________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
ભીતિને સદંતર ત્યાગ કરવા.
( ૧૩૯ )
હોય તેપણ સાત પ્રકારની ભીતિને ત્યાગ કર્યા વિના અને આત્મામાં સ્થિર થયાવિના કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં આગળ વધી શકાતું નથી. કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં પ્રવેશ કરવાની સાથે જેના મન વચન અને કાયાના વ્યાપારમાં અંશમાત્ર પણ ભીતિ નથી રહેતી મહાપુરુષ આ વિશ્વમાં ઇચ્છિતકાર્યને સિદ્ધ કરી શકે છે. વિવેકદ્રષ્ટિથી જે જે કર્તવ્યકાર્યાં કરવાનાં હોય તેમાં સાત પ્રકારની ભીતિને સ્થાન ન આપવું જોઇએ. કોઇપણ રીતે મારે આ વિશ્વમાં સાતે પ્રકારની ભીતિયા રાખવાનુ કારણ નથી એમ જ્યારે દૃઢ નિશ્ચય થાય છે ત્યારે આત્મામાં દૈવીશક્તિ ખીલે છે અને આ વિશ્વમાં અલૌકિક કાર્યો કરી શકાય છે. ભીતિ ધારવી એ કાયર પુરુષનું લક્ષણ છે. ભીતિથી કન્યકર્મ રાંગણમાં નપુંસકની દશા પ્રાપ્ત થાય છે. લેાકેામાં પણ કહેવત છે કે ના તો મત કરના, કોર કરવા તો મત કરના. જે કાર્ય કરવું તેમાં જ્ઞાનીઓએ શા માટે ડરવું જોઇએ ? આલાકભય પરલેાકભય યશભય આજીવિકાભય રોગભય અકસ્માતભય મરણભય વગેરે ભાતિયા ધારણ કરવાથી આત્માની જે જે શક્તિએ વિકાશ પામવાની હોય છે તે સ કાચાઈ જાય છે અને કર્તવ્યક્ષેત્રમાંથી પાછું ફરવાનુ છે. કર્તવ્યકમ ક્ષેત્રમાં દાનવીર ભક્તવીર ધર્મવીર જ્ઞાનવીર કર્તવ્યકાર્ય વીર જ્ઞાનવીર અને શૂરવીર સર્વ પ્રકારની મમતાના અને અહંતાને ત્યાગ કરીને મરજીવા થઇ વિચરે છે તેથી તેને મન વચન કાયા ધન અને વિશ્વના કોઈ પણ પદાર્થની તેના પર અસર થતી નથી. આત્મવીર દાનવીર વગેરે વીરે પોતાના આત્માને સસંગાથી મુક્ત કરે છે. જ્યાંસુધી ભીતિ છે ત્યાંસુધી આત્મા એક ક્ષુદ્ર જંતુ સમાન છે. આ વિશ્વમાં સાત પ્રકારની ભીતિ રાખનારાથી કોઇપણ જાતનું મહાન કાર્ય બન્યું નથી, બનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ. શરીરની મમતા અને પ્રાણની મમતા એ બે જેના મનમાં નથી તેજ મનુષ્ય કર્તવ્યકાના અધિકારી બને છે. સાગે જેટલી વસ્તુઓને આત્માની સાથે સંબંધ થયા છે તેટલી વસ્તુઓ ખરેખર આત્માની નથી તેથી સ ંયોગી વસ્તુઓના વિયોગ થવાને છે એવા પૂર્ણ નિશ્ચય કરીને આત્માદ્વારા જે જે કન્યકાર્યાં હોય તેમાં સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કરીને પ્રવર્તવું જોઇએ. આત્મા વિના અન્ય કશું આત્માનું થયું નથી, થતુ નથી, થશે નહિ એવા નિશ્ચય છે; તેા નકામી ભ્રાન્તિ ધારીને ભીતિયો શા માટે ધારણ કરવી જોઈએ ? જે જે વસ્તુએ આત્માની વસ્તુતઃ નથી એવી પૌદ્ગલિક વસ્તુઓની મમતાથી ભીતિ ઉત્પન્ન થાય છે, ભીતિથી આત્મા પરભવમાં રહીને નપુંસક જેવા પામર-કાયર-નિઃસત્વ ખને છે. તેથી કશુંએ શ્રેય સ્વપરનું કરી શકાતું નથી. કોઇ પણ સંચાગના વિયેગ થવાના છે, છે ને છેજ; એમાં કદ્દાપિ અન્ય ફેરફાર થવાના નથી તો શા માટે પીવું જોઈએ ? કાર્યપ્રવૃત્તિમાં ખીવાથી કંઇ પણ વળવાનું નથી. અહંતા, મમતા આદિ વૃત્તિયેા ઉત્પન્ન થવાનુ કારણ શું છે? તેનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારવાથી ભય હેતુના વિલય થાય છે એમ નિશ્ચયતઃ અવધવું. ભીતિના સંસ્કારોના સર્વથા પ્રકારે ક્ષય કરવા એ પણ એક કર્તવ્યકાય છે
For Private And Personal Use Only