________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામ વિકારથી રાગદેષની વૃદ્ધિ થાય છે.
( ૨૩૩ )
વામાં આવે છે અને કર્તવ્યકર્મમાં કષાયની સમતાપૂર્વક વર્તાય છે તેમ તેમ આત્મકલ્યાણમાં આગળ વધાય છે અને અન્ય જીવોને આત્મકલ્યાણમાં પ્રવર્તાવી શકાય છે. ઉપર જેમ લોભ કષાયોનો નાશ કરવાથી આત્માની પરમાત્મતા થાય છે તે સંબંધી જેમ અ૮૫ કથવામાં આવ્યું છે તેમ કામવિકારને માટે અવધવું. શરીરમાં કામના પુદ્ગલે રહે છે તેને પુરુષ સ્ત્રીવેદ અને નપુંસદ તરીકે અવબોધવાં. વીર્યના પુદ્ગલોથી સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદપ્રકૃતિપગલસ્કંધ ભિન્ન છે. પુરુષવેદાદિ પુદગલ સ્કંધના ઉદયમાં વીર્યાદિ પુદ્ગલ નિમિત્તરૂપે પરિણમે છે. પુરુષવેદાદિ પ્રકૃતિ સર્વથા ક્ષીણ થતાં વીર્યાદિ પુદ્ગલો કદી પુરુષવેદાદિ પ્રકૃતિને વિકારવાને શકિતમાન્ થતાં નથી. પુરુષવેદાદિ વિકારથી રાગદ્વેષના પરિણામની વૃદ્ધિ થાય છે અને તેથી સંસારમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરવું પડે છે. આત્મજ્ઞાનથી પુરુષવેદવિકારને નષ્ટ કરવાનો વિવેક પ્રગટે છે. પુરુષવેદને નવમા ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. પુરુષવેદાદિને નાશ કરવાથી આત્મસમાધિ સુખની પ્રાપ્તિ થાય છે. કામવિકારને જીતવાથી મનના અનેક સંકલ અને વિકલ્પોને નાશ થાય છે અને મનની સ્થિરતા થાય છે. મનની સ્થિરતા થવાથી આત્મામાં સ્થિરતા થાય છે. કામવિકારથી મન વચન અને કાયાની ક્ષીણતા થાય છે. કામવિકારથી અનેક દેને ઉદ્ભવ થાય છે. જ્યાં કામવિકાર છે ત્યાં રાગદ્વેષ સંકલ્પવિકલ્પપ્રચાર છે–એમ અનુભવીને કામવિકારની વૃત્તિને ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ કામવિકાર શમે છે તેમ તેમ બ્રહ્મચર્ય ગુણની પુષ્ટિ થાય છે. શબ્દાદિક પંચવિષમાંથી ઈષ્ટનિષ્ણવ જ્યારે ટળી જાય છે ત્યારે બ્રહ્મમાં-આત્મામાં ચરવાને અર્થાત્ રમણતા કરવાને ચેગ્યતા પ્રકટે છે. પંચેંદ્રિયના વિષયમાં સમભાવ પ્રકટવાથી કામવિકારની શાંતિ થાય છે. જેનામાં કામવિકાર પ્રકટે છે તે અનીતિવશ થઈને સહસ્રમુખવિનિપાત પામે છે. જે મનુષ્ય કામવિકારને આધીન થાય છે તે સર્વ પ્રકારની અવિવેકતાને પામે છે. એક રીતિએ કળીએ તો સર્વ પ્રકારની આપત્તિનું મૂળ કામવિકાર છે. દેશની રાજ્યની સમાજની અને આત્માની પાયમાલી કરનાર કામવિકાર છે. કામના આવેશથી આત્માની સ્વતંત્રતાથી વિમુખ થવાય છે અને પુદ્ગલસ્કંધના રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દપુદ્ગલેની આશાએ ક્ષણિક સુખ અને પરિણામે મહાદુઃખમય પાતંત્ર્ય ભેગવવું પડે છે. જેઓ કામની સત્તાના તાબેદાર થાય છે તેઓ આત્મારામના તાબેદાર રહેતા નથી. કામની સત્તાને તાબેદાર થએલ મનુષ્ય વિશ્વને તાબેદાર બને છે અને તેની આંખની ચોતરફ કાળું વાદળું (એક જાતનું એવું વાદળું) છવાય છે કે જેનાથી તે સત્ય દિશા તરફ ગમન કરવા શકિતમાન થતું નથી. કામવિકારથી કેઈને સત્યસુખ પ્રગટયું નથી અને ભવિષ્યમાં પ્રગટનાર નથી એમ અનુભવજ્ઞાનદષ્ટિએ અનુભવતાં સત્યાનુભવ આવ્યાથી પશ્ચાતુ કામગોમાંથી ચિત્તવૃત્તિ ઉડી જાય છે. તે વિના કદી કામભેગોમાંથી ચિત્તવૃત્તિનું ૩૦
For Private And Personal Use Only