________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
કર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને મૂળ અકષાય સ્વભાવ છે પરંતુ કષાય સ્વભાવ છે તે પરભાવપરિણતિ છે. પરભાવપરિણતિમાં આત્મા જ્યારે પરિણમે છે ત્યારે તે આત્માના મૂલધર્મથી પરાડમુખ થાય છે. જેમ જેમ કષાયની મંદતા ક્ષીણ થતી જાય છે તેમ તેમ આત્માના અધ્યવસાની શુદ્ધિ થતી જાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકેમાં આરોહણ થતું જાય છે. આત્માના અધ્યવસાયોની શુદ્ધિ થતાં ઉજવલલેશ્યાઓ પ્રકટે છે અને તેથી અશુભ પાપકર્મના સંબંધમાંથી નિવૃત્ત થવાય છે. પ્રત્યેક મનુષ્ય યાદ રાખવું કે પ્રત્યેક ક્રિયામાં પ્રવર્તતા પિતાના આત્માને ઉત્તલ પરિણામ વધે તેવી ભાવનામાં ઉપયોગી રહેવું. સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં ઉજવલ પરિણામથી પાપમાં લેપાવાનો વખત આવતું નથી. વિશ્વમાં જેમ મેરુ પર્વત કંપાયમાન થતો નથી તેમ સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં આત્માની સમભાવ પરિણતિનું ચલાયમાનપણું ન થાય ત્યારે ખરેખરા ઉત્તમ કર્મયેગીમાં પિતાને ગણાવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સાંસારિક કાર્યો ગૃહસ્થને કરવો પડે છે તેમાં કષાયભાવની ઉપશમતાપૂર્વક મગજની સમતલતા ન ખવાય એવી દશા પ્રાપ્ત કરવામાં આવે છે તેથી કર્મયેગીનું વાસ્તવિક પદ પ્રાપ્ત કરી શકાય છે. આવી સમભાવની દશા વિના કર્મચાગની પ્રવૃત્તિ એ સ્વપરને અત્યંત હાનિ પહોંચાડનારી છે એમ અજ્ઞાની અને અસમભાવી કર્મયેગીના મન આદિ યોગની પ્રવૃત્તિ પરથી અને અનુભવ આવ્યા વિના રહેશે નહિ. રાગદ્વેષ કષાયના આવેશથી પ્રારંભિત કાર્યોમાં અનેક વિઘો ઉભાં થાય છે. જેમ જે જે અધિકાર પર ફરજ માનીને કરવાનાં હોય છે તેમ તેમાં રાગદ્વેષને પરિણામ કરવાથી તે તે કાર્યોમાં કંઈ ફેરફાર થતો નથી; ત્યારે રાગદ્વેષ કષાય સેવવાની જરૂર શી છે ? અલબત્ત કંઈ પણ જરૂર નથી. તે બાબતમાં એટલું જ કહેવું પડે છે કે મગજની સમાનતા સંરક્ષીને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાના છે તે કરવાથી રાગદ્વેષને પરિણામ કરે પડતું નથી અને તેથી રાગદ્વેષના પરિણામે જે જે કર્મ ગ્રહવા પડે છે તે ગ્રહણ કરાતાં નથી તેમજ ચિત્તની પ્રસન્નતા રહે છે અને જ્ઞાનેપગની જાગૃતિમાં રહેતાં સારી રીતે કાર્યો કરી શકાય છે; તેથી પરિણામે સ્વપરને લાભ-શાંતિ થાય છે. મનુષ્યને સ્વભાવજ એવો હોય છે તેની કેઈ ને કોઈ કાર્યમાં કારણે પ્રવૃત્તિ તે હોય છે, પરંતુ જ્ઞાનપૂર્વક નિકષાય ભાવની મહત્તા તે અવધે અને તેની પ્રાપ્તિ કરે તો પૂર્વના કરતાં પિતાના આત્માની અને વ્યાવહારિક માર્ગની ઘણી ઉન્નતિ કરી શકે અને પ્રાંતે જ્ઞાનની પરિપૂર્ણ રીત્યા પ્રાપ્તિ થતાં તે તે દશાના અધિકારે કર્મવેગથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ શકેએમ અપ્રમત્તસાધુદશાના જીવનાદિની અપેક્ષાએ કથવામાં આવે છે. જે જે અંશે કષાય પરિણામથી મુકત થવું તે તે અંશે આત્માની સમાધિ જાણવી. કષાય પરિણતિ જેમ જેમ મંદ થતી જાય છે તેમ તેમ આત્મસમાધિની વૃદ્ધિ થતી જાય છે અને તે તે અંશે ઉપશમાદિ
For Private And Personal Use Only