SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ કર્મયોગનો અર્થ મન વચન કાયા સાથે શુભ કાર્યને જોડીને આચરવારૂપ છે; માનવ જીવન પામી ગૃહસ્થ તરીકેતુ' અને સાધુ જીવનનું શુ શુ કર્તવ્ય છે અને તે કતવ્યને સ્વાની દરકાર કર્યાં વગર પરમા ષ્ટિએ નીરપણે કેવી રીતે ખજાવવું જોઇએ ? ક્યા ક્યા કતવ્યમાં લાભાલાભ શું છે? આત્માને લાભ અલ્પ હોય અને હાનિ · આધ્યાત્મિક દૃષ્ટિએ ’ વિશેષ હોય તે શુભ કર્માં નથી પરંતુ અલ્પ નિ હાય અને વિશેષ લાભ હોય તે કર્મા વ્યાવહારિક દૃષ્ટિએ તેમજ નિશ્ચયદૃષ્ટિએ સમ્યકત્વપૂર્ણાંક આચરવાનું તેઓશ્રી કહે છે અને તે રીતે આત્મા પોતાની ઉન્નતિ અને પ્રગતિ તરફ ગતિમાન થાય છે તેમ તેમનું વારવાર કથન છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય આત્મા તરફ દૃષ્ટિ રાખીને સાંસારિક કાર્યો કરે તેમાં અલ્પાનિ અને વિશેષ લાભ આત્માને માટે મેળવતા જાય છે કેમકે સવેગ નિવેદ્યાર્દિક સ્વરૂપ અને સંસારની અનિત્યતાનું સ્વરૂપ સમજ્યા પછી તેની પ્રવૃત્તિનું ધ્રુવબિંદુ મુક્તિ તરફ ફેરવાઈ ગયું હાય છે પરંતુ ચારિત્રબળની અલ્પતા હોવાથી સાંસારિક કા તેને કરવાં પડે છે તેમાં બંધ અલ્પ હોય છે; સકામનિર્જરા અહીંથી શરૂ થાય છે; લક્ષ્યબિંદુ મુક્તિનું હાવાથી પુણ્યાનુખ'ધી પુણ્યનાખંધ સાથે સકામનિર્જરા થતી હાવાથી છેવટે તે પુણ્ય પર'પરાએ મુક્તિ અપાવે છે. શ્રી કૃષ્ણ અંતરાત્મા ક્ષાયિક સમ્યકત્વધારી હતા છતાં કૌરવાની અનીતિને વંસ કરવા તથા જગત્ માટે સત્યના વિજ્ય દર્શાવવા તેમણે અર્જુનને નિરુપાયે યુદ્ધના આદેશ આપ્યા, પ્રથમ તીર્થં કરશ્રી ઋષભદેવજીએ યુગલિક ધર્મનું નિવારણ કરી સૃષ્ટિકર્મ ની વ્યવસ્થા ગૃહસ્થાવાસમાં સર્જન કરી, શ્રી તેમનાથજી શ્રી કૃષ્ણને બચાવવા જરાસંધ સાથે યુદ્ધ કરવા રણક્ષેત્રમાં આવ્યા, શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી, અરનાથજી ત્રણે તીથ કર ચક્રવર્તીઓને ગૃહસ્થાવાસમાં ચક્રવર્તીપદ સાધવા યુદ્ધો કરવા પડ્યાં, શ્રી મહાવીરના વિદ્યમાનપણામાં બાર વ્રતધારી ચેડા મહારાજાએ પણ પેાતાનાં વ્રતે સાચવીને બાર વર્ષ પર્યંત અનીતિને પ્રતીકાર કરવા માટે યુદ્ધ કર્યું, દ્વાદશત્રતધારી કુમારપાળ મહારાજા પણ પેાતાનાં તેમાં જરાપણું સ્ખલના નહિં લાવતાં યુદ્ધમાં જતા, શ્રેણિક વસ્તુપાળ અને વિમળશાહે રાજ્યપદ, પ્રધાનપદ અને દંડનાયકપદાને દીપાવ્યાં હતાં, ઉડ્ડયનમંત્રી ઉદાયી ચ'પ્રદ્યોત અશોક ચંદ્રગુપ્ત અને ખારવેલ વિગેરે વ્રતધારી જૈના છતાં એમણે પોતપોતાના સ્થાનને વ્યવહાર દૃષ્ટિએ ૧ ખારવેલ કલિંગદેશના જ્યોતિર્ધર જૈન ચક્રવર્તીરાજા હતા; ખડગિરિમાં હાથીગુફાના લેખમાં તેના પ્રતિદ્વાસ છે; આ શિલાલેખતી ભાષા પ્રાકૃતભાષાની અંદર સંસ્કૃત બ્રાહ્મીલીપિમાં કતરેલી છે; એમને દિગ્વિજય બાર વર્ષોંને હતા; આ શિલાલેખ સ્વ• વિદ્યામòદધિ શ્રી કાશીપ્રસાદ જાયવાલે ( એમ.એ ) ઘણી મહેનતે ઉકલ્યે છે; ભારતવર્ષને આ સૌથી જૂના શિલાલેખ છે; For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy