SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . -- - શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. યેગી દેહધારીઓના દેહા સામું દેખતા નથી, તેઓના મન સામું દેખતા નથી પરંતુ તેઓ આત્માઓના આત્મત્વને દેખીને તેની સાથે વાસ્તવિક સ્વાત્માને સંબંધ બાંધે છે અને સદા અન્તરમાં એવા ઉપગે વર્તે છે. આત્માની પરમાત્મતાને સર્વત્ર સમષ્ટિરૂપ અનુભવ કરનારા મહાત્માઓ કે જેઓ સર્વત્ર સમભાવને ધારણ કરીને સર્વ કાર્યોમાં સાક્ષીભાવપણે પ્રવર્તે છે તેઓ વસ્તુતઃ સર્વ કાર્યો કરવાની યોગ્યતા ધરાવે છે. સ્વની પાછળ તેઓ સ્વર્તવ્ય કાર્ય કરનારાઓની પરંપરાકારને વિશ્વમાં અસ્તિત્વ તરીકે મૂકે છે અને કર્તવ્ય કાર્યપરાડમુખ ન થતાં સદા પ્રવર્યા કરી પાપકર્મનો નાશ કરે છે. સ્વાધિકારનો નિર્ણય કરીને કર્તવ્યકર્મમાં સાક્ષીભૂત થઈને વિચરવું એજ ખરેખરી કર્મચગીની મહત્તા છે. નામરૂપના પ્રપંચમાં છતાં દશ્યમાં સર્વ પ્રકારની નામરૂપની વાસના ન રહે અને આત્મામાં સર્વ બ્રહ્માંડને દેખવાને અનુભવ આવે તથા સર્વત્ર બ્રહ્માંડમાં સ્વાત્મતાનો અનુભવ આવે ત્યારે સર્વ વિશ્વ કુટુંબરૂપ ભાસે અને તેમાં રહ્યા છતાં આત્માને ઉપયોગદષ્ટિએ સાક્ષીભાવ ખરેખર સર્વ કાર્યો કરતાં રહી શકે. ઉપર્યુક્ત આત્માને સર્વ કાર્યો કરતાં સાક્ષીભાવ રહે એટલે અવબોધવું કે સર્વ કાર્યો કરતાં અકર્તાપણું અને આનન્દની ઘેન તો સદા પ્રાપ્ત થવાથી આત્માને આનન્દ ખરેખર સાક્ષીભૂત થઈને આ વિશ્વમાં પ્રવર્તાય છે ત્યારે અનુભવાય છે અને તે વખતે પ્રવૃત્તિમાં છતાં અન્તમાં નિવૃત્તિનો અનુભવ આવે છે. આત્માની સાક્ષીભૂત દશા કરવા માટે જ્ઞાનીમહાત્માઓ કે જેઓ પ્રવૃત્તિમાં છતાં નિવૃત્તિ જીવન ગાળે છે અને આત્માને સર્વત્ર સાક્ષીભૂત તરીકે પ્રવર્તાવે છે તેઓની સંગતિ કરી તેઓના શિષ્ય બની કર્તવ્યકાર્યોમાં સાક્ષીભૂત થઈને રહેવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આ વિશ્વના લોકો સ્વપ્રવૃત્તિમાં સાક્ષીભૂત બનીને પરમાત્મભાવનાથી પરમાત્માનો અનુભવ કરી શકે છે. સ્વાધિકાર નિણત કર્તવ્યાવશ્યકકાર્ય પ્રવૃત્તિના ત્યાગમાં મહાપાપ રહેલું છે એમ પ્રત્યેક મનુષ્ય અવધવું જોઈએ અને સાક્ષીભૂત થઈ નિણત સ્વાધિકારે કર્તવ્ય કાર્યોની યોગ્યતા પ્રાપ્ત કરવામાં સદા અપ્રમત્તશીલ રહેવું જોઈએ. નિર્ણત સ્વાધિકારી અને સાક્ષીભૂત આત્માની પેઠે સાધ્યક્તવ્યાનુષ્ઠાનમગ્ન અને નિષ્કામ કર્મગીને કાર્યની ચોગ્યતા પ્રાપ્ત થાય છે. અલિપ્તસાક્ષીભૂત થઈને સાધ્યાનુષ્ઠાનમાં મગ્ન રહેવું એ કેવી રીતે બની શકે ? તેના ઉત્તરમાં જણાવવાનું કે-સાધ્યકર્તવ્ય કાર્યમાં આત્માની પરમાત્મભાવનાવડે સુરતા લગાડીને મગ્ન થઈ જવું અને તેની સાથે કર્તવ્ય કાર્યનું વાસ્તવિક રૂપ પણ અવલેક્યા કરવું. અનેક પ્રકારના શુભ હેતુઓ વડે શુભ ભાવનાથી સાધ્યાનુકાનમાં મગ્ન થવાનું નિર્ધારવું એમ કહેવાથી સાક્ષીભૂતતા અને નિર્લેપતાને જે દૃષ્ટિએ ધારણ કરવાની છે તેમાં કઈ જાતને વિરોધ આવતો નથી. જે મનુષ્ય કર્તવ્યકાર્યમાં તે તે બાબતની અનેક પ્રકારની શુભ ભાવનાઓથી મગ્ન થઈને નિષ્કામ કર્મચગી થઈ પ્રવર્તે છે તે ખરેખર For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy