SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રત ન્ય ક્રમની ચેાગ્યતા, ( ૧૫૯ ) સરખા રહેતા નથી. આશ્રમભેદે અવસ્થાભેદે અને દેશકાલભેદે અધિકારનું પરાવર્તન થાય છે અને તેથી અધિકારભેદે કન્યકાર્યાનું પરાવર્તન થાય છે. અધિકારના પૂર્ણ નિર્ણુય કરીને સ્વક વ્યયેાગ્ય પ્રત્યેક કાર્ય માં આત્મા સાક્ષીભૂત થઈને વર્તે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. અનેક પ્રકારનાં નાટકા કરતા નાટકીયાએ અનેક વેષ અને અનેક ચેષ્ટાઓને પાત્રભેદે કરતા છતા પણ પાત્ર વેષ અને ચેષ્ટાઓમાં પેાતાને સાક્ષીભૂત માને છે; ફક્ત તે સ્વરજને અદા કરે છે; પરન્તુ હું અમુક પાત્ર જ છું તથા અમુક વેષધારી તથા ચેષ્ટાવાળા છું એવું તે માની લેતા નથી. તદ્ભુત્ સ્વાધિકાર ચાગ્ય કર્તવ્યકાને કરતાં સાક્ષીભૂત થઇને પેાતે વર્તવું જોઇએ. વેદાન્તદર્શનમાં વિદેહીજનક વગેરેનાં દૃષ્ટાન્ત તે માટે મેાજુદ છે. જૈનદર્શનમાં શ્રેણિક કૃષ્ણ વગેરે અન્તરાત્મા કે જે ભાવી પરમાત્માએ છે તેઓનાં દૃષ્ટાન્તાનુ અવલેાકન કરવું. સાક્ષીભૂત થઇને પ્રત્યેક કન્યકા કરતાં અનેક પ્રકારના અહંનૃત્યાદિ દોષોમાંથી મુક્ત રહેવાય છે અને આત્માની પરમાત્મદશા ખીલવવારૂપ અભ્યતર પ્રયત્નની પ્રગતિ થાય છે. પ્રારબ્ધયેાગે જે જે કર્યાં કરવાં પડે તે કર્યા વિના છૂટા થતા નથી પરન્તુ તેમાં સાક્ષીભૂત થઈને વર્તતાં દોષના હેતુઓ અર્થાત્ આસવના હેતુઓ તે સંવરના હેતુએ તરીકે પિરણમે છે અને સમાંહી છતાં સર્વેથી ન્યારા રહેવાની દશાનો અનુભવ આવે છે. બાહ્યથી અવલેાકતાં એમ અવબાધાય કે સાક્ષીભૂત થઈને સર્વકાર્ય કરવાં એ બની શકે નહિ; પરન્તુ આત્મભાવનાના ઉચ્ચ શિખર પર આરેાહીને દૃઢ નિશ્ચય કરવામાં આવે તે કાર્ય વાસના દેહવાસના કર્તવ્યવાસના કર્તાવાસના અને ભોક્તાવાસના આદિ અનેક વાસનાઓમાંથી પસાર થઇને અંશે અંશે સાક્ષીભૂત આત્માની દશા પ્રાપ્ત કરી શકાય અને માહ્ય કાર્યાં કરતાં આત્મા પોતે સાક્ષીભૂત થઈને વર્તી શકે એવી દશા પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરીને તેના અનુભવપૂર્વક બાહ્ય કાર્યાં કરતાં અન્તરમાં સુરતા(સ્મૃતિ) રાખવાના અભ્યાસ સેવતાં સેવતાં સાક્ષીભૂત આત્મા ખની શકે છે. સાક્ષીભૂત પોતે બનીને સ્વાધિકારે કર્તવ્યકાનેિ કરવાં એ ધર્મ છે અને તેવી દશામાં રહેનારા વિશ્વમાં છતાં વિશ્વમુક્ત-જીવતાં છતાં જીવન્મુક્ત અને ભાગી છતાં ભાગમુક્ત અને સર્વમાં છતાં સવમુકત બનીને કન્યકર્મની ચેાગ્યતાને પામે છે. સાક્ષીભૂત આત્માવડે સમષ્ટિમાં પરસ્પરોવત્રઢો નીવાનામ્ એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે જે કઈ કરાય છે, લેવાય છે અને દેવાય છે તેમાં અદ્ભુત પરમાર્થ કન્યકાર્ય રહેલું છે. જ્ઞાનકમ ચેાગીએ જે કઈ કરે છે. તે હિતાર્થે કરે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ દૃષ્ટિએ અર્થાત્ પિંડ અને બ્રહ્માંડમાં ભાવનાદૃષ્ટિએ તેઓ સર્વત્ર આત્મા અને પરમાત્માને અવલેાકે છે. પિંડમાં અને બ્રહ્માંડમાં આત્મસત્તાષ્ટિએ તેઓ સર્વત્ર વ્યક્તિરૂપ દેહધારીઓને પરમાત્મારૂપે અવલાકે છે; તેથી તે અન્તરમાં સર્વ જીવા કે જે સત્તાએ પરમાત્માએ છે તેની સાથે સહજાનન્દથી એક રસરૂપે સ્વાત્માને અનુભવે છે. આત્મજ્ઞાની એવા કર્મ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy