________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ-શિષ્યનું વૃત્તાંત.
( ૨૧૯ )
કૂળત્વને વ્યવહાર થતે અવલોકવામાં અને અનુભવવામાં આવે છે તેનું કારણ વાસ્તવિક રીતે આત્મામાં સ્થિત રાગદ્વેષ પરિણામરૂપ શેતાન છે. રાગદ્વેષ પોતાના સ્વભાવે અનંતશક્તિમય છે. રાગદ્વેષને જેમ જેમ ક્ષય થાય છે તેમ તેમ આત્મામાં ઈશ્વરીય જ્ઞાનતિને પ્રકાશ થાય છે. આત્માની સમ્યગુ જ્ઞાનતિને ઈશ્વરીયજ્ઞાનતિ કથવામાં આવે છે. મુસલમાનમાં એક એવી પ્રચલિત વાર્તા છે કે-એક વખત એક ગુરુની પાસે શિગ્યે પ્રાર્થના કરી કે હું કોનું ભજન કરું ? ગુરુએ શિષ્યને કહ્યું કે તું શેતાનનું ભજન કર. ગુરુના પર વિશ્વાસ રાખીને શિષ્ય શેતાનનું ભજન પ્રારંવ્યું તેથી શેતાનને આશ્ચર્ય લાગ્યું કે આખી દુનિયા ઈશ્વરનું ભજન કરે છે અને આ શિષ્ય મારું ભજન કરે છે. શેતાન પેલા શિષ્ય પર સંતુષ્ટ થશે અને તેને પ્રત્યક્ષ થઈને કહ્યું કે-તું જે માગે તે આપુ માટે જેની ઇરછા હોય તે માગ ! શિષ્ય શેતાન પ્રસન્ન થયાનું વૃત્તાંત પોતાના ગુરુને કહ્યું. ગુરુએ શિષ્યને કચ્યું કે તું શેતાનની પાસેથી એવું માગી લે કે તારા હદયમાંથી શેતાનનો વાસ નીકળી જાય. ગુરુની શિક્ષાનુસાર શિષે શેતાનનું સ્મરણ કરી બતાવ્યું. શેતાને પ્રત્યક્ષ થઈને વર માગવાનું કહ્યું. શિષ્ય કહ્યું કે જો તું મારા ઉપર પ્રસન્ન થયું હોય તો મહારા હૃદયમાંથી નીકળી જા. શિષ્યની આ માગણી શેતાનને સારી લાગી નહીં તે પણ તેને તે પ્રમાણે કબૂલ કરવું પડયું અને શિષ્યના હૃદયમાંથી નીકળી ગયો તેથી શિષ્યને લોકલેક સર્વ પ્રત્યક્ષ દેખાવા લાગ્યાં. આ કથામાંથી સાર એ લેવાને છે કે રાગદ્રવરૂપ શેતાન જે આત્માના અસંખ્ય પ્રદેશમાંથી સર્વથા નીકળી જાય તે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળ દર્શનને ઉત્પાદ થાય અને તેથી સર્વ દુનિયાના સર્વ પદાર્થોના સર્વ ધર્મને જાણવામાં તથા દેખવામાં આવે. રાગદ્વેષને ધિક્કારવા માત્રથી તેઓ ટળી જતા નથી. પરંતુ આત્મ જ્ઞાન મેળવીને આત્માના સ્વભાવમાં જેઓ રમણતા કરે છે તેનાથી રાગદ્વેષ સ્વયમેવ દૂર થાય છે. રાગદ્વેષરૂપ શેતાન સર્વવિશ્વને પિતાને વશ કરવા પ્રયત્ન કરે છે. અતએ રાગદ્વેષ ક્ષય કરવાની જિજ્ઞાસાવંત મુમુક્ષુઓએ શુદ્ધોપગ ધારણ કરીને જેનું ધ્યાન ધરવાથી રાગદ્વેષની પરિણતિ ન ઉદ્ભવે એવા પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં મસ્ત બનવું જોઈએ. રાગદ્વેષનો જેમ મંદોદય થતો જાય છે તેમ તેમ આત્માનું સ્વાભાવિક સુખ અનુભવાય છે. વિશ્વવત્તિ મુમુક્ષુઓએ રાગદ્વેષની પરિણતિની મંદતા અને ક્ષીણુતા કરવા ખાસ લક્ષ્ય દેવું જોઈએ. જે જે ધર્માનુષ્ઠાનવડે રાગદ્વેષની પરિણતિનો નાશ થાય છે તે અનુષ્ઠાનો દ્વારા ધર્મ સાધનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્રિયાયોગમાં પ્રવૃત્તિમય છતાં રાગદ્વેષની સામગ્રીઓથી આત્મામાં રાગદ્વેષની પરિણતિ જાગ્રતુ ન થાય તે પર ખાસ લક્ષ્ય દેવું જોઈએ. જ્ઞાન યેગનો એ પરિપકવ અભ્યાસ કરવો જોઈએ કે જેથી અધિકાર પરત્વે કર્મયેગી બનતાં છતાં પણ નિર્લેપદશા કાયમ રહે. રાગદ્વેષના સાધનોની સામગ્રી ન મળે એવા સ્થાનાદિને પ્રાપ્ત કરીને કેટલાક અર્ધદગ્ધ મનુષ્ય મનની શાંતતા અમુક સમય પર્યત સંરક્ષી શકે
For Private And Personal Use Only