________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
( ૨૩૦ ).
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
કરીને આત્માના સત્યસુખથી પરભુખ થવું અને રાગદ્વેષની પરિણતિથી મનને ચંચલ કરી દેવું એ કઈ રીતે યોગ્ય નથી. આત્મામાં આત્મજ્ઞાનની પરિણતિ સતત જાગ્રત્ રહ્યા વિના લેભ પરિણામને નાશ કરી શકાતો નથી. આત્મજ્ઞાનયોગે આત્મા અને જડવસ્તુઓને ભિન્ન ભિન્ન જાણવાન ઉપગ રહે છે અને તેથી અસત્ય સુખ પર અને તેના હેતુઓને કદાપિ સત્યસુખપ્રદ તરીકે અવધી શકવામાં આવતા નથી. પૂર્વકર્મમેહનીયની પ્રબલ વાસનાના યોગે કદાપિ જડવસ્તુઓ પ્રતિ આકર્ષણ થાય, પ્રારબ્ધ કર્મયોગે જેમાં સુખ મનાયું નથી અને જેમાંથી સુખની બુદ્ધિ ટળી ગઈ છે એવી શાતાકારક વસ્તુઓને ભેગ પ્રાપ્ત થાય તે પણ આત્મજ્ઞાનીઓ તે તે વસ્તુઓને ભેગવતા છતાં તેમાં સુખ પરિણામને માનતા નથી તેથી તે નવીન કર્મથી અમુકાશે બંધાતા નથી અને અમુક કષાયના અબંધકપણાથી અપુનબંધક થયા છતાં સર્વ લોભાદિ કષાયોથી અલિપ્ત રહેવા શક્તિમાન થાય છે. લોભ કષાયના બે ભેદ છે. પ્રશસ્તલોભ અપ્રશસ્ત ભ. પ્રત્યેક કષાયના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પડે છે. પ્રથમ નિયમ એવો છે કે અપ્રશસ્ય કષાયને ત્યાગ કરીને પ્રશસ્ય કષાયના હેતુઓને અવલંબન કરવા. દેવગુરુ અને ધર્મના ચગે તેમના પર જે પ્રશસ્તભાવે કષાય થાય છે તેને પ્રશસ્તકષાય કWવામાં આવે છે. પ્રશસ્તકષાયને જેઓ દરરોજ કરતા હોય અને પ્રશસ્તક્ષાયની ઉપેક્ષા કરતા હોય તેમજ પ્રશસ્તકષાય વિના નિકષાય થવાની વાતો કરતા હોય છતાં નિકષાયભાવમાં જે રહેતા ન હોય એવા મનુષ્યએ પ્રથમ અપ્રશસ્ત કષાયમાંથી પ્રશસ્તકષાયમાં આવવા અને પશ્ચાતું નિઃકષાયભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જોઈએ; એજ શિક્ષા તેઓને એગ્ય છે. યદ્યપિ નિકષાયભાવમાં અમુક સમય પર્યત રહેવાનું હોય તો પણ પ્રશસ્તકષાય કર્યા વિના પ્રશસ્તકષાયના શુભાચાર એવા ધર્મના હેતુઓને સ્વાધિકારે ફરજ માની સેવવા જોઈએ. નિકષાયભાવમાં સ્થિરતા થયા છતાં શુભાચારમાં પ્રવૃત્ત રહેવાથી કદાપિ અધઃપાત થતો નથી. ગૃહસ્થદશામાં રહેલા આત્મજ્ઞાનીઓ નિલે પપણાથી ગૃહસ્થગ્ય કાર્યોને વિવેકશક્તિથી કર્યા કરે છે. પોતપિતાના ગૃહસ્થદશાના વર્ણાદિક અધિકાર પ્રમાણે જે ગૃહસ્થ ખરેખર આત્મજ્ઞાન પામીને જે જે કાર્યોને કરે છે તેમાં તેઓ અજ્ઞાની ગૃહસ્થ કરતાં અનંતગુણ ઉચ્ચ નિર્લેપ રહી શકે છે અને અજ્ઞાની ગૃહસ્થ કરતાં વિશ્વવ્યવહારદષ્ટિએ તેઓ. અન્યજીવોને અનંતગુણ લાભ આપવાને સમર્થ થાય છે. કષાયોના મંદપણથી સ્વસ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થજને આત્મજ્ઞાનયોગે ઉચિત કાર્યો કરતા છતા અજ્ઞાનીઓથી પાછા પડતા નથી અને તેઓ કઈ રીતે વ્યવહારમાં નિર્બળ જણાતા નથી પણ જેઓ નિર્બળ જણાય છે તેઓમાં સમ્યગસ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયોગ અને કર્મચગની ખામી છે એમ અવધવું.
આત્મજ્ઞાન પામીને ગૃહસ્થ જનોએ સ્વયોગ્ય ધાર્મિકકૃત્યની જે જે ફરજો અદા
For Private And Personal Use Only