SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૦ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. BR વ્યાવહારિક અને ધાર્મિક કર્મયોગમાં પ્રવૃત્તિ કરી શકે છે. કથવાના સારાંશ એ છે કે અવિરતિસમ્યગ્દૃષ્ટિ ગૃહસ્થાને અનંતાનુબંધી કષાયના ઉપશમાદિભાવપૂર્વક ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાની છે; તેમજ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્રવર્ણ વિભાગને ગુણકર્માનુસારે વ્યાવહારિક આવશ્યક કૃત્યોમાં પ્રવૃત્તિ કરવાની હોય છે. દેશિવરતિ ગૃહસ્થાએ અપ્રત્યાખ્યાની કષાયાના ઉપશમાદિ ભાવપૂર્વક અને પ્રત્યાખ્યાની કષાયાને નાશ કરવાની ઈચ્છાપૂર્વક ધાર્મિકકાર્યાંની અને વ્યાવહારિક કાર્યાંની ફરજ અદા કરવા સદા તે તે કષાયાની ઉપશમાદિની અપેક્ષાએ નિઃકષાયભાવે કર્મ યાગી ( કાર્ય યાગી—ક્રિયાયેગી ) બનવું જોઇએ; ઉપર કથેલા જે જે ગુણસ્થાનકને ધારણ કરનારા હોય તેઓએ વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યોની આવશ્યક ફરજોમાં સદા પ્રવૃત્ત રહેવુ જોઇએ. જે જે મનુષ્ય પોતે જે જે સ્થિતિમાં છે ત્યાં તે સ્વસ્થિતિ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યોની ફરજ અદા કરતા રહે છે તેથી તે નિ:કષાય ભાવ પ્રાપ્ત કરવાને સમર્થ થાય છે. ગૃહસ્થા અને સાધુએ સ્વધર્મને પેાતાની ફરજ માનીને અદા કરે છે તે તેથી તે અંતરથી નિર્લેપ રહેવા કિતમાન થાય છે. પાતપાતાના વ્યાવહારિક ધર્માંકમાગમાં પ્રવૃત્ત રહેનારા ગૃહસ્થા અને સાધુએ નિઃકષાય ભાવની કસોટીએ ચઢીને સુવર્ણની પેઠે નિલ રહી શકે છે; જેમ ગૃહસ્થાને અને ત્યાગીઓને ક્રોધ માન માયા લાભ કામ નિંદા અને ઇર્ષ્યાદિના ઉપશમ થતા જાય છે તેમ તેમ તેઓ વ્યાવહારિક ધર્મકર્મયોગમાં આદર્શ પુરૂષ થતા જાય છે; તેથીજ નિઃકષાયતાપૂર્વક સર્વકાર્યાંને તટસ્થ ભાવે સાક્ષીપૂર્વક એક ફરજ માનીને કરવામાં આવ્યાથી તેને ઉચ્ચપદ પ્રાપ્ત થાય છે. ચારે વર્ણના મનુષ્ય ધર્મયાગ અને સ્વસ્વ ગૃહસ્થસ્થિતિવ્યાવહારિક કૃત્યોને સેવનારા હાય છે-તેમાં તેને કદાપિ છૂટકા થવાના નથી. પરંતુ તેમાં કથ્ય સારાંશ એ છે કે-રજોગુણ અને તમેગુણુ વિના અર્થાત્ તે તે સ્થિતિના નિઃકષાય ભાવપૂર્વક તેમાં તે પ્રવૃત્ત રહે તે ઉપરની સ્થિતિ પ્રાપ્ત કરી શકે અને મોક્ષમાર્ગની આરાધના થઇ શકે. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે ગૃહસ્થોમાં અને ત્યાગીઓમાં ધર્મકર્મની સુધારણાવડે સ્વસ્વાધિકારે આવશ્યક કર્મયોગની પ્રવૃત્તિ થયાં કરે છે; અને સર્વજ્ઞાનીએ કે જે ભૂતકાળમાં થયા, વર્તમાનકાળમાં થાય છે અને ભવિષ્યકાળમાં થશે. તેને એક સાધ્ય-લક્ષ્યમિંદુની અપેક્ષાએ એક સરખા ઉદ્દેશ હોવાથી આગમાવિરુદ્ધપણે એક સરખી કર્મયોગની વ્યવસ્થા તેઓની ગણાય છે અને તેમાં જ્ઞાનીઓની આજ્ઞાજ છે. કષાયના અભાવપૂર્વક આન્તરવિશુદ્ધિ જેમ જેમ વધતી જાય છે અને આત્મસાક્ષીએ તટસ્થ ભાવની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ કાર્યની પ્રવૃત્તિમાં નિલે પપણું વધતુ જાય છે; આંતરનિલે પતાપૂર્વક કાર્યો કરવાથી વ્યવહારમાં વિજયી થવાય છે અને તેથી પિરણામ એ આવે છે કે પેાતાના આદર્શ જીવનની અસર વિશ્વ પર થતાં વિશ્વના મનુષ્ય નિલે પભાવે ક યાગમાં પ્રવૃત્તિ કરે છે તથા તેથી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy