SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अप्पा सो परमप्पा. (૨૦૩ ) જાગતા સાધુ પરમેષ્ટિ દેવ છે. દીવ દીવાથકી થાય છે તેમ તેઓની સેવા ઉપાસના કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રગટી શકે છે. અધ્યાત્મજ્ઞાની સાધુઓની સેવા કરવાથી આ ભવમાં મુક્તિના સુખને અનુભવ મળે છે એ ખરેખરી વાત છે અને તેનાથી ઇન્દ્રિયાતીત પરબ્રહ્મસુખને વિશ્વાસ પ્રકટવાથી ખરેખર ત્યાગભાવ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાની સાધુ પાસે જવામાત્રથી અને તેમને થોડોઘણો ઉપદેશ શ્રવણ કરવા માત્રથી કંઈ અદેયાત્મજ્ઞાનની ઝાંખી એકદમ પ્રગટતી નથી, પરન્ત અધ્યાત્મજ્ઞાની મુનિવરોની અંતઃકરણપૂર્વક સેવા અને તેમના ઉપદેશ પર વિશ્વાસ રાખવાથી તથા તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મસુખની અર્થાત મુક્તિસુખની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખીને અનુભવ થયો એટલે સમજવું કે પરમાત્માના દર્શન થયાં. આત્મા એ જ પરમાત્મા છે અને તેનું સુખ અનુભવનાર પણ સ્વયમેવ આત્મારૂપ પરમાત્મા છે. અતઓવ ઇન્દ્રિયાતીત આત્મસુખનો અનુભવ થતાં પરમાત્માને પરોક્ષ દશામાં અન્તરમાં પ્રત્યક્ષ સુખદનરૂપ સાક્ષાત્કાર થયો એમ માનવું. આમાં સુખરૂપજ પરમાત્મા છે કારણ કે સુખગુણથી ગુણી એવા પરમાત્મા ભિન્ન નથી. જ્યારે ત્યારે પરમાત્મસ્વરૂપની ઝાંખી થાય છે તે વખતે આત્મસુખની ઘેન પ્રગટે છે અને એ આત્મસુખની ઘેન જાણે ત્રણ ભુવનમાં ન સમાતી હોય એવી રીતે અન્તરમાં તેને અનુભવ આવે છે. આ અનુભવ અમને તે અંતરમાં ઉપયોગભાવે વેદાય છે તેથી સ્પષ્ટ રીતે જગને જાહેર કરવામાં આવે છે કે ઇન્દ્રિયાતીત સહજ સુખને અનુભવ તેજ પરમાત્મસ્વરૂપની ઝાંખી છે. તેને અનુભવ કરે હોય તે સર્વ સંગને પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કરો. આત્માનું ધ્યાન કરવાથી અને આત્માનું જ્ઞાન કરવાથી અને આત્માના સ્વરૂપમાં ઉપગે લીન થવાથી જગતની ધાંધલ ભૂલાવાની સાથે આત્મસુખને અનુભવ પ્રગટ થાય છે. આત્મારૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તે સ્વશરીરમાં રહેલા અસંખ્યાત પ્રદેશી આત્માને દેખો. જ્યાં જડરૂપ અસત્ પર્યાય પદાર્થો છે ત્યાં ત્રણ કાળમાં પણ આત્મારૂપ પરમાત્મા પ્રાપ્ત થવાનો નથી. અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા ધારણ કરવા માત્રથી વા સર્વ સંગ પરિત્યાગની વાત કરવા માત્રથી આત્મારૂપ પરમાત્માને ભેટી શકાશે નહિ. તમે પોતે જ શરીરમાં પરમાત્મા છો. આવરણક્ષેપશમે અંશે અંશે તમે પરમાત્મત્વનો વિકાસ કર્યા કરે છે જેથી અમુક કાળે સંપૂર્ણ પણે તમે પોતાને જ પરમાત્મપણે દેખશે-અનુભવશે. પિતાને આત્મા એજ પરમાત્મા છે એવો નિશ્ચય થયા બાદ દીનતાને નાશ થશે અને સર્વ પ્રકારની આશાઓને નાશ થશે. જ્યારે આત્મા તેજ (સવા સો ઘરમrat ) પરમાત્મા છે એવો નિશ્ચય થયે એટલે બ્રાંતિથી કલ્પાયેલું અહેમમત્વ વિલય પામે છે. ભારત રાજાને આદર્શ ભુવનમાં પરવસ્તુ સંબંધી અર્હત્વ ટળ્યું તેની સાથે જ તેમણે કેવળજ્ઞાન For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy