________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
師
દિવ્ય ચક્ષુ કયારે પ્રાપ્ત થાય ?
( ૧૯૫ )
જ્ઞાની અગ્નિસમાન છે. અગ્નિમાં નાંખેલા સર્વ પદાર્થો બળીને ભસ્મસાત્ થઇ જાય છે. વિષ ઉધઈ વગેરેને અગ્નિ બાળીને ભસ્મ કરી નાંખે છે. પણ અગ્નિને કાઈ ખાળી શકતું નથી. આત્મજ્ઞાની થએલા અને થતા એવા કરોડો દોષોને જ્ઞાનાગ્નિથી ખાળીને ભસ્મ કરી દે છે. આત્મજ્ઞાનીએ તે કારણથી નિર્દોષ રહી શકે છે અને જ્ઞાનરૂપ અગ્નિમાં પેાતાના આત્માને શુદ્ધ કરી અગ્નિકુલના પાત્ર તરીકે પેાતાને ખરી રીતે વિશ્વમાં જાહેર કરે છે.
આત્મજ્ઞાનીએ જે જે કઈ કરે છે તે તે સર્વમાં અર્હત્વ-મમત્ત્વ અને અમુક મર્યાદાથી બદ્ધ નહીં હાવાથી સર્વ જીવાની સાથે તેમને આત્મભાવ વધતા જાય છે. તેઓનુ આત્મજ્ઞાન પ્રતિદિન વિકાસ પામતું જાય છે અને તેઓ વસુધૈવ કુટુમ્વમ્ એવી દશામાં આવીને ઊભા રહે છે. તેઓ પૂર્વકની પ્રેરણાથી જે કઈ કરે છે તે જોકે બાહ્યદૃષ્ટિથી તે ક દોષરૂપ ગણાતુ હોય છે તથાપિ વસ્તુતઃ આન્તરિક-માનસિક દોષથી મુક્ત હોવાથી તેઓ નિર્દોષજ હોય છે એમ અવધવું. અધ્યાત્મજ્ઞાનીઓના હૃદયમાં તેમના આત્મારૂપી પરમાત્મા જાગ્રત થયેલ હાય છે, તેથી તે સર્વત્ર ધ્યેયદ્રષ્ટિએ જીવે તેજ પરમાત્માએ છે એવું અનુભવવાને સમર્થ થાય છે. આ સમગ્ર વિશ્વમાં સભ્યષ્ટિવડે જાગ્રત થએલા મનુષ્યે સાકાર પરમાત્માએ છે અને અજાગ્રત જીવા નિદ્રિત પરમાત્માએ છે. ગમે તેવી કની ઉપાધિમાં તેઓનું પરમાત્મત્વ ટળતુ નથી. આ પ્રમાણે સમગ્ર વિશ્વમાં જ્યાં દેખા ત્યાં જીવ માત્ર પરમાત્મારૂપ જેને ભાસે છે એવા જ્ઞાની પરમાત્મભાવનાએ વ્યકિતતઃ પરમાત્મા છે. પરમાત્માને અન્તરમાં અનુભવવાના છે. આત્મજ્ઞાની આવી પૂર્ણ શ્રદ્ધાથી તે સર્વ ક્રિયા કલ્પનાઓને તરીને તેની પેલી પાર રહેલા પરમાનન્દના પરમાત્મારૂપ બનીને અનુભવ કરે છે. જે પેાતાનું પરમાત્મરૂપ છે તે ત્રણ કાળમાં ટળવાનું નથી. સત્તાએ પરમાત્મદ્રવ્યમાં અંશમાત્ર ફેરફાર થતા નથી. આવી એક વાર શ્રદ્ધા થઈ એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનું દિવ્ય ચક્ષુ પ્રગટ થઇ ગયું એમ જાણવુ. આત્મજ્ઞાનીઓ આવી આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. ત્રણ લેાકના દેવતાએ તેમને ચળાવવા આવે તે પણ તેઓ આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. તેમના ઉપર સમગ્ર વિશ્વમનુષ્ય ધસી આવે તા પણુ તેઓ સત્ય આત્મશ્રદ્ધાને ત્યજતા નથી. આત્મશ્રદ્ધાથી આત્મારૂપ પરમાત્માને તમે જે કહેશે તે પ્રમાણે થશે એમ પૂર્ણ શ્રદ્ધા રાખો. નાયમામા ચઢીને રુમ્બ: મલહીનવડે અનન્ત શક્તિમય આત્માને પ્રાપ્ત કરી શકાતા નથી. એકવાર આત્માની પરમાત્મભાવે શ્રદ્ધા થઈ તે પશ્ચાત્ આત્મા પોતે પરમાત્મશક્તિયાને પ્રકાશિત કરશે. આ બાબતમાં જરા માત્ર સંશય રાખશે નહીં. સંરાયામાં વિનત્તિ-અજ્ઞાની સંશય આત્મા નષ્ટ થાય છે. એક વાર પેાતાના આત્માના સ્વરૂપની ઝાંખી કરી કે પશ્ચાત્ વિચારો અને આચારેમાં દિવ્ય પરિવર્તન થવાનું જ. આત્મા-પરમાત્માના નામે અને આકારે જે જડ વસ્તુઓ વિશ્વમાં પૂજાય છે તેનો ખ્યાલ કરતાં અધ્યાત્મજ્ઞાનીએ કથે છે કે-એ સર્વ આત્માનેાજ
For Private And Personal Use Only