SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. જ્યારે ઉચ્ચ માનવામાં આવે ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. આત્મા અને પુદ્ગલ એ બેનું વસ્તુતઃ સ્વરૂપ વિચારવામાં આવે તે અહંકાર પરિણતિને સેવવાની કંઈ પણ જરૂર રહેતી નથી. ગુરુને ધર્મ છે કે શિષ્યને ભણાવ અને શિષ્યને ધર્મ એ છે કે નિયમપૂર્વક ગુરુની સેવા કરવી. ગુરુ પોતાના ધર્મ પ્રમાણે શિષ્ય પ્રતિ પિતાની ફરજ અદા કરે છે તેમાં શિષ્ય પિતાને પગે લાગે છે તેથી અહંકાર કરવો એવી પરિણતિ સેવવાની તેને જરૂર રહેતી નથી. શિષ્ય ગુરુને વંદન કરી પગે પડવું એ તેની પિતાની ફરજ છે તેથી શિષ્ય અહંકાર કરીને ગુરુને નહિ વાંદવા એવી તેણે માનપરિણતિ ન સેવવી જોઈએ. ગુરુ અને શિષ્ય એ બન્નેએ સ્વસ્વાધિકાર પ્રમાણે વર્તવું જોઈએ. પરંતુ માન પરિણતિ ન સેવવી જોઈએ. પિતાને માન અર્થાત્ અહંકાર પરિણતિ કેમ ઉત્પન્ન થાય છે તે તેને વિચાર કરવાથી સમજાય છે. યદિ માનપરિણતિ જણાતી હોય તો તેને શમાવવી અને યદિ માનપરિણતિ ન થઈ હોય અને સ્વક્તવ્યાધિકારપ્રવૃત્તિને કેઈ અહંકારાર્થે કથે તે તેથી કર્તવ્ય કાર્યની ફરજને અદા કરવાથી ભ્રષ્ટ થવું નહિ તથા લકસંજ્ઞાની ભીતિ રાખવી નહિ. ભીતિ એ વસ્તુતઃ આત્માને ધર્મ નથી. મનની કપનાથી ભીતિ ઉદભવે છે. ક્રોધ માન માયા અને લેભની પરિણતિ પિતાનામાં પ્રક્રી છે કે નહિ તેને વિવેકપૂર્વક વિચાર કરવાથી બાહુબલીએ જેમ પોતાને માન છે એમ નિર્ધાય તેમ સ્વયં તેને નિર્ધાર કરી શકાય છે. ક્રોધાદિક પરિણતિને સમાવવાને કર્તવ્ય ફરજ અને આત્માની શુદ્ધતાનું સાધ્યબિન્દુ એ બે બાબતને ઉપગ ધારણ કરવાથી ગમે તેવા પ્રસંગે ગમે તેવા કાર્ય પ્રસંગમાં મગજની સમાનતારૂપ સમાધિ સેવી શકાય છે. વિશ્વમાં કપટ પરિણામને સેવ્યા વિના પિતાની ફરજ અદા કરવાને અને ઉપાચોને સાધવાપૂર્વક જનસેવાની જરૂર છે; પરંતુ હૃદયમાં કપટ પરિણામને પ્રકટાવવાની યકિંચિત્ પણ જરૂર નથી. શ્રીપાલ રાજા અને ધવળ શેઠનું દષ્ટાંત ખરેખર હૃદય આગળ ખડું કરીને વિચારવામાં આવે તો તેથી કપટપરિણામ સેવ્યાની કંઈ પણ જરૂર જણાશે નહિ. ધવળ શેઠ કપટ પરિણામ સેવીને કંઈ પણ કાર્યસિદ્ધિ કરી શકયા નહિ. શ્રીપાળ રાજા પિતાની કર્તવ્ય ફરજને અદા કરી સ્વષ્ટ કાર્યની સિદ્ધિ કરી શક્યા. કુદરતનો એવો નિયમ છે કે કપટ ત્યાં ચપટ થયાવિના રહેતું નથી. અતએવ કપટ પરિણામ સેવ્યા વિના સ્વકર્તવ્યનિષ્ટ થવું જોઈએ. “આ વિશ્વમાં બાહ્ય જીવનમાં જીવવાની શી જરૂર છે અને વસ્તુતઃ કઈ રીતિએ ? ” એને સંપૂર્ણ વિચાર કરવાથી નકામા લેભના પરિણામ કર્યા વિના સ્વસ્વાધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાની ફરજ છે અને જે જે દશામાં પોતાના મસ્તકે જે જે ફરજો આવી પડે છે તેને તે તે દશામાં સિદ્ધ કરી શકાય છે. બાહ્ય જીવનને ઉપયોગી વસ્તુઓની પ્રાપ્તિ કરવાની જરૂર છે; પરંતુ તેથી લોભ કરે એ કઈ રીતે સિદ્ધ થતું નથી. જ્યારે લેભને પરિણામ સેવ્યા વિના બાહ્યવસ્તુઓની પ્રવૃત્તિ કરવાથી કોઈ જાતની સ્વપરને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy