________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ કરતાં સાધુ દશા ઉન્નત છે.
( ૨૪૧ ).
સર્વ પ્રકારના ધર્મોનું રક્ષણ થાય છે. નિકષાય પરિણામ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ આવશ્યક કાર્યોમાં વિજય સંપ્રાપ્ત થાય છે અને ઉપરના ગુણસ્થાનક પર આરેહણ થવાય છે. પ્રત્યેક કર્મચાગીએ યાદ રાખવું કે હું જે કરું છું તે મારી ફરજ છે. બાહ્યકાર્યોમાં મારું તારું કર્યા વિના અધિકાર પ્રાપ્ત થએલ કાર્યોને મારે કરવાં જ જોઈએ. કાર્ય કરવાં એ અધિકાર પ્રમાણે પિતાની ફરજ છે એમ માનીને અંતરથી ન્યારા રહી કાર્ય કરવાની જરૂર છે. રાજા પોતાના અધિકાર પ્રમાણે રાજ્યકાની ફરજને અદા કરે તો તે ગ્ય છે. શ્રી મહાવીર પ્રભુની પાટે બેસનાર એક આચાર્ય પોતાની ફરજ પ્રમાણે જે જે કાર્યો કરે તે એગ્ય જ છે અને તે તે કાર્યો તે કરે તેમાં પોતાની ફરજને અદા કરે છે અને જે ફરજને યદિ વિમરે તે આચાર્યપદથી ભ્રષ્ટ થાય છે. અએવ આચાર્યો પિતાની ફરજ અદા કરવી અથવા પિતાની ફરજ પ્રમાણે ન વર્તવાની રુચિ હોય તો તે પદ અન્યને સેંપી તેનાથી નિવૃત્ત થવું. જે જે અધિકાર પ્રમાણે જે જે કાર્યોની ફરજ અદા કરવામાં કષાયો આવીને ઉભા રહે તે તેના સ્વામું યુદ્ધ કરીને કષાયોનો પરાજય કર જોઈએ. પરન્તુ કર્તવ્યભ્રષ્ટ થવાથી એકદમ મુકિતપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સ્વાધિકાર સ્વસ્વકાર્યોની ફરજથી ભ્રષ્ટ થએલ મનુષ્ય સ્વયં ભ્રષ્ટ બને છે, એટલું જ નહિ પરંતુ તે પોતાના વિચારો અને આચારોના વાતાવરણની અસરથી અન્યને પણ ભ્રષ્ટ કરી શકે છે, અને તેથી કષાયેના વાતાવરણને તે અનેક પ્રકારે ફેલાવનારો બને છે. અતએવ શુષ્કજ્ઞાની વા શુષ્કકિયામાર્ગી બનવું તે કઈ રીતે નથી. એમ પ્રત્યેક મનુષ્ય આ બાબતને વિચાર કરીને સાપેક્ષજ્ઞાનક્રિયાપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાનગપૂર્વક નિકષાય ભાવથી કર્મવેગમાં પ્રવૃત્ત થવાથી આત્મકલ્યાણ થાય છે અને તેથી વિશ્વસમાજ પર પણ કર્તવ્યકર્મની-ફરજની સારી અસર કરી શકાય છે. આ વિશ્વમાં ગમે તે સ્થિતિમાં જે જે કાર્યોની ફરજ અદા કરવાની હોય છે તે મારે કરવી જોઈએ, એમાં મારે કઈ કષાય કરવાની જરૂર નથી વા અહંમમતા કરવાની કોઈ જરૂર નથી એટલું માત્ર વિચાર કરીને પ્રવૃત્ત થવાથી અંતરથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રગટે છે. જે મનુષ્ય જ્ઞાન વિના દરેક કાર્યોની ફરજને પરિપૂર્ણ નિશ્ચય કર્યા વિના પ્રવૃત્ત થાય છે તેઓ જે કંઈ કરવા ધારે છે તેના કરતાં અન્ય કંઈ કરે છે અને કર્તવ્યકર્મની અવ્યવસ્થાપૂર્વક સંમૂચ્છિમ પંચેંદ્રિયની ગતિને અનુસરનારા થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ દશા અનંતગુણથી ઉત્તમ છે પરંતુ સમજવાનું એટલું જ છે કે ગૃહસ્થદશામાં ગૃહસ્થયેગ્ય ધર્મકર્મની ફરજ અદા કરવાની છે અને સાધુ દશામાં સાધુના યોગ્ય ધર્મકર્મની ફરજ અદા કરવાની હોય છે, તેનું સ્પષ્ટીકરણ યોગદીપક ગ્રંથના પ્રાંતભાગમાં કરવામાં આવ્યું છે તેથી ત્યાંથી તે અધિકાર અવલેકીને નિકષાય ભાવપૂર્વક વ્યાવહારિક ધાર્મિક
૩૧
For Private And Personal Use Only