SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્ણત્સાહની મહત્તા. ( ૧૧૯ ) અવબેધવું કે જાપાન અમેરિકાની પેઠે ઉદયસૂર્યનું પ્રભાત પ્રકટવા લાગ્યું છે. વિવેકપૂર્વક સ્વયોગ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ થતાં અનેક જાતની હાનિમાંથી બચી શકાય છે અને પ્રગતિ માર્ગમાં પૂરવેગથી ગમન કરી શકાય છે. વિવેક વિના મનુષ્યની અને મનુષ્યદ્વારા કર્તવ્ય કાર્યોની પરિપૂર્ણ કિસ્મત આંકી શકાતી નથી. આત્મા શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં અને જન્મ જરા અને મરણના પ્રપંચમાંથી છૂટવાને આત્માને વાસ્તવિક વિવેક પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. જે મનુષ્ય સ્વયેગ્ય પ્રત્યેક કાર્યને વિવેકપુરસ્સર કરે છે–તે મનુષ્ય જ્યાં ત્યાં આત્મોન્નતિના કમને અંગીકાર કરી પરમાત્મપદની પ્રાપ્તિમાં આગળ વહે છે. વિવેકપુરસ્પર સર્વ કાર્ય કરવાનો અભ્યાસ સેવવાનો ઉપયોગ ધારણ કરવો જોઇએ કે જેથી અનેક પ્રકારની આપત્તિમાંથી બચી શકાય અને જ્ઞાનદર્શનચારિત્રધર્મમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકાય. સ્વરોગ્ય કર્મપ્રવૃત્તિના અધિકારી થવાને જેમ વિવેકગુણની જરૂર છે તેમ સ્વયેગ્ય કર્મ પ્રવૃત્તિના અધિકારી થવાને પૂarદની પણ અત્યંત જરૂર છે. પૂર્વોત્સાહવડે યુક્ત કર્મચાગી મનુષ્ય સ્વકાર્યમાં આત્મિકબળ પ્રગટાવીને પ્રયત્ન કરે છે. પૂણેત્સાહ વડે આત્માની પ્રવૃત્તિમાં અભુતશક્તિ પ્રકટે છે. પ્રથમ તે ઉત્સાહથી કર્તવ્ય કાર્યની સિદ્ધિની પરીક્ષા થાય છે. જે કાર્ય પ્રવૃત્તિમાં પૂત્સાહી મન સ્વયમેવ બને છે તે કાર્યની સિદ્ધિ થવાની છે એમ પિતાને આત્મા સાક્ષી પૂરે છે. સ્વગ્ય કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જે જે મનુષ્યએ પૂર્વોત્સાહથી ભાગ લીધે હોય છે, તેઓએ અવશ્ય સ્વફરજની પૂર્ણતાદ્વારા પ્રવૃત્તિમાર્ગનું આદર્શજીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું હોય છે. જે મનુષ્ય ! તું સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિની ફરજને અદા કરવાને પ્રથમાવસ્થામાં પૂર્ણત્સાહને ધારણ કર. હે મનુષ્ય, હારી સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિની સિદ્ધિને આધાર ત્વદીય પૂર્ણોત્સાહ પર રહેલા છે. પૂર્ણત્સાહ એ જ શુભ કાર્યપ્રવૃત્તિમાં આન્તરિક મંગલ અવધવું. શ્રીપાલરાજાએ પૂત્સાહથી નવપદની આરાધના કરી હતી તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિની સિદ્ધિ કરી શકયા હતા. પ્રત્યેક સ્વકાર્યપ્રવૃત્તિને પૂર્વોત્સાહથી આદરતાં તેમાં અવશ્ય વિજય મળે છે. અતએ સ્વયેગ્ય કાર્ય પ્રવૃત્તિના અધિકારમાં પૂર્ણત્સાહ ધારણ કરવાની આવશ્યક્તા સ્વીકારવી જોઈએ. જે મનુષ્ય ઉત્સાહ વિના કાર્ય પ્રવૃત્તિને આદરે છે તે અવશ્ય પશ્ચાત્તાપ પાત્ર બને છે. છેલ્લી લડાઈમાં પૃથુરાજ ચેહાણે પૂર્ણત્સાહ વિના અને પંચાસરના જયશિખરીએ પૂર્વોત્સાહ વિના પ્રવૃત્તિ કરી હતી એ જ તેની અસ્તદશાનું ચિહન હતું. અતએ ઉત્સાહપૂર્વક પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. કાર્યપ્રવૃત્તિને અધિકારી જેમ પૂત્સાહી છે તેમ શમી મનુષ્ય પણ અવધે. જેનામાં શમ રાખવાની શક્તિ નથી તેનામાં દમ રાખવાની શક્તિ નથી. જે મનુષ્ય શમ ધારણ કરી શકે છે તે આત્માની પ્રગતિપૂર્વક બાહ્યસ્વકર્તવ્યાધિકારની ફરજને પણ અદા કરી શકે છે. મનના પ્રગટતા અનેક પ્રકારના ક્રોધના માનના માયાના લેભના, સ્વાર્થના, મમતાના સ્વપૂજાના કીર્તિના ભયના શ્રેષના અને નામરૂપ મહના વિકલ્પસંકલ્પ શમાવીને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy