SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા તે પરમાત્મા. ( ૧૯૭). જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ પ્રકટવા લાગી અને મનુષ્ય જડ વસ્તુના સુખની ભ્રાન્તિએ દાસ બનીને જડવસ્તુઓને પૂજવા લાગ્યા તથા તેમાં મમતા કરવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ એક વખતે આર્ય દેશ પર અધ્યાત્મજ્ઞાનને પૂર્ણ પ્રકાશ નાખ્યો છે તે ભારત દેશ હાલ અનેક પંથમાં જકડાઈને સત્યની ઉપાસના કરવા સમર્થ થતો નથી, “કે છોકરું અને ગામ શેઠું' તેની પેઠે ધર્મગુરુઓ પણ જડ વસ્તુમાં આત્માને અને સુખને માનવા લાગ્યા તેથી ભારતની અદશા થએલી છે. જો કે ભારતમાં હજી અધ્યાત્મના ધારક મહાત્માઓ છે પણ તે થોડા પ્રમાણમાં છે. અધ્યાત્મજ્ઞાન વિના સત્ય ક્તવ્યથી મનુષ્યો પરાભુખ રહે છે. ધર્મકથાનુગ, ચરણકરણનુયોગ વગેરે અનુયેગો કે જે ધર્મના અંગે છે તેઓ પણ દ્રવ્યાનુગ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનથી જીવી શકે છે. આત્મા અને આત્મજ્ઞાન વિના કથાનુયોગ અને ચારિત્ર ક્રિયાઓની મહત્તા અંશ માત્ર પણ સિદ્ધ થતી નથી. અતએવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપરની બાબતને અનુભવ કરવો જોઈએ. આ બાબતમાં અંધશ્રદ્ધાથી કંઈ માની લેવાની જરૂર નથી. આત્માના ગુણપને અનુભવ કરો. સર્વ દેવ દેવીઓ અને મનુષ્ય એ સર્વમાં આત્માઓ છે તેથી તે રમણીય લાગે છે–આત્મામાંજ રમણીયતા લાગે છે. આત્માથી ત્યજાયલા મૃતદેહમાં કંઈ રમણીયતા લાગતી નથી. શરીરમાં મુખમાં વગેરે અંગમાં રમણીયતા વસ્તુતઃ નથી; વસ્તુતઃ તે પ્રિય નથી. આત્માના સંબંધ ઉપચારે તે રમણીય લાગે છે. વસ્તુતઃ ઈષ્ટ મિત્રો અને પ્રેમીઓ વગેરેમાં તેઓના આત્માઓજ પ્રિયસ્વરૂપ-રમણીયસ્વરૂપ અનુભવાય છે એમ અનુભવ કરતાં અનુભવ થશે. આત્માને ધારણ કરેલા સ્વશરીરમાં યાવત્ આત્મા છે તાવતુ તેમાં રમણીયતા–પ્રિયતા ભાસે છે તે આત્માને જ લઈને અન્યથા આત્માના અભાવે તે શરીરની જે અવસ્થા થાય છે તેને અનુભવ સર્વને છે. ચૈતન્યવાદીઓ ચૈતન્યપૂજક એવા આત્મજ્ઞાનિયે આત્માના સ્વરૂપમાં ધ્યાનથી મગ્ન રહે છે. આત્મજ્ઞાનીઓ આત્માઓ તેજ પરમાત્માઓ છે એવી ધારણમાં મગ્ન થઈને એકેન્દ્રિયથી તે પંચેંદ્રિયપર્યત સર્વ જીવોને પરમાત્માઓરૂપે ભાવીને અંદું અને લૐ શબ્દ વાગ્યે સર્વ જીવોનું પરમાત્મસ્વરૂપ છે એવો નિશ્ચય કરીને નીચે પ્રમાણે ઉગારે કાઢે છે. આત્મા તે પરમાત્મા જ્યાં ત્યાં જ સર્વે અર્થે ૩% ૩% ૩૪ વનસ્પતિ પાણી પૃથ્વીમાં અગ્નિ વાયુ જીવો % ૩% ૩૪ સરોવરો નદીઓ પહાડોમાં અહં ૩૪ પરમાત્મા સત્તાએ એકજ અનેકજ વ્યક્તિએ પરમાત્માએ તે અહીં ૩૪ ૩૪ ૩૪ શુદ્ધ થયેલા સિદ્ધાલયમાં મુક્તાત્માઓ અહ" aઝ 83 8 જ્યાં દેખું ત્યાં પરમાત્માઓ, આત્માએ, એ તિભાવે અહં કૐ ૩૪ ૩૪ ચિતન્ય ચેષ્ટાએ વિકસે અહ* ૩૪ ૩૪ પ્રાણીઓ પરમાત્મા છે અહ ૩૪ 8 For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy