________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાધિકાર પ્રમાણે કર્મ–પ્રવૃત્તિ કરવી.
( ૨૩૧ )
કરવાની છે તે ખાસ અદા કરવી જોઈએ. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ જને શાસનસેવાપ્રભુભકિત-ગુરુભક્તિ ધર્મની રક્ષા અને પ્રભાવનાદિ કૃમાં સદા તત્પર રહેવું જોઈએએ તેની સ્વાધિકાર કર્તવ્યાજ્ઞા છે એમ અવબોધવું. દેશવિરતિ ગૃહસ્થ વ્રતોને અંગીકાર કરવાં. સપ્તક્ષેત્રનું પિષણ કરવું, સાધર્મિક વાત્સલ્ય કરવું, જંગમ અને સ્થાવર તીર્થોની સેવા-રક્ષા કરવી અને તેઓની પ્રભાવના કરવી, દેવગુરુ અને ધર્મની આરાધના રોગ્ય ધર્મકાર્યો કરવા ઈત્યાદિ ધર્મવ્યવહારદષ્ટિએ દેશવિરતિ ગૃહસ્થ મનુષ્યની સ્વાધિકાર જે જે ફરજે શાસ્ત્રમાં લખેલી છે તે તે ફરજેને આત્મજ્ઞાન પામીને યથાશક્તિ આરાધવી-પણ ધર્મવ્યાવહારિક કૃત્યથી જ્યાં સુધી ગૃહાવાસમાં રહેવાનું છે ત્યાં સુધી કદાપિ પરામુખ થવું નહિ. એજ ગૃહસ્થને સ્વાધિકારે ધાર્મિક કર્મોની કર્તવ્યદિશા અવબોધવી. જે સંસારનો ત્યાગ કરીને સાધુઓ થયા છે તેઓને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવનાયોગે ઉત્સર્ગ અને અપવાદથી સાધુયોગ્ય કર્મોની ફરજ બજાવવી જોઈએ. આચાર્ય– ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર–રન અને સામાન્ય સાધુઓને આવશ્યક કાર્યો કરવા જ જોઈએ. તીર્થરક્ષા-ઉપદેશ અને ધર્મનો પ્રચાર કરવાના ઉપાયમાં પ્રવૃત્તિ, સાધુ અને સાધ્વીને સંઘ વધારવાનો પ્રયત્ન, પ્રતિક્રમણ-પ્રતિલેખન-પઠન પાઠન-વિહાર આદિ જે જે કૃત્ય આગમાં જણાવ્યાં છે તે તે કરવાં જોઈએ. સાધુઓના સ્વાધિકાર પ્રમાણે જે જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભારે ઉત્સર્ગ અને અપવાદમાગું કૃત્યે પ્રતિપાદન કરેલાં છે તે અવશ્ય કરવાં જોઈએ અને અંતરથી આત્મજ્ઞાનમાં જે જે કષાયે ટાળીને રમતા કરવાની કથી છે તે કરવી જ જોઈએ. ગૃહસ્થને ત્યાગીઓ સ્વસ્વદશોચિત આવશ્યક કાર્યો જે તેઓ દેશકાલાનુસારે ન કરે અને શુષ્કજ્ઞાની અને તે તેઓ ધર્મોત્થાપક માર્ગને અનુસરનારા થાય છે. પ્રસંગોપાત્ત નિષ્કષાયભાવે આવશ્યકકાર્યોની કરણીયતાના વિવેચન સમયે આટલું સંક્ષેપથી કથવામાં આવ્યું છે. વિશેષાનુભવ તો ગીતાર્થોની ઉપાસના કરી મેળવવો અને આત્મજ્ઞાનપૂર્વક કષાયોને જીતવાની સાથે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ગૃહસ્થોએ વર્ણાદિકની અપેક્ષાએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી તથા સાધુઓએ સ્વાચિત ધાર્મિક કાર્યોમાં ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્તિ કરવી. કર્મચગપ્રવૃત્તિમાં કક્ષાની મન્દતા થાય એવી આત્મિક ભાવના ધારણ કરવી. જ્યાં સુધી ગૃહસ્થદશા છે ત્યાંસુધી ગૃહસ્થચિત કર્તવ્ય કર્મોને વિવેક અને યતનાપૂર્વક દેશકાલાનુસારે નિર્લેપતાની સાથે કરવો જોઈએ; પણ ગૃહસ્થષે સાધુના ધર્મોની ક્રિયાઓ કરવી એ વ્યવહાર ધર્મ વિરુદ્ધ છે. સાધુઓએ સાધુઓને ઉચિત જે જે કાર્યો કચ્યાં છે તે કરવા જોઈએ પણ ગૃહસ્થનાં કૃત્ય ન કરવાં જોઈએ. એમ ગૃહસ્થ અને સાધુઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે કર્મમાં નિકષાયપૂર્વક પ્રવૃત્ત થવા લક્ષ દેવું જોઈએ.
જેમ જેમ આત્મજ્ઞાન અને નિકષાયભાવ થતું જાય છે તેમ તેમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ સ્વસ્વકર્માધિકારમાં ઉચ્ચ થતા જાય છે અને તેથી દેશમાં–
For Private And Personal Use Only