________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૨૦૮ )
શ્રી કર્મયોગ ગ્રંથ-વિવેચન,
દ્વારા અધ્યાત્મજ્ઞાની મુનિવરેના પાસાં સેવીને જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે આત્મજ્ઞાનથી આત્મા તેજ પરમાત્મારૂપે પ્રકાશે છે એમ નિશ્ચયતઃ અવમેધવુ. દ્રવ્યાનુયોગના જ્ઞાનમળે અનેક પ્રકારના અધિકારભેદે ગમે તે કાળમાં ગમે તે દેશમાં ગમેતેવી સ્થિતિમાં રહેલા મનુષ્યેાના કલ્યાણાર્થે વિચારા અને આચારાને ઘડી શકાય છે. જેને રાજ્યવ્યવસ્થાનુ જ્ઞાન હેાય છે તે રાજ્યનીતિને રચી શકે છે તત્ દ્રવ્યાનુયાગના જ્ઞાતા એવા આત્મજ્ઞાનીઓ સત્ર દુનિયામાં ધર્મના વિચારો અને આચારેને પ્રતિપાદન કરવા શક્તિમાન થાય છે તેમાં જરા માત્ર આશ્ચય વા શંકા જેવું નથી. ધર્મકર્મ કાંડથી અનેક પ્રકારના ક્લેશ કદાગ્રહમાં આચ્છાદિત થએલા ધર્માંને આત્મજ્ઞાનીએ પુનઃ શુદ્ધરૂપ અર્પી શકે છે અને ધર્મના આચરનારાઓને સુધારીને તેના જગતમાં પ્રચાર કરી શકે છે; આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા આગમોના અભ્યાસ કરીને અને અનેક નયાની અપેક્ષાએ તેનું મનન કરીને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયુ છે એવા આત્મજ્ઞાની મુનિવર ગુરુનું શરણુ અંગીકાર કરીને તેમનાં પાસાં સેવી આત્માનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું. દીવા દીવા થકી થાય છે. જેનામાં આત્મજ્ઞાનની જ્યાતિ પ્રગટી હોય છે તેમની પાસે રહેવાથી અને તેમની કૃપાથી અધ્યાત્મજ્ઞાનની જ્યેાતિ પ્રકટાવી શકાય છે. તેનાવિના અન્યપાચેાવડે આત્મજ્ઞાન હૃદયમાં પ્રકટતું નથી. આત્મા એજ પરમાત્મા છે. આત્માને પરમાત્મારૂપે દેખા. સર્વત્ર સર્વ પ્રાણીઓમાં આત્મા એજ પરમાત્મા છે એવુ' દેખા એવું ભાવા અને એવું આચરણ કરે એટલે રાગદ્વેષ કષાયથી મુક્તપણુ થશે અને સર્વત્ર સર્વ પ્રાણીઓમાં પરમાત્મ ભાવનાના સંસ્કાર દૃઢ થવાથી તમારા આત્મા તેજ પરમાત્મારૂપે ઝળકશે તથા વાસ્તવિક સુખના ભોક્તા બનશે. આત્મારૂપ પર માત્મા એ જરા માત્ર જ્ઞાનથી ભિન્ન નથી. આત્માના ધ્યાનમાં સ્વયં પરમાત્મા છે એવું અનુભવ્યાની સાથે તમારૂં દિવ્ય આત્મકજીવન આનંદમય અનુભવાશે.
આ શરીરમાં સર્વત્ર વ્યાપી રહેલા આત્માના અસંખ્ય પ્રદેશ તરફ ઉપયાગ દેવા. શુદ્ધોપયોગ પણ આત્માના અસંખ્યાત પ્રદેશમાંજ રહ્યો છે અને તેજ અસંખ્યાત પ્રદેશરૂપ છે એમ ભાવના કરવી. આત્માના અસંખ્યાત પ્રદેશની એક વ્યકિત જ ભાસે પણ સાથે રહેલું શરીર ન ભાસે અને તેનું ભાન ભૂલાય એવી રીતે શુદ્ધોપયેગમાં તલ્લીન થઇ જવું. આવી રીતે જેમ વિશેષ ઉપયેાગમાં રહેવાય તેમ તન્મયતા સાધવી અને પશ્ચાત્ એવા ઉપયોગ કરવા કે અસંખ્યાત પ્રદેશમય વ્યક્તિરૂપ આત્માથી અભેદપણે જ્ઞાનાદિણાને અનુભવાય. આ પ્રમાણે આત્માનું આત્મગુણાથી અભિન્નપણે ખાતાં-ઉડતાં-બેસતાં અને અન્ય કાર્યાં કરતાં ભાન રહે-સુરતા રહે એવા અભ્યાસ પાડવા. આ પ્રમાણે શુક્રોપયોગના અભ્યાસવડે આત્મધ્યાન કરતાં જે કઈ ત્રુટિ રહે છે તેને પણ ખ્યાલ રહે છે અને તેના પરિહાર કરવા અનુભવ પ્રગટે છે. શુદ્ધોપયેગ પ્રમાણે આત્માના ગુણેામાં ઉપર પ્રમાણે રમણતા કરતાં
For Private And Personal Use Only