SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R કદાગ્રહ અધઃપતનનું મૂળ છે. ( ૧૬૫ ) લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઈએ. સામાન્ય વિચારમતભેદ અને કર્તવ્યમતભેદના કદાગ્રહથી જનસમાજસેવાઓમાં અનેક કદાગ્રહો પડી ગયા છે અને પ્રત્યેકધર્મમાં પણ કદાગ્રહયોગે અનેક લઘુપળે પડી ગયા છે. સામાન્ય બાબતેના કદાગ્રહથી સમૂહીભૂત બલનું પૃથક્કરણ થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે પરસ્પર વિર્ય શક્તિનું સંઘર્ષણ થવાની સાથે લઘુ યાદવાસ્થળી પ્રારંભાય છે. માનદશાથી મનુષ્ય કદાગ્રહવશ થઈને આ વિશ્વમાં જેવી રીતે સ્વફરજ ગુજારવાની છે તેવી રીતે સ્વફરજ ગુજારી શકતા નથી. રાજપુતાનામાં અનેક રાજપુત રાજાઓએ પરસ્પર કદાગ્રહવશ થઈ સમૂહીભૂત શક્તિની પૃથતા કરી અવનતિ માર્ગ પ્રતિ ગમન કર્યું તે કર્નલ ટેડના રાજપુતાના ઈતિહાસ(ટેડ રાજસ્થાન)થી અવગત થઈ શકે છે. જૈનાચાર્યો સૈદ્ધાચાર્યો અને વેદધર્મપ્રવર્તકાચાર્યોએ પરસ્પર સામાન્ય ધર્મમત ભેદના કદાગ્રહથી આર્યાવર્તની અવનતિમાં એક દૃષ્ટિએ દેખીએ તે કંઈક વિચિત્ર! આત્મભેગ આપે છે. જૈનાચાર્યોની સામે વેદાન્તધર્માચાર્યોએ કદાગ્રહયોગે અનેક ધર્મયુદ્ધો ક્યાં છે અને તેથી પરસ્પર કદાગ્રહ કલહથી સંય પામેલાઓ પર મુસલમાનોએ કદાગ્રહયોગે ધર્મવિજય મેળવવા સાતસું વર્ષ પર્યત પ્રયત્ન કર્યો પરંતુ તેથી કંઈ શુભ પરિણામ આવ્યું નહિ. ન્યાયદષ્ટિએ દેખીએ તો સ્વકર્તવ્ય કરવાની ફરજને પ્રત્યેક મનુષ્ય અદા કરવી જોઈએ પરંતુ અન્યની બાબતમાં માથું મારીને કદાગ્રહ કરવો ન જોઈએ. પિતાના વિચારોને અને આચાર સંબંધી અન્યની સાથે કરાગ્રહ કરવાથી કંઈ વળતું નથી અને ઊલટું પરસ્પરનું વીર્ય નકામું સંક્ષયતાને પામે છે. અતએ કદાગ્રહ રહિત થઈ સ્વકાર્ય પ્રવૃત્તિ કરવી કે જેથી સ્વપરની પ્રગતિમાં કઈ પણ જાતને વિરોધ ન આવે. જે મનુષ્ય કદાગ્રહી હોતા નથી તેઓ વિશ્વમાં જ્યાં ત્યાં પ્રત્યેક બાબતમાં આગળ વધે છે અને તેથી તેઓ સત્ય સંપ અને ન્યાય એ ત્રણને વિશેષતઃ પૂજનારા થાય છે. આર્યાવર્તમાં મહાભારતના યુદ્ધારંભથી પ્રાયઃ કદાગ્રહનું પ્રાબલ્ય વધ્યું અને તેથી આર્યાવર્તવાસીઓની પડતી દશા કયાં સુધી થઈ તે સર્વ સુના જાણવાની બહાર નથી. આર્યાવર્તની ઉન્નતિમાં કદાગ્રહ એક ધૂમકેતુના સમાન નડે છે. ધર્મોન્નતિમાં પણ કદાગ્રહ એક ધૂમકેતુના સમાન નડે છે. કદાગ્રહને ત્યાગ કરવાથી સ્વક્તવ્ય કાર્ય પ્રવૃત્તિની એગ્યતા પ્રાપ્ત થઈ શકે છે એવું જાણીને કદાગ્રહ રહિત દશાને પ્રાપ્ત કરવા માટે અને સ્વકાર્યપ્રવૃત્તિમાં દૃઢ નિશ્ચયભાવ ધારણ કરવાને સદા પ્રયત્ન કરવો જોઈએ અને કદાગ્રહ રહિત થઈ પ્રત્યેક આવશ્યક કર્મ કરવું જોઇએ. કદાગ્રહવિહીનની પેઠે સાપેક્ષકાર્યબોધ જેને છે એ મનુષ્ય સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે કર્તવ્ય કાર્યો કે જે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાગે કરવા ગ્ય છે તેને કરી શકે છે. નિરપેક્ષ કાર્યબોધવાળે મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં અનેક ઠોકર ખાઈ બેસે છે અને સાપેક્ષ કાર્યબોધવાળે મનુષ્ય વસ્તુતઃ કદાગ્રહ રહિત થઈને કાપ્રવૃત્તિને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy