SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મસંયમનો આનંદ ઓર છે. પર અમલ ચલાવે, અને લાભ થાય તેવી રીતે તેની કાળજી રાખે તથા જોઈતી સઘળી વસ્તુ પૂરી પાડે તેમજ કૃપાદૃષ્ટિથી તેની સાથે વર્તે તો આત્મા અને શરીર એ બેના મળવાથી મનુષ્ય પૂર્ણ સ્થિતિએ પહોંચી શકે છે. પરંતુ જે શરીર અમલ ચલાવવાનો યત્ન કરે અને તૃષ્ણાનું જોર વધારી પછી અનેક પ્રકારની ઈરછાઓ વધારી વિવેકના ઉપર અંકુશ રાખવા માંડે તે શરીરને આત્માન સમાગમ યોગ્ય થશે નહિ. અને તેવી સ્થિતિવાળે મનુષ્ય મૂર્ખ રહેવાનો અને દુઃખી થવાને ” એક પાશ્ચાત્ય વિદ્વાન લખે છે કે “ મનુષ્યને જે જે નઠારી વસ્તુઓ વળગેલી છે તે બધામાં તેમને પિતાને નઠાર સ્વભાવ એ વધારેમાં વધારે ખરાબ છે ” “ આપણા સુખને માટે આપણે બહાર જેવાની જરૂર નથી પણ તે આપણામાંજ આપણા આત્મામાં જ રહેલું છે. સ્વર્ગનું રાજ્ય તમારી અંદર છે” “મરજી પ્રમાણે વિભવ ભેગવવાથી થતા આનન્દ કરતાં આત્મસંયમથી વધારે આનન્દ મેળવી શકાય છે “ઈન્દ્રિયો જે ખરા આનન્દથી ભરપૂર હોય છે તેને આપણે વશ થઈશું તો જિંદગીના ખરાબા ઉપર અને વમળમાં અથડાવી ઘણી પાયમાલી કરી નાખશે. ” મૃત્યુ અને છેવટને ઈન્સાફ-સ્વર્ગ અને નરક એને જેઓ વારંવાર વિચાર કરે છે તે જરૂર સારું જ કામ કરશે ” ગ્રીકસૂત્ર “તું તને પિતાને પીછાન છે તમારે જેવા થવાની ઈચ્છા છે તેવા તમે છે " નીકએ કચ્યું છે કે “ પડછાયા પાછળ ફાંફાં મારે છે અને ફેગટ પોતે ઉગ કરે છે. સેક્રેટીસે કચ્યું છે કે સારા માણસને આ જીંદગીમાં કે મૃત્યુ વખતે કંઈપણ દુઃખ થતું નથી. બાઈબલમાં એક જગ્યાએ લખ્યું છે કે “ નાશને રસ્તે લઈ જવાને દરવાજો પહેળે છે. વળી તે રસ્તે થઈને જનારા પણ ઘણું છે કેમકે જિંદગીનો ખરો રસ્તો તથા દરવાજો એ બને સાંકડા છે અને તે થોડા માણને જડે છે ઈન્દ્રિયાદિક વૈભવ ભેગવવાથી જેટલું સુખ મળે છે તેના કરતાં વધારે સુખ આત્મસંયમથી મળે છે ” સેન્ટ કોસેસ્તમ કહે છે કે “ હાલની સ્થિતિ એ તો ફકત નાટકનો ખેલ છે તેમાં સમૃદ્ધિ અને ગરીબાઈ રાજા અને પ્રજા અને એવી બીજી બાબતો નાટકના સ્વાંગ છે. “ આ દુનિયા એક રંગભૂમિ છે તેમાં આપણે જુદે જુદે ભાગ લેનારા પાત્રો છીએ તેથી દરેક જણના જાણવામાં છે કે નાટક જે રીતે ભજવવામાં આવે છે તેના ઉપરજ ફત્તેહ મેળવવાનો આધાર છે” એમર્સન વગેરે વિદ્વાનો એ પ્રમાણે આધ્યાત્મિક વિચારોને પ્રકાશે છે. હવે પાશ્ચાત્ય દેશમાં આર્યાવર્તનાં અધ્યાત્મશાસ્ત્રોને પ્રકાશ પડવા લાગે છે તેથી ભવિષ્યમાં તે દેશીય મનુષ્યના વિચારોમાં ઘણો સુધારવધારો થવાની આશા રહે છે. આર્યાવર્તમાં આર્યોની ખરી મૂડી અધ્યાત્મશાસ્ત્ર છે. અન્ય દેશો આર્યાવર્તને અધ્યાત્મજ્ઞાન માટે ગુરુ માનશે. સર્વદેવ મનુષ્યોને આર્યાવર્ત ખરેખર અધ્યાત્મજ્ઞાનથી ૨૩ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy