________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિષ્કામ મનુષ્પોની મહત્તા.
સ્વાત્માની ઉન્નતિ કરી શકે છે. શુભાશુભ લાગણીઓ અને ઈચ્છાઓથી સ્વાત્માને માટે મુક્તતા સ્વીકારી અને આદરીને જે મનુષ્ય કર્તવ્યસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેજ ખરેખર કાર્યને અધિકારી છે અને તેજ નિષ્કામ કર્મગી બનીને પ્રવૃત્તિરણક્ષેત્રમાં આત્માની શક્તિઓથી ધૂમે છે. સ્વાત્માને માટે કોઈ સ્વાર્થિકકામના વિના અને તેમજ વિશ્વ માટે નિષ્કામ દશાએ સ્વફરજ અદા કરવાની દૃષ્ટિએ જે મનુષ્ય સાધ્યક્તવ્યકર્મોને કરે છે તે જ મનુષ્ય ખરેખર કર્મયોગી બની શકે છે. નિષ્કામ મહાત્માને દેવિકાબલની પ્રાપ્તિ થાય છે અને તેથી તે કામનાઓને જીતી આ વિશ્વમાં દેવની કેટીમાં ભળે છે અને પશ્ચાત્ તે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી વિમુક્ત થાય છે. નિષ્કામભાવનાએ સ્વાધિકારે પ્રત્યેક કાર્ય કરતાં પ્રામાણ્ય અને સ્વતંત્ર જીવનની પ્રગતિ કરી શકાય છે અને તેથી સ્વાત્મચારિત્ર્યની અને પ્રવૃત્તિની વિશ્વમનુષ્ય પર સારી અસર થતાં વિશ્વ લોકોને સ્વકાર્યમાં સાહાચ્ચીભૂત કરી શકાય છે. નિષ્કામ મનુષ્યની ચક્ષુમાં ઈશ્વરીપ્રકાશ વહે છે અને તેથી તેની આંખથી સર્વ મનુષ્ય અંજાઈ જાય તથા તે પ્રતિકૂલત્વને ત્યાગ કરી સાનુકૂળભાવને ધારણ કરી શકે છે. નિષ્કામભાવ અને નિષ્કામ પ્રવૃત્તિવિનાની સર્વ પ્રવૃત્તિમાં સદોષતા રહે છે અને તેથી આત્મોન્નત્તિમાં વિદ્યગે આગળ વધી શકાતું નથી. નિષ્કામભાવથી મનુષ્ય કેઈના સ્વાથી તેજમાં અંજાતું નથી અને તે રજોગુણ તથા તમે ગુણની વૃત્તિ અને તેના પ્રપંચથી મુક્ત રહી શકે છે. નિષ્કામ કર્મયેગી આવશ્યક કર્તવ્ય કરજોમાં નાસીપાસ થતાં હતવીર્ય થઈ શકતું નથી. તે તે ગમે તેવી દશામાં સ્વર્તવ્યકર્મોને કર્યા કરે છે અને જે કાલે જે કાર્ય કરવા ગ્ય હોય છે તે અન્તરથી સાક્ષીભૂત થઈને કર્યા કરે છે. જે મનુષ્ય નિષ્કામતાને ધારણ કરે છે તેજ મનુષ્ય કદાગ્રહને ત્યાગ કરીને કર્તવ્યકોને કરી શકે છે. નિષ્કામતાની સાથે કદાગ્રહરહિતતાને નિકટને સંબંધ છે. એકદમ નિષ્કામદશાને પ્રાપ્ત કરવી એ વાત તો આકાશકુસુમવત્ સમજવી. મન વાણી અને કાયામાં ઈશ્વરી શક્તિનો વાસ થાય છે તેથી તે આત્મા વસ્તુત: અન્તરદષ્ટિથી પરમાત્મરૂપે ખીલતા જાય છે. નિષ્કામદશાને પરિપૂર્ણ પ્રાપ્ત કરનાર શરીરી છતાં સાકાર પરમાત્મા ગણાય છે અને પિતાની શુદ્ધતાથી તે અને શુદ્ધ કરવા સમર્થ થાય છે. નિષ્કામીગીઓ અનેક કાર્ય પ્રવૃત્તિઓની મધ્ય અને અનેક કામ્ય પદાર્થોની મધ્યે રહીને અન્તરથી નિષ્કામતાયોગે નિર્લેપ રહી શકે છે. આર્યાવર્તમાં નિષ્કામ કર્મચગીઓ જ્યારે ઘણું પ્રમાણમાં પ્રગટશે અને જનસમાજની અનેક પ્રકારની સેવામાં સર્વસ્વાર્પણ કરશે ત્યારે આર્યાવર્તની વાસ્તવિક સાત્વિક પ્રગતિ થશે અને સર્વ દેશની સાત્વિક પ્રગતિ કરવા આર્યજને મન વાણી અને કાયાથી પ્રવૃત્ત થશે. જ્યારે વ્યાવહારિક અને ધાર્મિક કેળવણી આપતાં તેની સાથે નિષ્કામદશાનો બંધ
૨૧
For Private And Personal Use Only