SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- -- ---- -- ( ૨૦૦ ) શ્રી કર્મચાગ મંથન્સવિવેચન. શ્રેયસ્થાન કરીને આનંદથી વર્યા કરે. અનેક દુખમયે રહીને પણ અંતમાં સુખસ્વરૂપ પોતે હું ઈશ્વર છું એમ ભાવના કરે. સંમૂછિમની પેઠે અથવા આંધળી ચાકરૂંડની પેઠે વિશ્વપ્રવાહમાં અન્ધશ્રદ્ધા રાખીને ન તણાઓ. આત્મામાં બળ પ્રકટાવીને મિથ્યા હેમોને દૂર કરી વિશુદ્ધ પ્રેમથી સર્વ જીવતા દેવને પૂજે ધ્યા અને તેઓના આત્માઓની સાથે સ્વાત્માને એક રસરૂપ કરીને તેને અભેદાનુભવ અનુભવો !!! આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનિયોને ધિક્કારનારાઓને પણ તેઓ સત્તાએ પરમાત્મા છે એવા પરમાત્મભાવથી દેખો અને પોતાના હદયમાં ઉચ્ચ સંસ્કારો પાડો. ધિક્કારનારાઓ ખરેખર આત્મજ્ઞાનભાવથી આપણને અવધતા નથી. જો તેઓ આત્મષ્ટિ પામશે તે આપણને આત્મદ્રષ્ટિથી દેખશે. તેમના જેવી ઘણું ભવમાં આપણે પણ જડવાદ દષ્ટિ ધારણ કરી હતી માટે તેમાં કંઈ આશ્ચર્ય નથી. તમે કેઈથી બંધાયેલા નથી અને કેઈ તમને બાંધવા સમર્થ નથી એમ પિતાને અનુભવે !!! તમે પિતાના આત્મરૂપ ઇશ્વરની સન્મુખ દૃષ્ટિ ધારણ કરીને સર્વ કરે એટલે તમારી આંખે સત્યને જ પ્રકાશ પડશે અને કર્તવ્યમાં પણ સત્યજ તરી આવશે. કર્મમાયા એ શરીરની છાયા સમાન છે. તેના સામું દોડવાથી તે કદી પકડાઈ શકાશે નહિ. પરંતુ જ્યારે આપણે આત્મસૂર્યના સમ્મુખ ગતિ કરીશું ત્યારે તે પોતાની પાછળ રહેશે. આત્મારૂપ પરમાત્મા તમે છે. બાકી દશ્યમાં તમે હોજ નહિ. એવો દ્વભાવ ધારીને પોતાના આત્માને પ્રત્યેક કાર્યમાં અરૂપી નિરંજન તટસ્થ દેખશે તે વિશ્વનાટકને ખરેખરો અનુભવ તમને થશે. તટસ્થ રહીને દેખવું અને તટસ્થપણે જાણવું અને તટસ્થ રહીને દુનિયા સંબંધી સર્વ વિચારો કરવાથી આત્મારૂપ પરમાત્મા ખરેખર દેહમાં રહ્યા છતાં સહજાનન્દ ભેગવવા સમર્થ થાય છે. બે મલ્લો મલ્લ કુસ્તી કરે છે તેમાં બનેને કુસ્તીમાં જે આનંદ પડે છે તેના કરતાં રાગદ્વેષને ત્યાગ કરીને તટસ્થપણે બનેને દેખનારાઓને વિશેષ આનન્દ પ્રગટે છે. નાટકશાળામાં નાટકીઆઓ જે જે પોતાનો વેષ કરે છે તેમાં ફકત તેઓની આજીવિકા બુદ્ધિ હોવાથી તેઓને વેઠ સમાન પ્રવૃત્તિ લાગે છે. તેઓને પૂછવામાં આવે કે તમે એ નાટક ભજવતાં કેટલો બધો આનન્દ પ્રાપ્ત કર્યો છે ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે કંઇ નહીં. અમારે પાઠ અમેએ દુઃખ વેઠીને ભજવ્યું છે. હવે નાટક પ્રેક્ષકોને પૂછવામાં આવે કે તમને નાટક પ્રેક્ષણથી આનંદ થયે કે કેમ ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે અમને ઘણે આનંદ થ. નાટક પ્રેક્ષકે પણ ખરેખર તટસ્થ ગણાય નહીં તથાપિ તેઓને યત્કિંચિત્ તટસ્થ દષ્ટિથી નાટક દેખવાથી આનન્દ થયે; તો જ્યારે સમ્યગદષ્ટિપણાની તટસ્થષ્ટિ આવે અને આત્માની ખરેખરી તટસ્થતા પ્રગટે તો પ્રારબ્દાધિગે કર્મચગી હોવા છતાં સહજાનન્દની ઝાંખીને પૂર્ણનુભવ થાય અને ઉત્તરોત્તર દિવ્યજીવનને પ્રાદુર્ભાવ થાય. કરેડ કાર્યોની વચ્ચમાં કર્મને પ્રવૃત્તિયુકત છતાં તટસ્થ દષ્ટિથી સર્વ દેખવું અને જડપદાર્થોને અસત્ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy