SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તટસ્થતાના અભ્યાસ આવશ્યક છે, (202) માનીને તેમાં થનારી અહંમમત્વવૃત્તિને દૂર કરી દેવી. જે કાલે જે આવશ્યક કાર્ય કરવાનું હાય છે તે કર્યા વિના છૂટકે થતા નથી ત્યારે તે વખતે તટસ્થતા અને સાક્ષીપણું ધારણ કરી અનાસિકતથી કાર્ય કરવાની ટેવ પાડવી જોઇએ. આત્મજ્ઞાની તટસ્થ દૃષ્ટિથી અનાસિકતપૂર્વક જે જે કાર્યાંને કરે છે તે તે કાર્યાં અજ્ઞાની અવૃત્તિપૂર્વક કરે છે. આત્મજ્ઞાનીએ અને અજ્ઞાનીઓના શરીરની બાહ્યચેષ્ટાઓ તે કાર્ય પરત્વે એક સરખી હાય છે પરંતુ તેમાં જે ફેરફાર હાય છે તે તો સભ્યષ્ટિ અને અસમ્યમાં અવોધવા, નિર્વિષદાઢાયુકત અને વિષદાઢાયુકત સર્પની બાહ્યક્રિયા તા એક સરખી હોય છે પણ જે બન્નેમાં ફેરફાર છે તે તે વિષ અને નિર્વિષદાઢાની અપેક્ષાએ છે. અધ્યાત્મજ્ઞાનીએ નિર્વિષદાઢાયુક્ત સર્પના જેવા હોય છે. તેઓની આત્મતા તેના સવિચારાજ છે. આત્મજ્ઞાનીએ બાહ્ય કર્મો કરતા છતાં પણ નિર્લેપ રહે છે તેનુ ખરૂ કારણ પ્રત્યેક કર્મમાં તટસ્થતાભાવ અને સાક્ષિત્વ એજ છે. શ્રી કૃષ્ણને કર્માંમાં સાક્ષિત્વ હતું. જૈનષ્ટિએ તે અન્તરાત્મા અને તેજ ભાવી પરમાત્મા છે. આત્મજ્ઞાન થયા વિના પ્રત્યેકકા માં તટસ્થતા રહી શકે નહિ. સ પૌદ્ગલિક પદાર્થોના સંબંધમાં છતાં તેના પાસમાં રહેવાપણું ન થવું એ તટસ્થતા વિના સંભવે નહીં. સર્વ સંધામાં તટસ્થભાવ આવ્યા વિના આ દુનિયામાં વનમાં ઘરમાં પ્રવૃત્તિમાર્ગમાં એકાંતમાં અને અન્ય ગમે તે કાર્ય કરતાં વાન કરતાં પગલે પગલે દુ:ખ છે. અતમજ્ઞાનીને સાક્ષિત્વભાવ પ્રગટે છે તેથી તે દુઃખના હેતુઓને દુઃખપણે પરિણમાવી શકતા નથી અને પેાતાના આત્મા ઉપર દુ:ખની અસર ન થાય એવું આત્મખળ સ્પેારવીને આત્માના આનંદને અનુભવ કરે છે. દુઃખ પિરણામને પેાતાના આત્મામાં ન પ્રગટાવવા દેવા એ આત્મસાક્ષીભાવ અને તટસ્થભાવ ઉપર આધાર રાખે છે; માટે આત્મજ્ઞાનીઓએ સર્વ સંબધોમાં અને સર્વ કાર્યાંમાં તટસ્થભાવ ધારણ કરીને શુદ્ધોપયાગે વવુ. જે જે ઇંદ્રિયદ્વારા જે જે કાર્યાં થતાં હોય તેમાં સાક્ષીભૂત થઈને તટસ્થપણે દેખ્યા કરવાં અને તેથી પેાતાના શુદ્ધાત્માને ભિન્ન અવલાકવે. આહારાક્રિક્રિયામાં આત્માને તટસ્થપણે અવલાકવા અને આત્માના શુદ્ધોપચેગવડે આહારાક્રિક્રિયાને તટસ્થપણે અવલાકવી. આ પ્રમાણે તટસ્થતાના અભ્યાસ વૃદ્ધિ પામવાથી સર્વ વસ્તુઓને બાહ્યથી સંગ છતાં અંતરથી નિઃસગપણું પ્રગટવાનું અને સ દાષામધ્યે રહેવા છતાં દાષાથી મુકતપણું રહેવાનું –એવું પરિપૂર્ણ વિશ્વાસથી માનવુ. અધ્યાત્મજ્ઞાની આ પ્રમાણે સ કાર્યાં કરતાં છતાં મુક્તિમાં પ્રવેશવાના તટસ્થતાને દરવાજો ઉઘાડી દે છે અને તેથી અધ્યાત્મજ્ઞાનીઓને મુક્તિમાં સહેજે પ્રવેશ થાય છે. આત્મજ્ઞાનીએ પાતાના આત્માને શુદ્ધોપયેગે ભાવવા અને જે જે બાહ્ય વસ્તુઓના પરિચયમાં આવવું પડે તે તે બાહ્ય વસ્તુઓમાં પરમાત્માના શુદ્ધ સ્વરૂપને અવલાકવાની ઉપચારથી ભાવના કરવી. આમ કરવાથી આત્માની ૨૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy