________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮ )
શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન.
5
પડે છે. જન્મ જરા અને મરણનુ મૂલ કારણુ લાભ છે એમ અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને અનુભવથી અલાકતાં પણ સંસારનું કારણ લાભજ દેખવામાં આવે છે. સંસારમાં કલેશ-કંકાશ-યુદ્ધ વૈર-ઝેર–પ્રચા–હિંસા–ાડ–ચારી અને વ્યભિચાર વગેરે દુષ્ટ કર્યાં ખરેખર લાભના પિરણામથી થાય છે. દેશની સમાજની અને આત્માની સમૂળગી પાયમાલી કરનાર લેાભ પિરણામ છે-એમ અવોધીને લાભના પરિણામ ટળે એવા પ્રયત્ન કરવા જોઇએ. જેમ જેમ લાભની પિરણિત ટળે છે તેમ તેમ નિઃસ્પૃહતા સંતોષ અને સ્વાતંત્ર્ય સુખ વધતુ જાય છે. સર્વ પ્રકારે આત્મગુણાના વિનાશક લાભ છે એમ શાસ્ત્રકારો કથે છે તે ખરેખર સત્ય છે. સર્વ વસ્તુઓ સર્વને માટે છે. સર્વ દુનિયા એ મારું કુટુબ છે અને સર્વ વસ્તુ ખરેખર દુનિયારૂપ કુટુબની છે—એમ માનીને સર્વ વસ્તુઓને લાભ થાય છે તેને હૃદયથી દૂર કરવામાં આવે તે આત્મશાંતિની ઝાંખી પ્રગટ્યા વિના રહે નહિ. અન્ય વસ્તુઓ કઈ આત્માની નથી છતાં અન્ય વસ્તુઓની માલિકી કરવી એ કુદરતના કાયદાથી વિરુદ્ધ કર્તવ્ય છે. પુણ્ય અને પાપ પણ આત્માથી ભિન્ન પુદ્ગલ પાંચે છે તેથી પુણ્ય અને પાપને પણ આત્માની વસ્તુએ ન માનવી જોઇએ. પુણ્ય અને પાપાદિમાં મમત્વબુદ્ધિ ન ધારણ કરવી જોઇએ અને તેનાવડે પ્રાપ્ત સાનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુઓને પણ પોતાની ન માનવી જોઇએ. આ પ્રમાણે અંતરની માન્યતા રાખીને ઉડ્ડય આવેલાં કર્મ કે જેને પ્રારબ્ધકર્મ કથવામાં આવે છે તેને સમભાવે ભાગવવાં જોઇએ અને સાનુકૂળ વસ્તુઓપર લાભ પરિણામ ન ધારણ કરવા જોઇએ તથા પ્રતિકૂળ વસ્તુઓ પર દ્વેષ પિરણામ ન ધારણ કરવા જોઈએ. આ પ્રમાણે રાગ અને દ્વેષપરિણામને શમાવીને વ્યાવહારિક કાર્યને અધિકાર પ્રમાણે સ્વદશા અને સ્વશકિતના અનુસારે કરવાં જોઈએ. અન્તર ઈષ્ટ નહિ છતાં વ્યવહારે ઈષ્ટ અને ઉપયોગી વસ્તુઓને જે પ્રમાણમાં જોઇએ તે પ્રમાણમાં પ્રાપ્ત કર્યાં વિના છૂટકે થતા નથી પણ તેથી એમ સિદ્ધ નથી થતું કે ઉપયાગી વસ્તુઓથી દૂર રહેવુ. આહાર પાણી અને વસ્ત્રાદિ ઉપયોગી વસ્તુઓને દૈનિક આવશ્યકજીવનવ્યવહારદૃષ્ટિએ ગ્રહવા પ્રયત્ન કરવા પડે છે એ ખરૂ પરંતુ તત્સંબધી કથવાનુ` એટલું જ છે કે આહારાદિ જીવનરક્ષક વસ્તુઓના લાભ ન ધારણ કરવા. આહારાદિ વસ્તુને મમત્વ અને લેાભ પરિણામ વિના ઉદ્યોગપૂર્વક ગ્રહણ કરીને બાહ્યજીવન–સંરક્ષણની સાથે આંતરગુણ જીવનની વૃદ્ધિ કરવી એ લાકેત્તર વ્યવહાર છે. લાભકષાયથી આત્માના પ્રદેશે પાસે રહેલા આકાશપ્રદેશેામાંથી કવણાને આત્મા ગ્રહણ કરે છે. લાભ કષાયના પિરણામની આત્મામાં વૃદ્ધિ થાય છે કે હાનિ થાય છે અને તેના ઉપર જય મેળવી શકાય છે કે કેમ તેના હૃદયમાં અનુભવ કરીને લાભની પરિણતિ ટાળવા પ્રયત્ન કરવા જોઇએ. લાભની પિરણિત મંદ પડતાં સપ્તેષ ઉત્પન્ન થાય છે. તેને અનુભવ આવે એટલે સમજવું કે હવે લાભ કષાયને જીતવામાં વિજયની પ્રાપ્તિ
For Private And Personal Use Only