SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુ મહિમા. ( ૧૯૩) અધ્યાત્મજ્ઞાનસંબંધી સમય પ્રાભૂતનાં અમૃત વચનનું મનન કરીને અધ્યાત્મજ્ઞાનીઓ આત્મસમાધિમાં મસ્ત બનીને પરભાવને ભૂલી જાય છે. આવી અધ્યાત્મજ્ઞાનસંબંધી સમ્યગદષ્ટિ પ્રાપ્ત કરવાને શ્રી સદગુરુના શરણે રહીને સદગુરુની કૃપા મેળવવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સદ્ગુરુની કૃપા એજ પુષ્ટ કારણ છે. શ્રી ગુરુની કૃપા મેળવ્યા વિના આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થતું નથી. અએવ કથવામાં આવે છે કે અધ્યાત્મજ્ઞાની સદ્ગુરુનું શરણ અંગીકાર કરીને સદા તેમની કૃપા મેળવવી. શ્રીસદ્દગુરુની કૃપાથી જે જે અંશે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે તે અંશે ખરેખર આત્મામાં પરિણમે છે. અને તેથી આત્માનું આન્તરિક પુનરુજજીવન સ્વયમેવ પ્રાદુર્ભત થાય છે. ગુરુની કૃપાવડે જ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અતએ ગુરુકૃપા મહિમા કથવામાં આવે છે. ( હNi ) ગુની કૃપાથી મળે મંત્ર વિદ્યા, ગુરુની કૃપાથી ટળે છે અવિદ્યા; ગુરુની કૃપાથી મળે મંત્ર કુચી, ગુરુની કૃપાથી થતી જાત ઉંચી ગુરુની કૃપાથી મળે સુષ્ક આશી, ગુરુ ભક્તિથી સિદ્ધિ અષ્ટ દાસી; ગુની કૃપાથી ગુરુત્વ પ્રકાશે, સદા સાત્વિકબુદ્ધિ ચિત્ત વિકાશે. ગુરુની કળાઓ મળે જ્ઞાન આવે, ગુરુની કૃપાથી મહાસિદ્ધિ થા; ગુરુની કૃપાથી અધાયું મળે છે, ગુરુની કૃપાથી કુબુદ્ધિ ટળે છે. ગુરુની કૃપાથી મળે જ્ઞાન સાચું, અહે તે વિના જ્ઞાન છે સર્વ કાચું; થયા વિશ્વમાં જેહ સર્વજ્ઞ સતે, ગુરુની કૃપાથી મહત્વે ભદન્ત. ગુરુની કૃપાથી મળે ઈષ્ટ ધાયું, ગુરુની કૃપાથી મળે છે વિચાયું; ગુરુની કૃપાથી થતી જીત ધારી, ગુસ્ની કૃપાથી મળે ઈષ્ટ યારી. ગુરુની કૃપા એ મહામંત્ર જાણો, ગુરુની કૃપાએ મહાદેવ માને; ગુરુની કૃપા વિષ્ણુ બ્રહ્મા જ પોતે, ગુસ્ની કૃપાથી રહે છવ તે. ગુની કૃપાએ મળે વર્ગસિદ્ધિ, ગુરુની કૃપાએ મળે સર્વ ઋદ્ધિ; ગુરુની કૃપામાં રહી દૈવી શક્તિ, ગુરુની કૃપામાં રહી સિદ્ધ વ્યક્તિ. ગુરુની કૃપામાં રહ્યા દેવ દેવી, ગુરુ ભક્તને વાત છે ઇષ્ટ એવી; ભર્યું ને ગમ્યું આવતું સર્વ લેખે, કૃપાદૃષ્ટિથી સદ્ગુણો પૂણું પેખે. ગુરુની કૃપાથી સમાધિ મળે છે, ભલા ભાવથી ધ્યાનમાંહિ ભળે છે; ગુરુની કૃપા મેળ સત્યશિક્ષા, બુક્ષ્યબ્ધિ ગુરુની કૃપામાં જ દીક્ષા. મોક્ષમાર્ગની સત્ય નિઃસરણભૂત અધ્યાત્મજ્ઞાનની પ્રત્યર્થે શ્રીસદ્દગુરુની કૃપા અવશ્ય ૨૫ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy