SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય એજ ઉત્કૃષ્ટ ધર્મ. ( ૧૬૩ ). ગ્રહકારક પ્રગતિકારક અને આત્માન્નતિકારક ક્તવ્યકાર્યોમાં નિષ્કામ ભાવ ધારીને પ્રવૃત્ત થાઓ. તમારા આત્માની ઉન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ થાય એવી તમારી પાસે ઘણી શક્તિ છે તેને તમે જાણે અને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જોડાઓ. વિશ્વવતી મનુષ્ય !! તમે કદાગ્રહથી સ્વકર્તવ્યકર્મમાં અનેક વિદને ઉપસ્થિત ન કરે અને પરસ્પર ઉપગ્રહ કરવાના ન્યાયસૂત્રને માન આપી ઉદારહદયથી વિશ્વમાં વતે. વિશ્વમાંથી એક કદાગ્રહ ટળી જાય તો અનન્તગણે વિશ્વોન્નતિમાં લાભ થાય અને વિશ્વમાંથી સંકુચિત વિચારો અને આચારને નાશ થાય તથા આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરી શકાય. આ વિશ્વમાં વસ્તુતઃ નિષ્કામપણે સ્વાધિકારકાર્ય પ્રવૃત્તિમાં જે કંઈ કદાગ્રહ થાય તો તેનો ત્યાગ કરવો જોઈએ. વાઢાપિ હિતં ગ્રાહ્યમ્ બાલથી પણ હિત ગ્રહવું જોઈએ અને પક્ષપાત તથા કદાગ્રહને ત્યાગ કરીને સ્વકર્તવ્ય પ્રવૃત્તિફરજમાં મગ્ન (મસ્ત) રહેવું જોઈએ. સ્વર્તવ્ય પ્રવૃત્તિમાં સુધારા વધારોએ હે જોઈએ કે જે પ્રગતિમાર્ગને વર્તમાનમાં તથા ભવિષ્યમાં વિરોધક ન હોય; તેવા સુધારાવધારાયુક્ત પ્રગતિમાર્ગમાં કદાગ્રહને ત્યાગ કરીને પ્રવર્તવું જોઈએ. કોઈ પણ નિમિત્તે થતો કદાગ્રહ ખરેખર પ્રગતિમાર્ગમાં વ્યવહાર અને નિશ્ચયતઃ કંટકરૂપ થાય છે. અજ્ઞાન અહંવૃત્તિ આદિથી કદાગ્રહબુદ્ધિ ઉદ્દભવે છે અને તેથી શુભ પ્રગતિકર્તવ્યોમાં હાનિ થાય છે. પ્રત્યેક ક્ષણે કર્મયોગીએ પિતાના આત્માને કઈ પ્રકારના કદાગ્રહથી રહિત થવાને માટે પૂછવું જોઈએ અને જે જે બાબતોને કદાગ્રહ થતું હોય તેનો ત્યાગ કરવો જોઈએ. કદાગ્રહથી વૈર-વિરોધ-દ્વેષકલેશયોગે તન મન ધનની શકિતયોનો નકામો વ્યય થાય છે. તથા જ્ઞાતિ નો ધમૈઃ સત્યથી ઉત્કૃષ્ટ કાંઈ ધર્મ નથી. અનેક અપેક્ષાઓ અનેક આશયથી સત્ય મહાસાગરનું એક બિન્દુ અવગત થાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવે અમુક દૃષ્ટિથી જે સત્ય હોય તે તેનાથી વિરુદ્ધ દૃષ્ટિથી તપાસતાં અસત્ય લાગે છે. અનેક દષ્ટિએ એક પદાર્થના ધર્મોનું સત્ય તપાસવામાં આવે તે પરસ્પર વિરોધક દૃષ્ટિએ ભાસેલું અસત્ય પણ પરસ્પર સાપેક્ષ દૃષ્ટિયોએ સત્ય તરીકે સમજાય છે તથા તેમાં દરૂપે બેધન નિશ્ચય થાય છે ત્યારે સંકુચિત દૃષ્ટિબિન્દુ ટળીને તેને સ્થાને સાપેક્ષ દષ્ટિબોધને મહાસાગર થાય છે તેથી પૂર્વના કદાગ્રહિત નિર્ણયોનો વિલય થઈ જાય છે અને સ્વાધિકાર સત્યકર્તવ્યપ્રવૃત્તિ પ્રયત્ન સેવી શકાય છે. અમુક મનુષ્યની દ્રવ્ય ક્ષેત્રકાલભાવની સ્થિતિએ જે કંઈ સત્યકર્તવ્યપ્રવૃત્તિ જણાતી હોય છે તે અન્યના દષ્ટિબિન્દુથી તેના અધિકારે અસત્ય પ્રવૃત્તિ પ્રબંધાય છે તેથી સ્વકર્તવ્યપ્રવૃત્તિ માટે સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવે સ્વબુદ્ધિદ્વારા જે સત્ય ભાસે છે તેના આશ્રયની ઉપયોગિતા અંગીકાર કરવી જોઈએ. સ્વાત્મકર્તવ્યકાર્યની પ્રવૃત્તિમાં અનેક નયોની અનેક દૃષ્ટિથી સાપેક્ષ સત્ય પ્રબોધાતાં સ્વાધિકાર નિશ્ચયતાથી પ્રવૃત્તિ કરાય છે અને કદાગ્રહને વિલય કરી શકાય છે. સ્વકાર્યપ્રવૃત્તિના સાપેક્ષ સવિચારોથી કદાગ્રહ રહિત For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy