SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 બ્રહ્મચર્યનું સંરક્ષણ પ્રેમ થાય? ( ૨૩૯ ) ભાગની નિંદા કરવા માત્રથી વા અન્ય મૈથુનકામીએની નિંદા કરવા માત્રથી કામને જીતી શકાતા નથી. વસ્તુતઃ કામને જીતવા હોય તેા કામના સ‘કલ્પવિકલ્પે કેવી રીતે, ક્યાંથી, કયા કારણે કેવા સંયોગામાં કેવી ક્ષણિક સુખની બુદ્ધિથી ઉઠે છે અને તેનું શું પરિણામ આવી શકશે તેના વિવેકપુરઃસર વિચાર કરીને સત્ય સુખને માર્ગ અવલબવા જોઇએ. કામને જીતવાને માટે આંતરિકેચ્છાઓના પ્રાકટ્ય પ્રતિ અત્યંત લક્ષ્ય આપવું જોઇએ. કામની ઈચ્છાઓના પરિણામથી કનો બંધ થાય છે અને કામની ઈચ્છાએ ન પ્રકટે ત્યાં એવા ઉપયાગ ધારવાથી આત્મધર્મ પ્રકટે છે એવું આંતરિક ધરહસ્ય અવમેધવુ જોઇએ. કામમાં પરિણમતા વીય ને રોધ કરવા હોય તે ખરેખર તેના સામી પ્રખળ જુસ્સાથી બ્રહ્મચર્યની ભાવના ભાવવી જોઇએ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગયોગની સિદ્ધિમાં આગળ પડતા ભાગ લેવા હોય તેા કામની ઈચ્છાને સમાવવી જોઇએ. વિશેષ શું કહેવું ? કહેવાના સંક્ષેપમાં સાર એ છે કે-કામની વાસનાએને જેમ બને તેમ જય કરવા પ્રયત્નશીલ થવું; પણ વિશેષતઃ સૂચના કરવાની એ છે કે કામની વાસનાઓને જીતતાં અવૃત્તિ-અન્યાની નિંદા અને ઇર્ષ્યા વગેરે દોષો ન સેવવાં જોઇએ. કદાપિ એ દ્વેષ! સેવાયાં તે સમજવું કે બ્રહ્મચર્ય એ નામ માત્ર રહેશે. કેાઈની નિન્દા કરવાથી વસ્તુતઃ બ્રહ્મચર્ય જે પ્રાપ્ત થાય છે તે કદિ પ્રાપ્ત થઈ શકતું નથી. કામને જીતવા હાય તેા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઇએ. જડવાદીઓ કામની ઇચ્છાઓના તાબે થાય છે અને આત્મવાદીએ કામની ઇચ્છાઓને જીતી સમભાવે આત્મધર્મ રમણતારૂપ બ્રહ્મચને પાળી શકે છે. ગૃહસ્થો ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે સ્વદ્યારાસ તાષ અને પરસ્ત્રીમૈથુનને ત્યાગ કરીને દેશતઃ વિરામ પામી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. અવિરતિસમ્યગ્દષ્ટિગૃહસ્થ દેશવિરતિ બ્રહ્મચર્યની ભાવના ધારે છે પરંતુ તેએ કના ઉદ્દયથી દેશવિરતિ બ્રહ્મચર્ય ની ઇચ્છાપૂર્વક દેશવિરતિ બ્રહ્મચર્યને પાળવા સમર્થ થતા નથી. ત્યાગી સાધુએ કામના રોધ કરીને સર્વથા બ્રહ્મચર્યને પાળવા સમર્થ થાય છે. અતિચારાદ્વિ દોષા લાગે છે તેનું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને બ્રહ્મચર્ય વ્રતની આરાધનામાં પ્રવૃત્ત થાય છે. આ કાળમાં જૈનષ્ટિએ સાધુઓને અકુલ અને કુશીલ નિગ્રંથપણું છે તેથી તેવી સ્થિતિ પ્રમાણે વને સંજવલનના કષાયે! જીતવા પ્રયત્ન કરી શકે છે. આ કાળમાં સાધુઓને સરાગ સંયમ કથ્યુ છે. તેથી આ કાળમાં વીતરાગ સંયમની પ્રાપ્તિ થઈ શકે નહિ. વેદાન્તદૃષ્ટિએ સર્વથા કામ જીતાય છે અને પૂર્ણ આત્મસંયમની પ્રાપ્તિ થઈ શકે છે–એમ પ્રતિપાદ્યું છે. સાધુએ પોતાના અધિકાર પ્રમાણે રાગદ્વેષને રુંધવાપૂર્વક પોતાના સાધુધમ ચેાગ્ય ઉત્સર્ગ અને અપવાદમા પ્રતિપાદિત ધર્મ ક યાગમાં પ્રવૃત્ત થઇ શકે છે. આ કાળમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થો પેાતાના અધિકાર પ્રમાણે અનંતાનુબંધી કષાયે જીતવાપૂર્વક અને અનંતાનુબંધી કષાયેની અભાવતાની અપેક્ષાએ નિઃકષાયતાપૂર્વક For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy