________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીતિ-ત્યાગથી આત્મોન્નતિ સાધી શકાય.
( ૧૪૩ ).
વિયોગોથી કંઈ આત્માને હીવાનું હોતું નથી. આત્મા અરૂપી જ્ઞાનાદિક ગુણને ભંડાર છે. આત્માના શુદ્ધ સ્વરૂપ વિના બાકી અન્ય કશું આત્માનું નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું તે ખરેખર આત્માના હાથમાં છે. આત્મા જ સ્વયં સ્વરૂપને કર્તા છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટાવવા માટે દેવ ગુરુ અને ધર્મની સામગ્રીઓની આરાધના કરવી તે લોકોત્તર કારણભૂત વ્યવહાર છે અને બાહ્ય શરીરાદિનું સંરક્ષણ કરવું ઇત્યાદિ જે જે કાર્યો ખરેખર કેત્તર કારણભૂત ધર્મનાં પણ કારણભૂત હોય તેઓને
સ્વાધિકારે અમુક દશાએ કરવાં એ લૌકિક વ્યવહાર ધર્મ છે. ઉપર્યુક્ત લૌકિક અને લકત્તર વ્યવહાર ધર્મનાં કાર્યોને સ્વાધિકારે આત્માનું નિર્ભય સ્વરૂપ ભાવીને કરવાં જોઈએ. આત્માનું શુદ્ધ રૂપે પ્રકટાવવાને વ્યવહારથી અને નિશ્ચયથી સાધન સામગ્રી દ્વારા સદા પ્રવૃત્ત રહેવાથી પ્રવૃત્તિની પરંપરામાં સુવ્યવસ્થા રહે છે અને ધર્મનાં અને આજીવિકાનાં સાધનોની સાનુકૂલતાના યોગે ન્નતિ અને વિશ્વોન્નતિનાં પારમાર્થિક કાર્યોમાં સમ્યગૂ પીત્યા પ્રવૃત્ત થઈ શકાય છે. સ્વાત્માની અનેક પ્રવૃત્તિયોમાં અનેક ભીતિયો દેખાય છે પરન્તુ આત્મશક્તિથી તેઓની સામા થતાં ભીતિયો અદૃશ્ય થઈ જાય છે. જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. કાર્યપ્રવૃત્તિમાં સ્વાધિકાર જે કંઈ :ખ પડે છે તે આત્માની ઉન્નતિ કરવાને માટે કોઈ જાતને બોધ આપનાર હોય છે તેથી દુઃખો પડયા છતાં પણ જરા માત્ર ભીતિ ધારણ કરવાની આવશ્યકતા નથી. આત્માની સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં જે કંઈ નષ્ટ થવાનું હોય તેને થવા દે. ફક્ત પોતાના અધિકારને ભીતિયોને ત્યાગ કરી બજાવ્યા કરવો અને તટસ્થ રહી સુખદુઃખને વેદ્યા કરવા કે જેથી આત્મોન્નતિના શિખરે ચડતાં કઈ જાતનો પશ્ચાત્ અવરોધ રહે નહિ. વ્યાવહારિક કાર્યો કરવાને કર્મરાજાની અમુક સંયોગોમાં આજ્ઞા થઈ છે તેથી અમુક કાર્યોને સ્વાધિકારે કરવામાં આત્મા ફક્ત પિતાની બાહ્ય ફરજને અદા કરે છે–તેમાં કંઈ લેવું દેવું નથી તેમજ કંઈ હોવાનું કારણ નથી. આ પ્રમાણે નિશ્ચય વિચાર કરીને કાર્યોમાં પ્રવૃત્ત થતાં વિશ્વથી લેપાવાનું થતું નથી અને આત્માની પ્રગતિ થયા કરે છે. સાત પ્રકારની ભીતિયોથી ન અહીવાય એ પિતે પિતાને બોધ આપવો જોઈએ કે જેથી કટોકટીના પ્રસંગે આત્માવસ્તુતઃ ભીતિ વિનાને બની સ્વફરોને અદા કરી શકે. સ્વકાર્યોને કરતાં મનમાં યાવભીતિ રહે છે તાવત્ અવબોધવું કે આત્માની નિર્ભયતા પ્રાપ્ત કરી શકાઈ નથી. ગજસુકુમાલે અને સ્કંધમુનિના પાંચસો શિષ્યએ તથા મેતાર્યમુનિએ સર્વથા ભીતિયોને ત્યાગ કરી સ્વાત્મધર્મમાં સ્થિર રહી આત્મોન્નતિ કરી હતી. એ પ્રમાણે ભવ્ય જિજ્ઞાસુએ સ્વાત્માને ભીતિયોના પ્રસંગે નિર્ભયરૂપ ભાવી આત્મોન્નતિની પરિપૂર્ણતા સાધવી જોઈએ. સમરાદિત્ય રાજર્ષિએ ધ્યાનકાર્યમાં પ્રવૃત્ત થઈને જ મૃત્યુભીતિના એક સામાન્ય વિકલ્પને પણ હદયમાં સ્થાન આપ્યું નહિ અને તેથી તેઓ પરમાત્મરૂપ બન્યા. જે તેઓ મૃત્યુથી ભય
For Private And Personal Use Only