________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮ )
શ્રી કમલગ ગ્રંથ-સવિવેચન.
(નાશ) થાય છે તેથી જે પિતાનું સંરક્ષણ કરવું હોય તો આત્માને અધ્યાત્મજ્ઞાન વડે પરિણાવવો જોઈએ. સર્વ પ્રકારનાં અધિકાર પ્રાપ્તઆવશ્યકકાર્યો કરતાં છતાં નિર્મુકત રહેવાને માટે પરિપકવ જ્ઞાનદશા સંપ્રાપ્ત કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનસ્વરૂપમાં જ્યારે આત્મા પરિણામ પામે છે ત્યારે બાહ્યકામાં અહેમમત્વની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હર્ષશેક રહિતપણે આત્માનન્દમાં મગ્ન થઈને કર્મયોગ કરાય છે. અધ્યાત્મજ્ઞાનિ મહાદેશને હૃદયમાં ધારણ કરીને કર્મવેગને આદરે છે. તેઓ સંમૂરિ મની પેઠે ક્રિયાપ્રવૃત્તિમાં પ્રવર્તાતાં નથી. અધ્યાત્મજ્ઞાનિ વ્યવહારનયપ્રમાણે વ્યવહારે બાહ્યથી પ્રવર્તે છે અને અંતરથી ન્યારો રહે છે તેથી તેઓ ચિતક્રિયાગથી ભ્રષ્ટ થતા નથી. અધ્યાત્મજ્ઞાનિ
ના હસ્તમાં ખરેખર ક્રિયાયોગ (કર્મવેગ) રહેલો હોય છે. ક્રિયાયોગના અસંખ્ય ભેદે. છે તેથી તે વિષે એકસરખી સર્વની પ્રવૃત્તિ અમુક બાબતમાં હોય વા ન હોય તેથી તે ચર્ચાનું કારણ નથી. અધ્યાત્મજ્ઞાનીમુનિવર શબ્દના પ્રહારને સહે છે. જગતના અનેક વાપ્રહારને સહન કરીને સ્વકર્તવ્યમાં અડગ રહે છે. મૃતકદેહને શુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે અને પુષ્પમાળાઓનું પરિધાન કરવામાં આવે તેમજ તેને અશુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે તે બન્નેમાં તેને કાંઈ હર્ષશેક થતું નથી; તદ્વત્ અધ્યાત્મજ્ઞાનિયે જગતની શુભાશુભ વૃત્તિથી મરેલા હોય છે તેથી તેઓને પૂજવામાં વા નિવામાં આવે તો તે બન્નેથી તેમને કંઈ અસર થતી નથી. એવી શબ્દનપ્રતિપાદ્ય અપ્રમત્ત જીવન્મુકત મહાત્માની દશા પ્રાપ્ત કરવાને તે અભ્યાસ સેવા જોઈએ કે જેથી અજ્ઞાનથી મરેલી દુનિયાનું પુનરુજજીવન કરી શકાય.
અધ્યાત્મજ્ઞાની ચૈિતન્યવાદી છે અને જે આત્મજ્ઞાની નથી તે જડવાદી છે. પિતે આત્મા છતાં જડવતુમાં સુખદુઃખની કલ્પનાથી અહંમમત્વ કલ્પીને રાગદ્વેષવૃત્તિથી અનેક કર્મને બાંધે છે. આત્મા અને કર્મનું પરિપૂર્ણ સમ્યફસ્વરૂપ અવબોધાયું નથી ત્યાં સુધી મનુષ્ય બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે વિશ્વની સાથે યુદ્ધ કરે છે અને ભોતિકેન્નતિમાંજ પિતાનું સર્વસ્વ કલ્પી લે છે. જડવાદી અર્થાત્ નાસ્તિકવાદી ધર્મની ક્રિયાઓ યદ્યપિ કરે છે તો પણ જડવસ્તુઓમાં અહેમમત્વવૃત્તિથી તન્મય બનીને રહે છે. જડસુખવાદ માત્રથી સિકંદર વગેરે બાદશાહોએ આર્યાવર્ત પર સ્વારી કરીને કરડે મનુષ્યને સંહાર કર્યો. ભલે તેઓ ચૈતન્યવાદી તરીકે પિતાને માનતા હશે પરંતુ તેઓના કૃત્યો તે જડવાદીઓથી વ્યતિરિક્ત નહોતાં એમ કથતાં વિરોધ આવતો નથી. જે મનુષ્ય સર્વજીને પિતાના આત્માસમાન માને છે અને સર્વ જીવોની દયા વગેરેમાં યથાશક્તિ સેવાધર્મથી પ્રવૃત્ત થાય છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે. ગામવત્ નમૂતિg : પરથતિ જ ઘરથતિ એ પ્રમાણે જ્યાં સુધી દષ્ટિ થઈ નથી ત્યાંસુધી ચૈતન્યવાદી વા અધ્યાત્મજ્ઞાની બનવાને
For Private And Personal Use Only