાં પ્રવૃત્ત છતાં અનુપયોગી મનુષ્ય નિદ્રાયુક્ત છે એમ અવબોધવું. વ્યાવહારિક અને ધાર્મિકકર્મોની આવશ્યકતા સ્વીકારીને આત્મજ્ઞાની પ્રત્યેકકાયને રાગદ્વેષ પરિણામની મંદતાએ કત્તત્ર ફરજ અદા કરવાની દૃષ્ટિએ તટસ્થભાવે અંતરથી ભિન્ન રહી ઉપગપૂર્વક કરે છે. અએવ તે કાર્યની સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં વા કાર્યની અસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં હર્ષશેકથી વિમુકત રહે છે. તટસ્થભાવે કર્તવ્યફરજને માત્ર અદા કરવાની દૃષ્ટિએ પ્રત્યેક કાર્ય કરતાં કાર્ય સિદ્ધ થાય વા ન થાય તો પણ તેથી હૃદયમાં હર્ષ વા શકને આઘાત ન થવાથી નિર્લેપત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી આત્મોન્નતિના વિકાસકમમાં અગ્રિમેચ્ચે દશામાં આરોહણ થતું જાય છે. પ્રત્યેક કાર્યને સ્વફરજની દૃષ્ટિએ કરતાં અને તટસ્થભાવે રહેતાં બહિરદૃષ્ટિએ વિશ્વને કદાપિ પિતાને માટે આસક્તિ અવબોધાય પરંતુ ઉપગપૂર્વક વિચા રતાં સ્વાત્માજ સ્વનિર્લેપત્વની સાક્ષી આપી શકે એમાં કિંચિત પણ વિરોધ વા સંશય નથી. આત્મજ્ઞાની સ્વકર્તવ્ય ફરજની દૃષ્ટિએ વ્યાવહારિક તથા ધાર્મિક કર્મને કરતે છતે ભયાદિથી વિમુખ રહે છે. લોકસંજ્ઞા ભયની યાવતુ વાસના રહે છે તાવત્ કર્મવેગમાં પ્રવર્તવાનો અધિકાર સંપ્રાપ્ત થતો નથી એમ માનવું એ યુકિતયુક્ત છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું
For Private And Personal Use Only