SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir III ( ૧૧૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ખરેખર પરિતઃ સંગેની પરિસ્થિતિ તપાસી જે નિશ્ચય કરે તે વિવેકથી થાય છે. આત્માની શક્તિની મર્યાદા બહિરનું કાર્ય–ખરેખર વિવેક જાગ્રતુ થાય પશ્ચા-કરાતું નથી. આત્માની શક્તિના અનુસારે અમુક કાર્યપ્રવૃત્તિને સ્વસ્વાધિકાર સેવવાયેગ્ય છે એમ વિવેકથી નિશ્ચય કરી શકાય છે. અએવ ભવ્ય મનુષ્યએ કાર્યપ્રવૃત્તિ કરતાં વિવેકથી તેને વિચાર કરવો જોઈએ. વિવેકવિના આચારો અને વિચારોમાં અનેક પ્રકારના ઘોટાળા થયા કરે છે. જે દેશના અને જે ધર્મના મનુષ્યમાં વિશેષ પ્રમાણમાં વિવેક જાગ્રત થએલે હોય છે તે દેશની અને તે ધર્મની તે પ્રમાણમાં વિશ્વમાં જાહોજલાલી પ્રગટી નીકળે છે. વિવેકપૂર્વક સ્વયેગ્ય કાર્યપ્રવૃતિ કરતાં કદાપિ પશ્ચાત્તાપ પાત્ર બની શકાતું નથી; તેમજ આત્માની શક્તિને નકામે નાશ તથા દુરુપયોગ થઈ શકતો નથી. જેમ જેમ મનુષ્ય સર્વત્ર સર્વ બાબતમાં સ્વાધિકારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે સ્વીકાર્યસિદ્ધિમાં અનેક વિદથી મુક્ત થાય છે. ભારતીય અનેક ક્ષત્રિયનૃપતિએ વિવેક વિના અનેક દેશરાજ્યધર્મહાનિકર યુદ્ધ કરીને ભારતની અવનતિ કરી તેની સાક્ષી ખરેખર ઈતિહાસ પૂરે છે. કૌરવોએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તો તે કદાપિ પાંડેની સાથે યુદ્ધ કરત નહિ. રાવણે વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તો કદાપિ તે રામની સાથે યુદ્ધ કરીને રાજ્ય અને સ્વજાતિસામ્રાજ્યને નાશ કરત નહિ. મુંજરાજે વિવેકપૂર્વક વિચાર કરીને સ્વપ્રધાનની સલાહ માની હોત તો કદાપિ તૈલંગનૃપતિ સાથે યુદ્ધ કરત નહિ; તેમજ છેવટની સલાહ પ્રમાણે તે વર્યો હોત તે તેનો નાશ થાત નહિ. કનોજના રાજા જયચંદ્ર વિવેકપૂર્વક દેશાર્થે સમાજાથે અને ધર્માર્થે વિચાર કર્યો હોત તો શાહબુદ્દીન ઘોરીને ગૃહછિદ્ર બતાવત નહિ. કરણઘેલાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે મંત્રી પત્નીને સતાવી ગુર્જર ભૂમિનો નાશ કરવામાં સ્વયં કારણભૂત બનત નહિ અને તેણે જે દુઃખ પ્રાપ્ત કર્યું તે કદાપિ પ્રાપ્ત કરી શકતા નહિ. સિકંદરના વખતમાં ભારતીય નૃપતિએ વિવેકપૂર્વક રાજ્યસંરક્ષા કાર્ય પ્રવૃત્તિ આદરી હોત તો તેઓની પતિતદશા થાત નહિ. વિવેકપૂર્વક ઈંગ્લીશ સરકાર રાજ્યકાર્ય પ્રવૃત્તિને આદરે છે તેથી તેના રાજ્યમાં રાજ્યન્નતિના સૂર્યનો આકાશીય સૂર્યને અસ્ત થતું નથી. જ્યારે જ્યારે વિવેકની ક્ષીણતા થાય છે ત્યારે ત્યારે અવિવેકથી ન કરવાયોગ્ય અનીતિ વગેરે કર્મોની પ્રવૃત્તિ થાય છે અને તેથી પતિતદશાને પ્રારંભ થાય છે. જૈનકોમમાં જ્યારથી વિવેકભાનુનાં પ્રખરકિરગનો પ્રકાશ મન્દ પડવા લાગ્યો અને અવિવેકરૂપમાં તેમને પ્રચાર વધવા લાગે, ત્યારથી જનકોમની વસતિ ઘટવા લાગી અને જૈન કામમાંથી વિદ્યાબલ, ક્ષાત્રબલ વ્યાપારબલ અને સેવાબેલની સુવ્યવસ્થાઓ અને તેની પ્રગતિનો અસ્ત થવા લાગે. વિવેકથી ચડતી છે અને અવિવેકથી પડતી છે એમ સર્વ બાબતોની સર્વ પ્રવૃત્તિમાં સમજી લેવું. જે મનુષ્યમાં જે સમાજમાં જે જ્ઞાતિમાં જે સંધમાં જે દેશમાં જે જે બાબતને વિવેક પ્રકટ જોઈએ તે પ્રકટવા માંડે એટલે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy