________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
ની જગ્યા
-
-~
-
-
( ૧૪૬ )
શ્રી કમલેગ મંથન્સવિવેચન.
R
સાત ભીતિયોના ત્યાગની સાથે ચંચલતા ટળે છે અને ચંચલતા ટળતાં આત્મા શુદ્ધસ્વરૂપમાં સ્થિર થાય છે અને તેથી કર્તવ્ય કાર્ય ફરજને બજાવતાં અન્તરંગમાં તેને સ્થિરતાને જમાવ થાય છે. આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈને પ્રત્યેક ફરજ બજાવે છે ત્યારે તે બાહ્યવિશ્વમાં એક અલિપ્ત જ્ઞાનયોગીની તુલનાને પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ભીતિયોના ત્યાગની સાથે આસકિતને દૂર કરવાની જરૂર છે. સર્વ પદાર્થોમાં જે જે મને દ્વારા આસક્તિ થાય છે તેથી જ ખરેખર બંધાવવાનું થાય છે. પ્રતિષ્ઠાની આસક્તિ, નામની આસક્તિ, કામની આસક્તિ, કીર્તિની આસક્તિ, અને રૂપની આસક્તિ, આદિ અનેક પ્રકારની આસક્તિયો થવી એજ સંસાર છે. અનેક પ્રકારની આસક્તિયોને ટાળીને કર્તવ્ય કાર્યોની ફરજ અદા કરવી એ મુશ્કેલ કાર્ય છે છતાં આત્મજ્ઞાનીઓ આત્મસામર્થ્ય આસક્તિભાવને પરિહાર કરીને અનાસકિતભાવે આ વિશ્વમાં કર્તવ્ય કર્મના અધિકારી બને છે. આ વિશ્વમાં નામરૂપમાં થતી આસક્તિને વારતાં સર્વપ્રકારનાં બંધનમાંથી મુક્ત થવાય છે અને જીવ શિવરૂપ બની જાય છે. પિતાના સ્વાધિકા આવશ્યક કાર્યો કરતાં આસકિતભાવ પ્રકટે છે કે નહિ તેને શાતા પિતાને આત્મા હોવાથી પોતાને આત્મા તેની સાક્ષી પૂરી શકે છે. અતએ સ્વાધિકાર પ્રત્યેક કાર્ય કરતાં અનાસક્તિ ભાવે કાર્યની યોગ્યતા મેળવવા પ્રયત્ન કરે જોઈએ. સ્વાધિકારે કર્તવ્યકર્મ કરતાં જે જે અંશે અનાસક્તિ રહે છે તે અંશે સ્વકર્મકરણુયોગ્યતા પ્રગટ થઈ એમ અવધવું. નિર્વિષ દાઢાવાળો સર્પ અન્ય જીવોનો પ્રાણ સંહરી શકશે નહિ. ભલે તે ગમે ત્યાં ફરે તેમ અનાસક્ત જ્ઞાની વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોને સ્વાધિકાર કરતાં કેઈ સ્થળે બંધાતું નથી અને જ્યાં જ્યાં બંધાવવાનું થાય છે ત્યાં તે નિબંધ રહી શકે છે. અન્તરાત્માઓ અનાસક્તિભાવની પ્રગતિમાં આગળ વધીને તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મને કરતાં આત્મન્નિતિની ભાવના અને ગુણસ્થાનક દશામાંથી પતિત થઈ શકતા નથી અને તેઓ અનાસક્તિથી પ્રત્યેક કાર્યના સંબંધમાં આવતાં જલપંકજવત્ નિર્લેપ રહી શકે છે. આવી તેમની દશા હોવાથી અમુક પ્રકૃતિના બંધની અપેક્ષાએ તે તે અપુનર્ધધક રહી શકે છે અને તે તે પ્રકૃતિના અભાવે નિર્લેપ રહી શકે છે. ભરતરાજાએ ગૃહાવાસની સ્થિતિમાં સ્વાધિકારે કર્તવ્ય કરવામાં અનાસક્તિપણાથી યોગ્યતા મેળવી હતી અને તેથી તેઓ છખંડ રાજ્યપાલન આદિ અનેક સાંસારિક કાર્યો કરવામાં નિર્લેપ રહીને દ્રવ્ય અને ભાવથી ગણાતા આદર્શભુવનમાં દ્રવ્ય અને ભાવથી સ્વસ્વરૂપ અવલોકીને કેવલજ્ઞાન પામ્યા હતા. કર્મયોગની પ્રવૃત્તિનું અનાસક્ત જીવન ગાળવામાં ભરતરાજાનું જીવન આદર્શરૂપ બનીને વિશ્વમનુષ્યોને અનાસક્તિભાવ માટે કેટલી બધી અસર કરે છે તેને અન્તરમાં અનુભવ કરવો જોઈએ. કૂર્મીપુત્રનું અને વિદેહીજનકનું અધ્યાત્મદષ્ટિએ જીવનચરિત્ર વિલોકવામાં આવશે તે તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મ કરતાં આત્મોન્નતિને પામ્યા હતા તેનું મુખ્ય કારણ અનાસક્તિભાવ અવબેધાશે. વિશ્વબગીચા
For Private And Personal Use Only