________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪).
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
થT
મેળવવી જોઈએ. ગુરુની કૃપા એજ ગુરુરૂપ ઈશ્વરની કૃપા છે. અતએ મુમુક્ષોએ શ્રદ્ધા ભકિતથી ગુરુના પાર્થ સેવી ગુરુકૃપા મેળવીને અધ્યાજ્ઞાનના અભ્યાસમાં લીન થવું જોઈએ.
જેણે ગુરુકૃપાથી ગુરુગમપૂર્વક આત્મજ્ઞાન મેળવ્યું હોય છે તે સ્વાત્માનેજ ઇશ્વરરૂપ માને છે, દેખે છે-અનુભવે છે. આત્મજ્ઞાની પિતાના આત્માને જ મહેશ્વર દેખીને અને અનેક નામો અને આકારોથી સાકાર ઈશ્વરરૂપ દેખીને કૃતકૃત્ય થઈ જાય છે. પશ્ચાતું તે અન્યત્ર ઈશ્વરને શોધવાને તથા પ્રાર્થના કરવા માટે પરિભ્રમતો નથી. સર્વ જીજ અનંત પરમાત્મા છે અને તેમની પરમાત્મસત્તાથી સમગ્ર વિશ્વ વ્યાપી રહેલું છે એમ તે સત્તાષ્ટિથી અનુભવે છે અને તેથી તે સંગ્રહનયસત્તાદષ્ટિએ જ્યાં ત્યાં જેમાં ઈશ્વરત્વને અવલોકે છે. આત્મજ્ઞાનીને આત્મજ્ઞાન દશા પ્રાપ્ત થયેલી હોવાથી સંસારના પદાર્થો તેને બાધા કરવાને શકિતમાન થતા નથી. સમુદ્રમાં કે તળાવમાં ગમે તે મનુષ્ય પડે તે તરવાની જ્યિાના અભાવે તેમાં મૃત્યુ પામે પણ જે તે તરક્રિયાનો જ્ઞાની હોય તો તેને જલ મારવાને શકિતમાન થતું નથી. તદ્રત ઈષ્ટનિષ્ટ એવા પંચંદ્રિયગ્રાહ્યપદાર્થોને આ સંસારસાગર છે તેમાં અજ્ઞાનીઓ બુડે છે અને આત્મજ્ઞાનીઓ તે તેના ઉપર તરે છે. ઈનિષ્ટકપાયેલા પદાર્થોમાં ડુબકીઓ ન મારનાર અને તેના ઉપર તરનાર એવા આત્મજ્ઞાનીને સાંસારિક વષયિક પદાર્થો બાધ કરવાને શકિતમાન થતા નથી. આત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થયું છે તેઓ ઈચ્છાનિષ્ટ પંચેંદ્રિય વિષયના સંબંધમાં આવતાં છતાં નિર્લેપ રહી શકે છે. અફીણ સેમલ વગેરે વિષને જે ભક્ષણ કરે છે તેના પ્રાણનો નાશ થાય છે પરંતુ
ઔષધી વગેરેથી સેમલ વગેરેને જેઓ મારીને અમુક પ્રમાણમાં ખાય છે તેના પ્રાણનીશરીરની ઉલટી પુષ્ટિ થાય છે. આત્મજ્ઞાનીઓ સાંસારિક ભાગ પદાર્થોને આત્મજ્ઞાનથી મારીને ભગવે છે તેથી તે તે વૈષયિક પદાર્થોથી તેઓ બંધાતા નથી. ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થ કરમાં કેચિત્ તે ચક્રવત્તિ હોય છે તેઓ આખી દુનિયાનું રાજ્ય કરે છે, સર્વ સાનુકૂળ પદાર્થોને ઉપભેગ કરે છે છતાં તેઓ બંધાતા નથી. ઊલટા તેઓ કર્મની નિર્જરા કરે છે આત્મજ્ઞાનીઓને પાંચે ઇઢિયે હોય છે. પ્રત્યેક ઇદ્રિયથી તેઓ તે તે ઇદ્રિયગ્રાહ્ય વિષયને ગ્રહે છે, પરંતુ તેમાં ઇબ્રાનિત્વની ભાવનાઓવડે મનને પ્રવર્તાવતાં નથી; તેથી તેઓ ઇકિયના વિષયોથી બંધાતા નથી. આત્મજ્ઞાની ચાલે છે, હાલે છે, ખાય છે અને પીએ છે, ઈત્યાદિક શારીરિક કર્મોમાં પ્રવૃત્ત થાય છે. પણ આત્માને આત્મા તરીકે અવબોધીને અન્ય સર્વના અહંમમત્વથી મુકત રહે છે, તેથી તેઓ વેદાન્તની જીવન્મુકત દશા અને જૈનદૃષ્ટિએ સમ્યગ્દષ્ટિની દશાને પ્રાપ્ત કરે છે. કરોડો-અસંખ્ય અજ્ઞાની મનુષ્યો કરતાં એક આત્મજ્ઞાની મનુષ્યનું જીવન ઉત્તમ છે. કરોડો અજ્ઞાનીઓ જે પાપ કરે છે તેવું પાપ યદિ જે એક આત્મજ્ઞાની કરે તે પણ તે આત્મજ્ઞ હોવાથી કોડે અજ્ઞાનીઓ કરતાં અનંતગુણહીન કર્મબંધ કરે છે, અથવા તે તે અમુક કષાયના અભાવે નિર્લેપ રહે છે. આત્મ
For Private And Personal Use Only