________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા
-
-
-
-
નીકને જ કાન મા # - ૧. પ્રકા
-
UR
ચાર યુગમાં દ્રવ્યાનુયોગને પ્રથમ સ્થાન શા માટે?
( ૨૦ )
અનાદિકાલથી એવી જગતની ટીકાઓ થતી આવી છે, થાય છે અને થશે માટે લોકસંજ્ઞાને તાબે થઈ મૂર્ખાઓની હાજીહામાં હાજી મેળવવી નહિં. અને કદાપિ મૂર્ખાઓની હાજીમાં હા કરવી પડે તો તે ઉપરથી કારણવશાત્ કરવી પણ સત્યજ્ઞાનમાર્ગનો ઉદય થાય તેવી રીતે પ્રસંગ પામી વર્તવું તથા અન્યોને વર્તાવવા. જગતમાં અનેક જાતની વનસ્પતિ છે. સર્વે જળમાં કમળને નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી છે. તદ્રત દુનિયાના પંચેંદ્રિય વિષયોમાં આત્મજ્ઞાનીને નિર્લેપ રહેવાની શકિત પ્રાપ્ત થએલી હોય છે. બાકી અજ્ઞાનીઓ તો પંચેંદ્રિય વિષયરૂપ જલમાં રાગદ્વેષથી લેપાય છે. આત્મજ્ઞાનીઓનો પરિણુ મ તેજ તેનું વર્તમાન તથા ભવિષ્યકાળનું ઉત્તમ ચારિત્ર્ય છે. બાહ્યનું ચારિત્ર્ય તો પરદ્રવ્યના આધારે ઉદ્દભવે છે તેથી તેના ઉપર આત્મ ચારિત્ર્યને એકાતે આધાર રાખી શકાય નહીં. બાલજોવો શુભ એવા દયિક ભાવના વ્યવહારને ધર્મ માને છે. બાલજી-અજ્ઞાનીઓ દૃશ્ય પદાર્થોમાં ધર્મ માનીને આત્મધર્મથી ઠગાય છે; માટે આત્મજ્ઞાનીઓએ બાલજીવોની ઔદયિક કરણીમાં ધર્મબુદ્ધિ ધારણ કરવી રહીં. આત્મજ્ઞાનીઓને પણ દયિક ભાવની શારીરિક આહારદિક પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેઓ અજ્ઞાનીઓની પેઠે તેમાં આસતિભાવાદિવડે લેપાયમાન થતા નથી. આત્મજ્ઞાનીઓ તો દયિકભાવને અને તેની પ્રવૃત્તિને બાહ્યથી કરતાં છતાં તેમાં અકર્તુત્વ દેખે છે અને દયિક ભાવની અહારાદિ પ્રવૃત્તિને બાહ્યથી કરતાં છતાં પણ અંતરથી તે તેમાં તન્મયપણે પરિણમતા નથી તથા આહારાદિ
દયિકભાવ પ્રવૃત્તિકાલેજ આત્માના શુદ્ધોપયોગમાં પરિણમીને આત્મધર્મના કર્તા લેતા બને છે. અએવ અવિરતિમોહરૂપ પરિણામને શુદ્ધોપગવડે વિનાશ કરીને મોહ પરિણામથી વિનાશ પામીને આત્માના ગુણામાં રમણુતારૂપ વિરતિમાં દ્રવ્ય અને ભાવથી તલ્લીન બને છે. સુવર્ણને કષ છેદ અને તાડન અને તાપસ હેવો પડે છે તેમ આત્મજ્ઞાનીઓને પરિ. ઉહ ઉપાધિ વગેરે સહવી પડે છે અને નામરૂપથી ભિન્ન સ્વાત્માને ભાવ પડે છે અને ક્ષમાગુવડે પ્રકાશવું પડે છે.
આત્મજ્ઞાનની ઉપકત મહત્તા અવધીને સર્વ દેશના મનુષ્યોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાવિના આત્મા-પરમાત્મા-કર્મ વગેરેનું ખરું સ્વરૂપ અવબંધાતું નથી, અને ગાડરીયા પ્રવાહે લોકસંજ્ઞાને આધીન થઈ કર્મકાંડ વગેરે સેવીને મોક્ષની પ્રાપ્તિ કરી શકાતી નથી એમ ખાત્રીપૂર્વક સમજવું. જૈનશાસ્ત્રોમાં દ્રવ્યાનુયેગ ગણિતાનુગ કથાનુગ અને ચરણકરણાનુગ એ ચારે અનુયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં દ્રવ્યાનુગને પ્રથમ પદ આપવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે દ્રવ્યાનુયેગના જ્ઞાન વિના આત્માન-અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. ચરણકરણનુગની ક્રિયાઓના રહસ્યોને ખુલાસે દ્રવ્યાનુયેગના જ્ઞાન વિના સંપ્રાપ્ત થતો નથી. અતએ દ્રવ્યાનુયોગના અભ્યાસ
For Private And Personal Use Only