________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
( ૧૬૪)
શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન.
BE
દષ્ટિ કરવા માટે અને અનેક અપેક્ષાઓ વડે સત્ય જાણવા માટે સદ્ગુરુગમદ્વારા સ્યાદ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સત્ય સ્યાદ્વાદવાદથી અનેક પ્રકારના અજ્ઞાનયોગે થતા કદાગ્રહોથી મુક્ત થવાય છે. ધાર્મિક સવિચારે અને આચારને સાપેક્ષવાદે અવબોધતાં સંકુચિત દષ્ટિવડે થતા કદાગ્રહથી મુક્ત થવાય છે. એકાન્તવાદની બુદ્ધિયોગે કોઈપણ કર્તવ્ય કાર્યની ચારે બાજુઓનું સત્ય અનેક દષ્ટિબિન્દુની બહાર પ્રબોધી શકાતું નથી અને તેથી સત્યની અનેક બાજુની અજ્ઞાનતાથી સ્વદષ્ટિની બહાર જે જે સત્યો રહેલાં હોય તેઓને અસત્ય માની વા અસત્યને સત્ય માની કદાગ્રહનું શરણ સ્વીકારવું પડે એ ખરેખર બનવાયોગ્ય છે. અનેક અપેક્ષાઓએ એક કર્તવ્યસંબંધી સત્યને અવબોધતાં છતાં માનવૃત્તિ પૂજવૃત્તિ સત્કારવૃત્તિ સ્વપક્ષવૃત્તિ રાગવૃત્તિ અને આશ્રયવૃત્તિ આદિ અનેક મેહગર્ભિત વૃત્તિયોથી સત્યકર્તવ્યને આદરી શકાતું નથી અને મુખથી એ સત્ય છે એમ અન્યો આગળ થી શકાતું નથી—એમ પણ બની શકે છે. અતએવ કદાગ્રહને નાશ કરવા માટે સાપેક્ષજ્ઞાનની સાથે મેહવૃત્તિયોના નાશની અત્યંત જરૂર છે. મહી મનુષ્યો સત્યને અવબોધતાં છતાં સત્યકર્તવ્યને ન કરવામાં કદાગ્રહને ધારણ કરે છે અને તેઓ અનેક બાબતના સત્યકર્તવ્ય કાર્યોને અસત્ય ઠરાવે છે અને અસત્યને સત્ય ઠરાવે છે. અજ્ઞાન કોધ માન માયા લેભ કામ અને ઈર્ષ્યાદિદે જેમ જેમ જે જે અંશે ટળે છે તે તે અંશે કદાગ્રહથી વિમુક્ત થવાય છે અને સત્ય વિચારો અને આચારને સેવી શકાય છે. જેમ જેમ આત્મજ્ઞાનાદિમાં ઉદારદષ્ટિ ખીલતી જાય છે તેમ તેમ કદાગ્રહ પક્ષપાત વગેરેનો નાશ થાય છે અને સ્વફરજમાં દઢભાવથી અચલપ્રવૃત્તિ થાય છે; કદાગ્રહ બુદ્ધિ કરતાં સત્ય બુદ્ધિ અને કદાગ્રહપ્રવૃત્તિ કરતાં સત્યપ્રવૃત્તિનું બલ વિશેષ પ્રકારે ખીલે છે અને તેથી વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં અપ્રમત્ત ઉપયોગ રહે છે. કદાગ્રહરહિત મનુષ્ય અનેક બાબતોને અનેક સત્ય દૃષ્ટિબિન્દુઓથી અવલોકીને સત્યપૂજક બને છે અને એવી તેની પ્રવૃત્તિથી તે સ્વકાર્યોની પ્રવૃત્તિમાં અને વિચારોમાં વિશ્વની સાથે ઉદારભાવે પ્રવર્તે છે. કદાગ્રહ એજ અવનતિનું મુખ્ય ચક્ર છે તેથી આમેન્નતિ કુટુંબન્નતિ સમાજેન્નતિ અને સંઘન્નતિમાં અનેક વિક્ષેપો-વિદનો ઉપસ્થિત થવાની સાથે પ્રગતિના જે જે હેતુઓ હોય છે તેમાં હાનિ ઉદ્ભવે છે. કાર્યપ્રવૃત્તિમાં કદાગ્રહ ન રહેવો જોઈએ પરંતુ દઢનિશ્ચયમાંથી અંશમાત્ર ચલીતા ન થવી જોઈએ. સ્વકાર્યપ્રવૃત્તિફરજથી ભ્રષ્ટ થએલ મનુષ્ય વ્યાવહારિકેન્નતિ અને ધાર્મિકેન્નતિમાર્ગથી પતિત થાય છે અને તેથી તેઓ બેબીને કૂતરો ઘરને નહિ અને તેમજ ઘાટને નહિ એવી દશાને પ્રાપ્ત કરે છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં દઢપણે પ્રવર્તતાં અન્ય મનુષ્ય તેમાં કેદાગ્રહ માને તેથી ઉદ્વિગ્ન થઈ કદાપિકાલે સ્વકર્તવ્યપ્રવૃતિનો ત્યાગ કરવો ન જોઈએ. કદાગ્રહના ત્યાગને નામે સ્વકર્તવ્યસત્યપ્રવૃત્તિને કદાગ્રહવડે ભેળા ભાવથી ત્યાગ ન થાય એવું ખાસ
For Private And Personal Use Only