________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
અને અનેક ઘર પરિષહ સહવાને સમર્થ થયા હતા. ગજસુકુમાલ, સ્કંધસૂરિના શિષ્ય, મેતાર્યમુનિ વગેરેના દૃષ્ટાંતે એમ જણાવે છે કે આ પરિણમન થયા વિના ભાવચારિત્ર-નિશ્ચયચારિત્રપણે આત્મા પરિણામ પામી શકતો નથી. અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થવાથીજ ત્યાગ દાન ક્ષમા અને દયા વગેરે ગુણે સારી રીતે પ્રગટી શકે છે. આત્માને સર્વ જડવસ્તુઓથી અને દેહાદિ જડથી ભિન્નપણે અનુભવવામાં આવે છે ત્યારે સર્પની કાંચળીની પેઠે આપોઆપ કર્મના આવરણે વિખરવા લાગે છે અને નિરાવરણ સૂર્યની પેઠે આત્મા સર્વ જ્ઞાનાદિ શક્તિઓ વડે પ્રકાશી શકે છે; આત્મજ્ઞાન થયા બાદ કીર્તિ અને અપકીર્તિની અસર આત્મા પર ન થાય એ અભ્યાસ પાડે જોઈએ. કોઈ ગાળ દે અને કઈ સ્તુતિ કરે તેપણું નામ રૂપની કલ્પનામાં પરિણમન ન થાય એવી રીતને અભ્યાસ સેવ જોઈએ. આત્મજ્ઞાનિયે દુનિયાના માન અને અપમાનપ્રતિ લક્ષ દેતા નથી. માન-અપમાન સ્તુતિ-નિન્દા હર્ષ શેક અને સુખ દુઃખ વગેરેના સંગો વચ્ચે આત્માને મૂકીને તેમાં આત્મા અલિપ્ત કેટલે રહે છે તેની તપાસ કરવી અને તેવા સંયેગો ખાસ સેવીને આત્માની અલિપ્તતાને પ્રકટાવવી કે જેથી પુનઃ મહાદિથી પાછા પડવાને પ્રસંગ ન આવે અને અધ્યાત્મજ્ઞાનમાં આત્મા પરિણમે. અધ્યાત્મશાસ્ત્ર વાંચીને અને શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાનમાં વિજ્ઞ થવા માત્રથી આત્માના સ્વરૂપમાં પરિણમી શકાતું નથી, પણ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન કરવાથી સુખદુઃખાદિથી આત્મ નિર્લેપ રહી શકે છે.
અધ્યાત્મજ્ઞાન સંપ્રાપ્ત થાય એવા સરુની ઉપાસના કરીને અને અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરીને ઉપસર્ગો પ્રાપ્ત થતાં આત્માના ઉપર શોકાદિની અસર ન પ્રાપ્ત થાય એવી રીતને અભ્યાસ સેવા જોઈએ. હજારે મનુષ્ય પોતાની અનેક પ્રકારની નિન્દા કરતા હોય તે શ્રવણે સંભળાતી હોય, અપમાન વગેરે દેખાતું હોય તો પણ આત્માના ઉપર જરા માત્ર અસર ન થાય એવી રીતે જ્યારે પિતાના આત્માને અનુભવ આવે ત્યારે સમજવું કે અધ્યાત્મપરિણતિએ પરિણમવાનું થયું ખરૂં. અનેક પ્રકારની ઉપાધિ શીર્ષ પર પડી હોય, મૃત્યુ વગેરે ભયે સામા ઊભા થએલા દેખાય અને અનેક પ્રકારના રોગવડે શરીર ઘેરાયેલું હોય તેવા વખતે આત્મા તટસ્થ સાક્ષીભૂત થઈને અશાતાદિ દે ત્યારે સમજવું કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં પરિણમન થયું. શ્રી મહાવીર પ્રભુ છદ્મસ્થાવસ્થામાં અનાર્ય દેશમાં વિચર્યા હતા. ત્યારે અનાર્ય લોકો તેમની મશ્કરી–હાંસી કરતા હતા, અનેક ખરાબ શબ્દો વડે ગાળો દેતા હતા. તેમના ઉપર ધૂળ ઉડાડતા હતા. તેમની અનેક ખરાબ શબ્દ વડે હેલના-નિન્દા કરતા હતા. આવા પ્રસંગે મહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાનવડે સ્વાત્માને સર્વ દુઃખાદિને સાક્ષી તરીકે અનુભવીને અનેક શેક અપમાન આદિથી
For Private And Personal Use Only