SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક વિવેચન માંડલેની જેલમાં લખ્યું હતું તેને લગતા જિનદષ્ટિએ કર્મગ છે; “મહાન છે દ નલ! એક જ દે ચિનગારી' એ મહાકવિના વાક્યાનુસાર “આત્મજાગૃતિ પૂર્વક તમામ ઈિ શભ અનછાને પરોપકાર દષ્ટિએ અને આત્મોન્નતિની દષ્ટિએ કરવાં-એ આ કર્મયોગ ગ્રંથનું રહસ્ય છે. આ કર્મ ગગ્રંથમાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની કરણીની નિશ્ચયથી મુખ્યતા છે અને વ્યવહારથી પણ પરોપકારી કાર્યો કરવાને ઇવનિ છે; સાંસારિક-ગૃહસ્થનાં કાર્યોમાં પણ નિરાસક્તિપૂર્વક જ્ઞાનબળ, વિદ્યાબળ, શરીરબળ, ક્ષાત્ર- ધર્મબળ, વૈશ્યકર્મબળ, લક્ષ્મીબળ, સત્તાબળ, ત્યાગબળ અને અધ્યાત્મબળવિગેરે બળની ઉન્નતિ કરવાની પ્રેરણાઓ (Intutions) છે; આ કર્મગદ્વારા ભક્તિયોગ જ્ઞાનયોગ ચારિત્રગ તપગ અને ધ્યાનયોગ વિગેરેને અર્થાત્ આત્મગુણોના વિકાસ માટે તમામ પ્રશસ્ત અનુષ્ઠાનનું વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે, અન્ય સમાજની ઉન્નતિના કારણે દર્શાવીને જૈન સમાજ કેમ ઉન્નત બને ? અને તે પણ રાજકીય સામાજિક અને ધાર્મિક દૃષ્ટિએ તે બાબતમાં લેખકશ્રીએ પાનાંના પાનાંઓ ભરી અખલિત પ્રવાહ વહેવડાવ્યું છે. આમના જીવંરે વીર્ઘ-વિજા āિતે કૃતં–એ સ્વ. શ્રી અરવિંદ ઘોષના વાક્યાનુસાર શ્રી બુદ્ધિસાગરજીએ પોતે જીવનપર્યત કર્મયોગ સાધ્યું છે અને લગભગ ૧૦૮ ગ્રંથો પોતાના જીવનમાં સર્જનપૂર્વક રચનાત્મક કાર્ય કરી છે ભવિષ્યની પ્રજાને કર્મયોગ સાધવાનું દષ્ટાંત પૂરું પાડયું છે. એમણે કર્મવેગને પ્રત્યક્ષ અનુભવ કરી જૈનસમાજમાં સુપ્ત થઈ રહેલી કર્મવેગની વ્યાખ્યાને વિશ્વવ્યાપી (Cosmic ) રોચક સ્વરૂપમાં આપણી સમક્ષ રજૂ કરી છે. એમની આ વિચારેની સક્રિય અસર જૈન સમાજમાં પુનરુજજીવિત થશે એ નિઃશંક હકીકત છે; “કર્મગિન’ નામનું ઘણા વર્ષો પહેલાં પત્ર ચલાવનાર સ્વ. શ્રી અરવિંદ ઘોષે સર્જન-વિચારશક્તિ ઉપર નીચેનું કાવ્ય રચેલું છે તે પ્રસંગોપાત્ત કર્મનો ગ્રંથના લેખકશ્રીને અલ્પ સ્વરૂપમાં પણ સમજવા માટે ઉપયોગી થઈ પડશે. Upon truth solid Rock there stands, A Thin-walled Ivory Tower; Built light but strong by Fairy hands, With thoughts Creative Power. સત્યના નક્કર ખડક ઉપર પાતળી દિવાલવાળા દાંતને મિનારે ઊભો છે. છે. આ મિનારે બહુ ઊંચે આવેલ છે; વિચારોની સર્જનાત્મક દૈવી શક્તિવડે કર્મચાગનાં છે નિર્માણથી તે મિનારો મજબૂત બનેલો છે.” For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy