SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પ્રાપ્ત કર્યું. આત્માનું પરિણમન સર્વ શક્તિ દ્વારા જે આત્મામાં થાય તે કાચી બે ઘડીમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય. * કોઈની પાછળ કઈ પડશે નહિ ? એ કહેવત અક્ષરશઃ સત્ય તરીકે અનુભવાય છે. આત્માના સર્વ પર્યાનો આવિર્ભાવ થવો એજ સિદ્ધત્વ વા પરમાત્મત્વ છે. ગમે તેવો પાપી પણ આવું પરમાત્મત્વ પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ગમે તે રીતે ગમે તે ભાષા દ્વારા આત્માની પરમાત્મતા પ્રાપ્ત થાય એવું જ્ઞાન કરીને આત્મગુણેમાં રમણતા કરવી જોઈએ. આત્માના ગુણોને પ્રગટાવવા માટે આત્માના ગુણ તરફ લક્ષ્ય દેવાની જરૂર છે. પરમાત્મપદ એ આત્મામાં છે. શારીરિક ધર્મો એ કંઈ આત્મારૂપ પરમાત્માના ધર્મો નથી. આત્મારૂપ પરમાત્માના ગુણો શરીરથી ભિન્ન છે માટે શરીરની ચેષ્ટાથી આત્માનું પરમાત્મત્વ પરખાય નહિ. તેવામાં માનવામાજિવિમૂતા: રાતે નાતામણિ નો મહાન ! આ લેકદ્વારા પરમાત્માના ગુણોદ્ધાર પરમાત્માનું મહત્વ જણાવવા આચાર્યો પ્રયત્ન કર્યો છે. રાગદ્વેષની ક્ષીણતા થાય એ પણ શરીરની ચેષ્ટા-પ્રવૃત્તિદ્વારા જણાય એવા એકાન્ત નિયમથી પિતાની પરમાત્મતા પિતાનામાં કયા કયા અંશે પ્રગટ થઈ છે તેના પિતાને અનુભવ આવે છે. તે બાબતની અન્ય મનુષ્ય દ્વારા પરીક્ષા કરવાથી પિતાને કઈ રીતે લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. આત્માની પરમાત્મતા સંબંધી ઝાંખી આપનારા ખરેખરા આધ્યાત્મિક ઉદ્ગારો છે એમ અવબોધવું. પિતાનું આત્મસ્વરૂપ પિતાને જ્ઞાન દ્વારા અનુભવાય છે. જ્ઞાન અને સુખ અર્થાત્ ચિ અને આનંદ એ બેથી આત્મા અભિન્ન હોવાથી ચિ અને આનંદનો અનુભવ આવતાં ચિદાનંદરૂ૫ આત્માનો અનુભવ આવ્યો એમ અવધવું. જેઓને આત્માને અનુભવ આવ્યો તેઓ કૃતકૃત્ય થયા એમ અવધવું. જીવન્મુક્તની વાનગી એ ખરેખર આત્માનો અનુભવ છે. આત્માનો જ્ઞાનાનુભવ ઉત્તરોત્તર વધતો જાય છે. આત્માનો અનુભવ તેના અસંખ્ય વા અનંત ભેદ છે; આગના પરિપૂર્ણ અનુભવદ્વારા જે આત્મજ્ઞાની મુનિવરે આત્માનુભવ કરે છે તે ખરેખર ઉપર્યુક્ત ક્ષેપશમ દશામાં અનુભવના ભેદ સંબંધી અનુભવ મેળવે છે અને તેઓ હૃદયને નિર્મલ કરી સર્વસંગપરિત્યાગપૂર્વક શરીર છતાં સ્વયમેવ પરમાત્માઓ બને છે. તેઓને આત્મજ્ઞાનીઓ પારખવા શક્તિમંત થાય છે. જગતમાં સાકાર પરમાત્માઓ સર્વસંગ પરિત્યાગી મુનિવરે છઠ્ઠા ગુણસ્થાનકસ્થિત શબ્દનયની અપેક્ષાએ ચારિત્રદ્વારા અવબોધવા. અજ્ઞાનીઓને અજ્ઞાનદશા પર્યત આત્મારૂપ પર માત્માનું અનુભવ દર્શન થતું નથી તેથી તેઓ આત્માનુભવ કરનારાઓની વાતોને ગપ્પાં માને છે પણ જ્યારે તેઓ સદ્દગુરુદ્વારા આત્મારૂપ પરમાત્માને અનુભવ કરે છે ત્યારે તેઓને પોતાની પૂર્વની માન્યતાઓ ઉપર અને આચરણ પર હાસ્ય પ્રગટે છે. જે આત્મારૂપ પરમાત્મા ખરેખર શરીરમાં વ્યાપી રહ્યો છે તેને સમ્યમ્ અનુભવ જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી પરવસ્તુઓમાં પરમાત્મા શોધવાની પ્રવૃત્તિ રહે છે. જ્યાં સુધી એવી દશા For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy