SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતોષ એ જ સાચું ધન છે. ( ૨૨૫ ). કઈ પણ રીતે યોગ્ય નથી. વિશ્વની સર્વ વસ્તુઓ માટે લેભ ધારણ કરવામાં આવે અને કદાપિ માને કે ઈચ્છિત સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય તો પણ શું? પ્રાપ્ત વસ્તુઓથી શું ? આયુષ્યની રક્ષા થવાની છે અને રોગ શેક દુઃખ વગેરેને નાશ થવાને છે? ઉત્તરમાં થવું પડશે કે કદાપિ નહિ. જે વસ્તુઓ સુખરૂપ નથી તો તેઓની પ્રાપ્તિથી કદાપિ સુખ થવાનું નથી એ સત્ય સિદ્ધાંતને સમગ્ર વિશ્વ ફેરવવા શક્તિમાનું થતું નથી. એક તળાવમાં સહસ્ત્ર મનુષ્યોને એક વર્ષ પર્યત ચાલે એટલું જળ ભર્યું છે. પ્રત્યેક મનુષ્ય યદિ પિતાની ઈચ્છા પ્રમાણે જલપાન કરે તે એક વર્ષ પર્યત સહસ્ત્ર મનુષ્યને ચાલી શકે ખરું, પરંતુ યદિ એક મનુષ્ય બળવાન થઈને ન્યાયનો ભંગ કરી પાંચસેં મનુષ્યના ભાગનું વાર્ષિકજળ સ્વયં ગમે તે રીતે વાપરી નાખે તો પંચશત મનુષ્યના જીવનમાં વિબ્રકન્ન થઈ પડે; તદ્રત અત્ર વિશ્વરૂપ ગૃહમાં આજીવિકાદિ અર્થે ખાનપાનાદિની અનેક વસ્તુઓ ભરેલી છે તેમાંથી કુદરતના કાયદા પ્રમાણે ખપ જેટલી વસ્તુઓને ઉપયોગ કરવામાં આવે તો કંઇ લેભની આવશ્યક્તા નથી. કુદરતના નિયમનો ભંગ કરવાને માટે મનમાં લેભપરિણામનો ઉદ્ભવ થાય છે. વિશ્વની સર્વ વસ્તુઓની ઉપયોગિતા સંબંધી વિચાર કરવામાં આવે અને સ્વકીય જીવનરક્ષણાદિમાં ઉપગિતાને વિચાર કરવામાં આવે તે પગી વસ્તુઓનું વિવેકપુરસ્સર ગ્રહણ કરવું એ વાસ્તવિક નિયમ સિદ્ધ કરે છે અને તેમાં લભ પરિણામ ધારવાની જરૂર રહેતી નથી. અન્ય વસ્તુઓની બાહ્યજીવનમાં ઉપગિતા છે અને ધર્માર્થ બાહ્ય જીવન ઉપયોગી છે એમ અવબોધીને બાહ્યાવસ્તુઓને ખપ અનુસાર ગ્રહવામાં આવે તો તેમાં સંતોષ પરિણામજ રહે છે અને લોભ પરિણામને કરડે જનને દેશવટો મળે છે એમ અનુભવગમ્ય વિચાર થતાં હૃદયમાં આ બાબતની શ્રદ્ધા ઉત્પન્ન થશે. જીંદગીને ઉપયોગી વસ્તુઓ દરરોજ ગમે ત્યાંથી મળ્યા કરે છે. અન્ન-પાણી અને વસ્ત્ર વગેરે વસ્તુઓ અંદગીને ઉપયોગી છે અને તે પ્રારબ્ધાનુસાર જ્યાં જન્મ થાય છે ત્યાંની આસપાસ તે તે વસ્તુઓની સામગ્રી હોય છે. પુત્રના જન્મની પૂર્વે માતાના સ્તનમાં પ્રારબ્ધકર્માનુસારે દુગ્ધની વ્યવસ્થા થએલી હોય છે. તેની ચિંતા કરવાને પુત્રને પ્રસંગ પણ પ્રાપ્ત થતો નથી. તત્ અત્ર પણ પ્રારબ્ધકર્માનુસારે આયુષ્ય અંદગીની રક્ષાભૂત આહાર પાણી વગેરે વસ્તુઓ જન્મ પછી જ્યાં ત્યાં મળી શકે છે તેની ચિંતા અને તેને લેભ વગેરે કરવાની કંઈપણ જરૂર નથી. પર્વતના શિખર પર ઉત્પન્ન થએલી કટિકાઓને ત્યાં ભક્ષ્ય વસ્તુની સગવડતા હોય છેજ. પ્રારબ્ધ કર્માનુસાર બાઘજીદગીની ઉપયોગી વસ્તુઓ મળે છે તેની હાય વરાળ કરીને નકામે લેભ ધારણ કરવાથી સિકંદર બાદશાહ અને રાવણ જેવાને પણ સુખ મળ્યું નથી અને તે બાબતને સુજ્ઞ મનુષ્યોને પ્રત્યક્ષ અનુભવ આવે તેમ છે તે પશ્ચાત્ લભના ૨૯ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy