SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૦ ). શ્રી કર્મચગ ગ્રંથ-વિવેચન. અને નિર્ભીતિપૂર્વક કર્તવ્ય કાર્ય કરવાં એ પણ કર્તવ્ય કર્માધિકારિતાનું મહત્વ છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં અમુક જાતિને ભય ઉત્પન્ન થતાં અનેક જાતના વિકલ્પસંકલ્પ ઉત્પન્ન થાય છે અને તેથી આત્મશક્તિનો હાસ થતો જાય છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં ભીતિના સંસ્કારવડે ચિંતામય વાતાવરણથી નકામું દુઃખ ઉત્પન્ન કરી શકાય છે. સ્વાધિકારે વિવેકપૂર્વક કાર્યમાં પ્રવર્તતાં સર્વસ્વાર્પણ કરવામાં ભીતિને એક વિકલ્પ પણ ન થાય એવો નિર્ભય આત્મા જ્યારે થાય છે ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે અને અસ્થિરતા ટળી જતાં સદવર્તનના શિખરે આત્મા વિરાજમાન થાય છે એમ અનુભવ દૃષ્ટિથી અવબોધવું. જેમ જેમ બાહ્યમાં નિઃસંગતાભાવ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ સતભીતિના સંસ્કારને નાશ થતો જાય છે. સપ્ત ભીતિથી આ વિશ્વમાં બહિરાત્મભાવ વૃદ્ધિ પામે છે અને બહિરાત્મભાવથી જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં સલેપતા રહે છે. અતએવ ગુપ્તભીતિના સંસ્કારોને મૂળમાંથી ક્ષય કરો કે જેથી આત્માની કર્તવ્ય કાર્યપરાયણતા છતાં નિર્લેપતાની વૃદ્ધિ થયા કરે. જેને અનેક પ્રકારની ભીતિના સંસ્કારો પ્રકટે છે તે બાહ્યમાં હું તુંની આન્તરિકવૃત્તિથી બંધાયેલ છે તેથી તે વ્યાવહારિક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં સાત્વિક ગુણપૂર્વક પ્રવૃત્તિ કરી શકતો નથી અને વાસ્તવિકરીત્યા આત્મન્નતિના કામમાં વ્યવસ્થાપૂર્વક ઉપશમાદિભાવે ઉચ્ચ-શુદ્ધ થઈ શકતો નથી. અનાદિકાલથી ભયસંજ્ઞાને આત્માની સાથે સંબંધ છે પણ જ્યારે આત્મા સ્વયં આત્માના રૂપમાં લય પામવાની સાથે બાહ્ય ફરજેને સ્વાધિકાર જે સ્થિતિમાં રહેલો છે તેને અનુસરીને બજાવે છે ત્યારે નિર્ભયતાના પ્રદેશ તરફ ગમન કરે છે અને આત્માના શુદ્ધ રૂપમાં સ્થિર થઈ જાય છે તથા તે સ્થિરવીર્યને પ્રબલ પુરૂષાર્થને પ્રકટાવી નિર્ભયદશામાં વિચરે છે. આ વિશ્વમાં પિતાનાં પાડેલાં નામ અને શરીરાકારરૂપ એ બેમાં અહંમમત્વની વૃત્તિ ન થાય અને બાહ્ય કાર્યો થાય ત્યારે અવબોધવું કે નિર્ભય પ્રદેશમાં આગળ વિચરવાનું થયું છે. વિશ્વ અને પિંડમાંથી નિરહંવૃત્તિ થઈ એટલે નિર્ભયપણે સર્વ કાર્યોને કરી શકવામાં કઈ જાતનો વિરોધ આવી શકે તેમ નથી. નામરૂપમાં તે અહંતાધ્યાસ ટળતાં સર્વ પ્રકારની ભીતિને નાશ થાય છે એમ અનુભવ કરી અવબોધવું. કુમારપાલ રાજાએ સ્વપ્રતિપક્ષી શત્રુરાજાની સાથે લડતાં ભીતિને ત્યાગ કરી મરજીવા બની જ્યારે યુદ્ધ શરૂ કર્યું હતું ત્યારે તે વિજય પામ્યો હતો. ગ્રીક વિદ્વાન સોક્રેટીસે ઝેરને પ્યાલો પીવો કબૂલ કર્યો પરન્તુ અનીતિરૂપ તત્વોને ઉત્તેજન આય નહિ તેથી તેની પાછળ તેના સદવિચારોને કેલાવો થયો અને ઇતિહાસના પાને તેનું અમર નામ રહ્યું. યદિ સેક્રેટીસે ભીતિથી સામા પક્ષને મત સ્વીકાર્યો હોત સદા માટે તેની કીર્તિ અને વિચારેને ફેલા રહેત નહિ. શ્રી વિરપ્રભુએ સાડાબાર વર્ષ પર્યન્ત અનેક ઉપસર્ગોને સહન કર્યા પણ તેઓ જરા માત્ર ઉપસર્ગોથી ભય પામ્યા નહિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy