________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કર્મયોગ ગ્રંથ વિવેચન.
આપવામાં આવશે ત્યારે વિદ્યાકર્મ ક્ષાત્રકર્મ વૈશ્યકર્મ અને સેવાકર્મમાં પ્રત્યેક ભિન્ન ભિન્ન કર્મચગીની નિષ્કામદશાએ પ્રવૃત્તિ થશે અને તેથી સર્વ વ્યષ્ટિઓના સમૂહભૂત સમણિરૂપ જગતની દિવ્યતામાં અત્યન્ત શુભ પ્રગતિ થશે. આ વિશ્વમાં નિષ્કામકર્મ પ્રવૃત્તિની જેટલી ઉરચતા છે તેટલી અન્ય કોઈની નથી એમ અનુભવષ્ટિથી વિચાર કરતાં અવબોધાશે. નિષ્કામકર્મવેગીને કેઈપણ જાતની વ્યક્તિ અંગે વા અન્ય કામના નહિ હોવાથી તે સંસારમાં વ્યાવહારિક વા ધાર્મિક કઈ પણ જાતનું કાર્ય કરતાં પક્ષપાતના
ગે થતા કદાગ્રહને ધારણ કરી શકતું નથી. નિષ્કામદશાએ પક્ષપાત થઈ શકે નહિ અને પક્ષપાત વિના કદાગ્રહ થઈ શકે નહિ એ અનુભવ છે. નિષ્કામ મનુષ્ય સત્યની પ્રતિ લક્ષ્ય આપે છે અને તેથી અનેક પ્રકારની સિદ્ધિ તેની તરફ આકર્ષાય છે. તે કઈ પણ જાતના કદાગ્રહને ધારતું નથી અને તેથી તે સત્યની અનેક અપેક્ષાઓ સમજીને સત્યને પૂર્ણગ્રાહી બને છે અને કદાગ્રહમાં પડતું નથી. સ્વાધિકારે કર્તવ્ય કર્મથી ચલિત થઈને અન્ય વિચારે અને આચારોના કદાગ્રહમાં પડવું તે યંગ્ય નથી. કદાગ્રહ-પક્ષપાતાદિથી દેશની અને ધર્મની પતિતદશા થાય છે. કદાગ્રહથી સ્વાધિકાર જે જે વિશ્વોન્નતિકારક દેશોન્નતિકારક સમાજેન્નતિકારક અને આત્મન્નિતિકારક આવશ્યક કર્ત કરવાનાં હેય છે તેમાં અનેક પક્ષે પડવાથી વા વિરોધ પડવાથી કલેશ-કુસંપગે પરસ્પર સમૂહભૂતવીર્યને દુર્ભાગે વ્યય થાય છે. કદાગ્રહ થવાથી આન્નતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિના સીધા સરલમાર્ગથી પતિત થવાય છે અને વક્રમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. બ્રાહ્મણે ક્ષત્રિય વચ્ચે શઢો અને ત્યાગી ધર્મગુરુઓની પડતીને પ્રારંભ ધૂમકેતુ સમાન કદાગ્રહથી થયે છે એમ રાજકીય અને ધાર્મિક ઇતિહાસ વાંચ્યાથી સમજાશે. કદાગ્રહથી નકામા કાર્યોમાં કાર્યગીની આત્મશક્તિ વપરાય છે અને તેથી પિતાને વા જગતને કેઈપણ જાતને લાભ થઈ શક્તો નથી પરંતુ તેથી પિતાની અને વિશ્વની હાનિ કરી શકાય છે એવું અવધ્યા છતાં જે મનુષ્ય નકામી આપબડાઈના વશમાં થઈ કદાગ્રહ કરે છે તેઓને શું કહેવું ? તેઓની નકામી શક્તિ વપરાય છે તેથી મનમાં તેમના પર કરુણ પ્રકટે છે. દેશબંધુઓ ધર્મબંધુઓ અને વિશ્વબંધુઓ તમે અતઃકરણમાં નક્કી માનશે કે કદાગ્રહથી કર્તવ્યકાર્યોને કરતાં તન મન અને ધનની શક્તિને દુ૫યોગ થશે અને તેથી અવનતિને તમે પોતે જ ખાડો ખેદી તેમાં દટાશે. સર્વ વિશ્વવ્યાપક હિતદષ્ટિ અને સર્વત્ર વ્યાપક કર્તવ્યદ્રષ્ટિથી દેખો અને નામરૂપને મેહ ત્યાગ કરીને સ્વકર્તવ્ય કર્મની ફરજ સારીરીતે અદા કરવામાં તત્પર થાઓ. મનુષ્ય ! ! ! કદાગ્રહ કરીને વિધવતી નું અહિત કરવા તમારો જન્મ થ નથી. તમારા મનુષ્ય જન્મની કિસ્મત સમજો અને શંખલાના અકેડાની પેઠે સર્વ વિશ્વવત મનુષ્યની સાથે બંધાઈને ઉદાર હૃદયથી પરસ્પર હિતકારક ઉપ
For Private And Personal Use Only