________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ )
શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન.
દષ્ટિએ ભિન્ન ભિન્ન વર્તુલો સ્વાધિકારે પ્રવર્તેલાં છે તેઓમાં અવિરેધદષ્ટિએ સત્યત્વને નિર્ણય કરી અનન્ત વર્તુલના સાધ્યબિન્દુને મુખ્ય માની ઉદારભાવનાઓ પ્રવર્તે છે. વિશ્વહિતાર્થ દષ્ટિએ લૌકિકજીવન કાર્યો અને લોકોત્તર ધર્મજીવન કાર્યોમાં શું શું રહસ્ય સમાયેલું છે એમ જે મનુષ્યએ અનુભવ્યું છે તે સાક્ષરમનુષ્ય વિશ્વહિતાર્થ દૃષ્ટિએ ત્યાગી સત્ય સેવક બની શકે છે અને તેમજ તેવા મનુષ્ય સ્વાધિકાર પ્રાપ્ત થએલી વિદ્યા ક્ષાત્રકર્મ વ્યાપાર અને શૂદ્રકર્મપ્રવૃત્તિને સેવી વિશ્વહિતાર્થ કાર્ય કરનારા કર્મચગીઓ બની શકે છે; જે મનુષ્યો વિશ્વહિતાર્થ કર્મ થયા નથી તેઓનું વ્યકિતગત વિચાર–વાતાવરણ અને સમષ્ટિગતવિચાર-વાતાવરણ સંકુચિતદુષ્ટિવર્તુલ યુકત હોય છે, તેથી તેઓ નિલે પદષ્ટિએ અને ઉદાર દૃષ્ટિએ કાર્યપ્રવૃત્તિમાં આત્મભેગ આપી શકતા નથી. સ્વાન્યશાસ્ત્રવિશારદ મનુષ્યો વિશ્વહિતાર્થ કાર્ય થવાને ચગ્ય થાય છે તેથી વિશ્વહિતાર્થ કર્મ એ વિશેષણ પ્રથમ મૂકવામાં આવ્યું છે. સ્વાન્યશાસ્ત્રવિશારદ મનુષ્ય વિશ્વહિતકારક જે જે કર્યો હોય છે તેઓનું અનેક દષ્ટિથી સમ્યજ્ઞાન કરીને વિશ્વહિતકર કાર્યપ્રવૃત્તિમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તીને વિશ્વોન્નતિ કે જેમાં અનેક વ્યક્તિની પ્રગતિનાં બીજો રહેલાં છે તે કરવા વસ્તુતઃ સમર્થ થાય છે. કોઈ પણ મનુષ્ય આ વિશ્વમાં એમ નહિ કહી શકે કે હું વિશ્વહિતાર્થ કંઈ પણ કરતો નથી. વિશ્વવર્તિ સર્વ મનુષ્યના મનમાં તરતમયેગે વિશ્વહિત પ્રવૃત્તિ કરવા માટે વિચારો પ્રટ્યા કરે છે, પરંતુ અનેક નાની દૃષ્ટિએ વિશ્વહિતાર્થકાર્યજ્ઞ થયા વિના જે જે વિચારોની ઉદાર ભાવના અને ઉદાર વર્તાને કરવાનાં હોય છે તે તેનાથી કરી શકતાં નથી. વિશ્વહિતાર્થ કર્યજ્ઞ મનુષ્ય સ્વાધિકાર સ્વાત્મશક્તિને સાપેક્ષષ્ટિપૂર્વક આત્મગ અર્પીને વિશ્વોન્નતિની યથાર્થ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. વિશ્વહિતાર્થ કાર્ય પ્રવૃત્તિના જ્ઞાતાઓ જેમ જેમ જે દેશમાં વૃદ્ધિ પામે છે તેમ તેમ તે તે દેશની ઉન્નતિ પ્રગતિ સંરક્ષા અને શાન્તિમાં વૃદ્ધિ થયા કરે છે, તથા તે તે કાલે તે તે દેશીય મનુષ્ય આ ન્નતિ માર્ગમાં આનન્દથી વિચરે છે. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવું અને વિશ્વહિતાર્થ પ્રવૃત્તિ કરવી અને તેની સાથે સાત્વિક ભાવનાથી આન્તર સદવર્તનની સંરક્ષા કરવી એ કર્મચાગના અધિકારી મનુષ્ય વિના અન્યથી તેવું કંઈ બની શકે તેમ નથી. અનેક પ્રકારનાં કાર્ય કરવાં સામાન્ય ઓઘ પ્રવૃત્તિમાત્રથી કર્મવેગનો અધિકાર પ્રાપ્ત થઈ શકતો નથી; પરન્તુ વસ્તુતઃ જ્યારે સ્વાન્યશાસ્ત્રવિશારદ અને વિશ્વહિતાર્થ કાર્યોનું જ્ઞાન થાય છે ત્યારે પ્રત્યેક વિશ્વહિતાર્થ કાર્યને તથા વ્યક્તિગત કાર્યને
સ્વાધિકારે કરી શકાય છે. વિશ્વહિતના વિચાર અને કાર્યો કયા કયા છે તેનો અનેક દષ્ટિએ નિર્ણય કરે જોઈએ. પરપોટાની પેઠે વિચારો ઉત્પન્ન થાય અને ક્ષણમાં વિલય પામે એટલા માત્રથી કંઈ વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિ માટે મહત્વની સિદ્ધિ થઈ શકતી નથી. વ્યકિતગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિના અનેક હેતુઓને સ્થિરબુદ્ધિથી
For Private And Personal Use Only