________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
.
-
જા જ
કમાય જાજ
-- --
( ૨૩૪)
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
પ્રતિક્રમણ થતું નથી. હડકાયેલા શ્વાન અને હડકાયેલા ગાલના વિષની પરંપરા જેમ પ્રવર્તે છે હડકાયું સ્થાન જેને કરડે છે તેને હડકવા ચાલે છે, અન્યને કરડે છે તો અન્યને હડકવા ચાલે છે એમ હડકાયાની પરંપરા ચાલે છે તદ્દનું કામની વાસના ખરેખર હડકવાની પેઠે મનની સાથે વર્યા કરે છે. મનમાં ઉત્પન્ન થએલ કામનો વિકાર પતે શમે છે ત્યારે તેની પાછળ કામની વાસનાનું મનમાં બીજ મૂકતે જાય છે અને તેની પરંપરા પ્રવત્યાં કરે છે. અતએ કામના એક સંક૯૫માત્રને પણ સ્થાન ન આપવું એ એગ્ય છે. એક વખત જે મનમાં કામનો વિકાર પ્રકટ્યો તો તેની પરંપરા થતાં પશ્ચાત્ તેનો નાશ કરવો મુશ્કેલ થઈ પડે છે. શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શને ભેગા કરવાની જે ઈરછા તેજ કામવિકાર છે અને તે કામવિકારથી બ્રહ્મચર્ય કે જે વસ્તુતઃ આત્માની શીલ પરિણતિ છે તેની સિદ્ધિ થતી નથી. શારીરિક વીર્યની રક્ષા કરવી એ દ્રવ્યબ્રહ્મચર્ય છે, અને બાહ્ય વિષયોમાં રાગદ્વેષવિના આત્મજ્ઞાનાદિ ગુણેમાં રમણતા કરવી તે ભાવ બ્રહ્મચર્ય છે. સમ્યજ્ઞાનપૂર્વક આત્માના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરતાં જ્યારે સહજ ખુમારી પ્રકટે છે ત્યારે કામગની તુચ્છતા અને ક્ષણિકતાને ખરેખર ખ્યાલ આવે છે. બ્રહ્મચર્યના ગુણેનો અનુભવ આવ્યા વિના બ્રહ્મચર્યની કિંમત આંકી શકાતી નથી અને બ્રહ્મચર્યની મહત્તા અવબોધ્યા વિના કામભેગથી નિવૃત્ત થવાતું નથી. કામગની વાસનાએનો સ્વામાં પણ ચિતાર ખડે ન થાય એવી દશા થયા વિના આત્મસમાધિસુખને રવાદ વેદાતો નથી. કામ ત્યાંસુધી મન પર સત્તા ચલાવી શકે છે કે જ્યાં સુધી કામની અસારતાને અનુભવ અને ઇન્દ્રિયાતીત સુખને અનુભવ થયો નથી. કામના વિકારોને જીત્યાવિના પુરુષાર્થ ગણી શકાતા નથી અને પુરુષાર્થ વિના પુરુષત્વ કયાંથી હોઈ શકે તે વિચારવા જેવું છે. આકાશમાં ચડી શકાય અને અનેક પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કરી શકાય પરંતુ કામના વિકારે પર જ્ય મેળવવો એ સર્વ કરતાં દુષ્કર કાર્ય છે. જેણે આત્મજ્ઞાન સંપ્રાપ્ત કર્યું છે તે કામના વિકલ્પસંકલ્પોને નાશ કરવા સમર્થ થાય છે. આત્મજ્ઞાની કામના વિચારોને દબાવવાના ઉપાયો જાણી શકે છે. નિકાચિત પ્રારબ્ધ કર્મ કે જે અવશ્યમેવ જોગવ્યા વિના છૂટકે થતો નથી તેવું કર્મ ઉદયમાં આવે છે ત્યારે તે આત્મજ્ઞાની સમભાવે તે કર્મને ભેગવે છે તેથી તે કર્મની નિર્જરા કરે છે અને સમભાવવડે આત્મા ભાવી નવીન કર્મ ગ્રહો નથી. કામવિષયનિકાચિત ભેગાવલિ કર્મ કયા જીવને છે અને ક્યા જીવને નથી, કયા જીવને કયારે તે ઉદયમાં આવવાનું છે તેની ખબર અતિશયજ્ઞાનીઓને હોઈ શકે. કામવૈષયિકનિકાચિત ભેગાવલી કર્મ તે આત્મજ્ઞાનીને અવશ્ય જોગવવું પડે છે. કામવૈષયિક નિકાચિતકર્મનો ઉદય એ બળવાન હોય છે કે આત્માની ઉપયોગધારાને અવળી કરી નાંખે છે. જેવી રીતે મહાનદીમાં રેલ આવે છે ત્યારે તે ગામડાં તટ પર રહેલાં વૃક્ષેને ખેંચી લઈ જાય છે તદ્રત નિકાચિત ભેગાવલીકર્મની રેલ પણ એવી બળવતી
For Private And Personal Use Only