________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shin Kailassagarsun Gyanmandir
લભ એજ પરતંત્રતાની બેડી છે.
( ૨૨૭ ).
લાવવું જોઈએ. કર્મની સાનુકૂળતા વિના લેભ ધારણ કરવાથી કેવળ કાયકલેશ-અશાતાશેક અને પાપના ભાગીદાર થવું પડે છે. જે જે વસ્તુઓની પ્રાપ્તિ માટે ઈછા કરવામાં આવે છે તે તે વસ્તુઓને શુભકર્મના ગે સહેજે મેળવી શકાય છે અને અશુભકર્મના યેગે મહાપ્રયત્ન કર્યા છતાં પણ તેની પ્રાપ્તિ થતી નથી. જે જે વસ્તુઓ કર્મના મેગે પ્રાપ્ત થવાની હોય છે તે સહજમાં પ્રાપ્ત થાય છે. તેને માટે લેભને પરિણામ ઉત્પન્ન કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી એમ અનુભવ કરવામાં આવે છે તેજ લેભને ઉપશમ ક્ષ પશમ અને ક્ષાયિકભાવ કરી શકાય છે. બાહ્યજીવન અને આન્તરજીવનને ઉપયોગી એવા સાધનની જરૂર છે એ વાત ખરી છે પરંતુ તેમાં લેભ અને મૂરછ ધારણ કરવાની કોઈ પણ રીતે જરુર નથી. બાહ્ય અને આંતરિક જીવનની ઉપગિતાવાળાં સાધનની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો જોઈએ પણ લોભ ન કરવો જોઈએ એ ખાસ લક્ષમાં રાખવા જેવી બાબત છે. નિર્લોભ દશાએ બાહ્યજીવન તથા આંતરિક જીવનની સંરક્ષા અને વૃદ્ધિ માટે ઉદ્યમ કરનાર આત્મજ્ઞાનીઓ હોય છે, કારણ કે તેવી દશા પ્રાપ્ત કરવાનો તેઓને અધિકાર મળે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યજીવન અને આંતરિક જીવનની પ્રગતિ સંરક્ષાદિ માટે પ્રવૃત્તિ કરે છે–તેમાં તેઓ પોતાની ફરજ ગણે છે. તેથી તેઓ અહંવૃત્તિ અને મમત્વવૃત્તિના દાસ બની શકતા નથી તેમજ તેઓ નિર્લેપતાને સાચવવામાં આત્મજ્ઞાનનો સમ્યગ ઉપગ કરી શકે છે. અજ્ઞાનીજીને બાહ્યજીવન પ્રગતિમાં લાભ ષ ચિંતા શાક અને હિંસાદિ અનેક પાપકર્મો કરવાં પડે છે. બાહ્યજીવન અને આંતરજીવનની પ્રગતિ તથા તેની રક્ષાના અધિકારી ખરેખર આત્મજ્ઞાનીઓ હોય છે. આંતરજીવનપ્રગતિ અર્થે બાહ્યજીવનની ઉપયોગિતાના અવબોધક આત્મજ્ઞાનીઓ થાય છે અને તેથી તેઓ જે કંઈ કરે છે તે કર્તવ્ય ગણીને નિર્લોભદશાએ નિર્લેપબુદ્ધિથી કરે છે. બાહ્ય જીવન જીવવું એ કંઈ આંતર જીવનની સાધ્યદશાના ઉપયોગ વિના જીવ્યું ગણાય નહિ. આંતરજ્ઞાનાદિ જીવને જીવતાં બાહ્ય જીવનની સંરક્ષાદિ માટે જે જે સાધન સામગ્રી પ્રાપ્ત કરી શકાય તેમાં કંઈ લેભપરિણામ વિના લેભ ગણી શકાય નહિ-એમ અનેક નયદૃષ્ટિએ સાપેક્ષભાવે બંધ થતાં વિશ્વમાં વાસ્તવિક નિલેભત્વ પ્રાપ્ત થાય છે, એમ જ્ઞાનયોગી થયા પશ્ચાત્ જે કર્મવેગી થાય છે તેનેજ કઈ અનુભવની ઝાંખી પ્રગટી શકે છે. લેભ પરિણતિનો નાશ થતાં આત્મામાં અનેક ગુણે પ્રગટી શકે છે અને તેનો પિતાના આત્માને ખ્યાલ આવે છે. ઈષ્ટ જડ પદાર્થોને લોભ કરવાથી તે સર્વે પ્રાપ્ત થઈ શકતા નથી અને ઊલટું મનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિણામે થયા કરે છે. જેને પરિણામ જેમ જેમ વધે છે તેમ તેમ માનસિક વાચિક અને કાયિકે પાધિ થયા કરે છે. લોભના પરિણામથી આત્મા ઉપર પાતંત્ર્યની બેડી પડ છે. અને તેથી આત્મસ્વાતંત્ર્ય સુખની ગંધ માત્ર પણ આવતી નથી. લોભ પરિણામથી સર્વ કર્મોનું ગ્રહણ થાય છે અને તેથી ચતુરશીતિ લક્ષનિમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરવું
For Private And Personal Use Only